SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા દૈવી સાધનામાં પદ્માવતીકલ્પની વિશિષ્ટતા પ.પૂ આ. શ્રી ગુણોદયસાગરસૂરીશ્વરજી મહારાજ સા.ના શિષ્યરત્ન પૂ. ગણિવર્યશ્રી વીરભદ્રસાગરજી મહારાજ (દિવ્યભાનુ) માત્ર આઠ વર્ષની કુમળી વયે પોતાના વડીલબંધુ સાથે દીક્ષિત બની મુનિ વીરભદ્ર બન્યા.... સંયમની મંજિલોમાં બાવીસ વર્ષ પસાર કરી ગણિવર્ય બન્યા. જિનશાસનની અણમોલ વિહાર પદ્ધતિની દેન કહો કે વિચતા આ સાહિત્યરસિક મુનિવરને એક સાધક યતિવર્યનો આત્મીય પરિચય થયો.... અને એ ગાઢ પરિચયે જ અંદરની લગની વધુ જાગૃત બની.... પરિણામે, આજે, સાધના અને સ્વાધ્યાયના બળે તેમણે ભૈરવકલ્પની વિધિ સકળ સંધ પાસે મૂકી છે. આ પદ્માવતીકલ્પમાં અત્યંત ટૂંકા છતાં વિધિવિધાનની રીતે વારંવાર મનન કરવા જેવા આ લેખમાં તેઓશ્રીએ અહીં શ્રી પદ્માવતીજીની ઉપાસના સંબંધે ઘણી વિગતો આલેખી છે. વસ્તુ ઉત્તમ છે. બસ, સાધક ઉત્તમ અને પવિત્ર બની જાય તો શિવમસ્તુનો નાદ જરૂર ગુંજી ઊઠે ! પૂ. ગણિવર્યશ્રીના મળેલા વિસ્તૃત લેખને અહીં સંક્ષિપ્ત કરી મુખ્ય મુખ્ય એવી દરેક બાબતો પ્રસ્તુત કરી છે. સંપાદક [ ૩૮૭ જૈન શાસનમાં શ્રી પદ્માવતી દેવીની આરાધના, સાધના વિશિષ્ટ કોટિની ગણાય છે. ભગવતીના નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. કેટલાય જૈન-અજૈન પ્રાતઃ સમયે શ્રી પદ્માવતીજીના જાપ કર્યા વિના બહાર નીકળે જ નહીં, એવી શ્રદ્ધાવાળા હોય છે. પુરુષાદાનીય મહાપ્રભાવી ૨૩મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુની અધિષ્ઠાયિકા, સદા જાગૃત, ભવ્ય ગુણોથી અલંકૃત ભગવતી શ્રી પદ્માવતી, જેને માંત્રિકો મહાદેવી તરીકે સ્તવે છે, જેને તાંત્રિકો વિવિધ ઉપચારો વડે પૂજે છે અને યોગીઓ પણ જેનું ધ્યાન ધરે છે એ મહાદેવી પદ્માવતીના સ્મરણ કે પ્રાર્થનાથી કે મંત્રસાધનાથી વિઘ્નો સ્વયં વિખેરાઈ જાય છે. અત્રે આ પદ્માવતી કલ્પમાં મારા મંત્રગુરુવર્ય, મહામંત્રપ્રભાકર યતિરાજ શ્રી દિવ્યાનંદજી મ.સા.નો ઉપકાર જીવનમાં કયારેય નહીં ભુલાય. તેમણે આપેલ પ્રાચીન અને ગોખ મંત્રો - અદ્ભુત અને સાધવા યોગ્ય મંત્રો - આ લેખમાં આવરી લીધા છે. જેનું સ્મરણ-વંદન વિવિધ કષ્ટોને કાપનારું છે, જેમનું પૂજન-અર્ચન પ્રભુતાના શિખરે પહોંચાડનારું છે, જે સમ્યક્ત્વથી સુશોભિત છે, જે દ્વાદશાંગનું પારાયણ કરનારી છે એવા ચિંતામણિ રત્ન સમાન શ્રી પદ્માવતી દેવીના મંત્રજપ અને કલ્પની વિશિષ્ટતા જોઈએ. સર્વ કાર્ય માટે, દરેક પ્રકારની ઋદ્ધિ માટે અદ્ભુત સિદ્ધ મંત્ર.... સર્વ મનોરથપૂરક મૂલ મંત્ર · = ॐ नमो भगवते कलिकुंड श्री पार्श्वनाथाय धरणोरगेन्द्र श्री क्षेत्रपाल पद्मावतीदेवीसेविताय Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy