________________
૩૮૪]
[ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી
(અવાજ) અને અસ્ત્ર શસ્ત્રથી રહિત એવા મારી “ ક્ષીર છું :' મંત્રાક્ષરો વડે અડધી ક્ષણમાં શત્રુઓના સમૂહનો નાશ કરનારી છે પદ્માવતી દેવી ! તમે રક્ષા કરો. ૧૩
(આ શ્લોકનું ૧૦૮ વાર સ્મરણ કરી રહ્યાંજણી, ગુગળ અને ઘીનો હોમ કરવાથી સર્વ કાર્યસિદ્ધિ થાય છે અને રસ્તામાં ૧૦૮ વાર સ્મરણ કરવાથી ચોરનો ભય રહેતો નથી.)
જિહવાના અગ્રભાગમાં, નાસિકાના અગ્રભાગમાં, હૃદય, મન, બંને આંખો, બંને કાન, નાભિકમળમાં, ખભામાં, કંઠ, લલાટ, મસ્તક, બંને ભુજાઓ, પીઠ અને પડખાના પ્રદેશમાં, બધાં જ અંગ અને ઉપાંગોથી શુદ્ધ થઈ, અતિશયથી યુક્ત દિવ્ય (દડવાળા) સ્વરૂપવાળા, ૐકારમાં સમાવિષ્ટ શ્રી પાર્શ્વનાથ એવા એક શબ્દસ્વરૂપનું અમે હંમેશાં ધ્યાન કરીએ છીએ. ૧૪
ભૂ, વિશ્વ, ઇક્ષણ, ચંદ્ર, બિમ્બ (સૂર્ય), પૃથ્વી, યુગ્મ, એક વગેરે સંખ્યાના ક્રમથી (તૈયાર થતા શ્રી પદ્માવતી સ્થાપનાયંત્ર અને) ચંદ્ર, સમુદ્ર, બાણ, છ, મુનિ, વસુ, દિશા, ખેચર, આશા (દિશા) (વગેરે અંકોથી તૈયાર થતા ચતુર્મુખ યત્રથી) ઐશ્વર્ય (પ્રાપ્ત થાય છે, માટે શ, મારી (રોગ) અને વશીકરણનો ભય દૂર કરનાર, ક્ષોભ, અન્તરાય અને વિષને દૂર કરનાર મંત્રને લક્ષ્મી, સરસ્વતી અને ગુરુ સ્વરૂપ આપના મુખથી પ્રકાશિત કરો. ૧પા.
ખગ, ધનુષ, મુસલ, હળ, બાણ, નારાચ, ચક્ર વડે (પોતાની) શકિતથી તથા ભાલો. ત્રિશલ. ઉત્તમ પનસકર, મુગર, મુષ્ટિદંડ, પાશ, પાપાણ વૃક્ષ અને શ્રેષ્ઠ ગિરિ વગેરે અસંખ્ય દિવ્ય શસ્ત્રો વડે દુરોનો સંહાર કરતી, સુંદર ભુજાઓથી શોભિત છે પદ્માવતી દેવી ! મારી રક્ષા કરો. ૧દા
જેના ચરણકમળ, દેવો, નરેન્દ્રો, ઇન્દ્રોના સમૂહ, કિન્નર, દાનવેન્દ્રો, સિદ્ધ પુરુપો, નાગેન્દ્ર, યક્ષ વગેરેના શ્રેષ્ઠ મુકુટ વડે (પ્રમાણ કરવાથી) ઘસાયેલા છે એવી છે સૌમ્ય સ્વભાવવાળી, સૌભાગ્યલક્ષ્મી, કલિમલનું દલન કરનારી, કમળોની કલ્યાણમાળાને ધારણ કરનારી હે માતા ! યથોચિત અવસરે પરમ સમાધિને પ્રકટ કરો અને તે પદ્માવતી દેવી, તમે મારી રક્ષા કરો. ૧૭
ભક્િતભાવથી સહિત ધૂપ, ચંદન, અક્ષત, પવિત્ર સુગંધિત દ્રવ્યો, ગુંજન કરતા ભમરાઓથી યુક્ત વિવિધ વર્ણવાળાં (પ્રકારનાં) ફળો તથા ચિત્રવિચિત્ર (રંગબેરંગી), રસ સહિત, દિવ્ય, મનોહર (સુગંધી) પુષ્પો, નૈવેદ્ય અને વસ્ત્ર વગેરે તને અર્પણ કરીને અર્થાત્ તે બધા વડે તારી પૂજા કરી, રાજ્ય રૂપી લક્ષ્મી આપવાથી, હે વરદાયિની ! ભગવતી શ્રી પદ્માવતી દેવી ! તમે મારી રક્ષા કરો. ૧૮
હે માતા ! તમે બૌદ્ધોના આગમમાં તારા'ના નામથી પ્રસિદ્ધ છો. શૈવ સંપ્રદાયમાં 'ભગવતી ગૌરી'ના નામથી, કૌલિક મતમાં વજદેવી'ના નામથી, જિનમતમાં 'પદ્માવતી'ના નામથી, શ્રુતશાલી અર્થાતુ વૈદિક સંપ્રદાયમાં ગાયત્રી દેવી'ના નામથી, સાંખ્યમાં પ્રકૃતિ'ના નામથી ઓળખાવો છો. હે માતા ભારતી ! વધુ શું કહેવું? તમારાથી આખું જગત વ્યાપ્ત છે. ૧લા
(જે સાધક) ઘણાં સંચિત કરેલાં કણવીર (કરણ)નાં લાલ પુષ્પો અને બીજાં પુષ્પો વડે તારો જાપ કર્યા પછી ઘી, ગુગળ અને મધ મિશ્રિત કરી, સોળ આંગળ પ્રમાણના કાષ્ઠના ત્રિકોણ આકૃતિવાળા હોમને માટે બનાવેલા કુંડમાં, અગ્નિમાં દશાંશ જાપની આહુતિઓ આપે છે. અહીં (ત્યાં, ત્યારે), હે દેવી પદ્માવતી ! સહસા (તુરત જ) તું વાણીને કહે છે. (આકાશવાણી કરે છે.) પરવા
મધ્યમાં હૂિકાર અને તેની આસપાસ સોળ આવર્તથી પૂર્ણ વલય (તેમાં પ્રાયઃ , મા વગેરે ૧૬ વર્ણ મૂકવા), તે પછી બહારથી કંઠ સુધી વીંટળાયેલ મૂળ મંત્રથી પ્રયુતિ (અણીદળથી યુક્ત કમળથી વિભૂષિત આ યંત્ર સાક્ષાત્ ત્રૈલોકયને વશ કરનાર, પુરુષોને વશ કરનાર અને યંત્રરાજોમાં શ્રેષ્ઠ છે. આ જ તત્ત્વસ્વરૂપ છે. આ જ પરમ પદ છે (તેથી) શ્રી પાર્શ્વનાથ મારી રક્ષા કરો. પારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org