________________
શાસનદેવી શ્રી પદ્માવતી માતા ]
[ ૩૮૩
( આ શ્લોક વડે રાજવિગ્રહ સમયે ૧૦૮ વાર ઘી, ગુગળ અને કરેણનાં પુષ્પ વડે હોમ કરવાથી સર્વસિદ્ધિ થાય છે.)
લો જે ઉં રેં એવા મંત્રાક્ષરોથી યુકત તથા વિકસિત કમળોથી યુકત ઉદ્દામ લીલા (કીડા)ની રચનાવાળી ક્વ ક્વીશ્વઃ (શ્વ વ વ.) એવા પક્ષીબીજ વડે અથવા w ? # # એવા મંત્રાક્ષરો વડે પવિત્ર, ચંદ્રના કિરણો જેવી ધવલ અને ઝરતાં એવાં દૂધ જેવી ગૌરવર્ણવાળી, સર્પોથી બંધાયેલ અંબોડાવાળી અત્યંત ઘોર (તીવ્ર) કાળકૂટ વિષને દૂર કરતી “ હા હા હું 'કાર એવા નાદવાળી, હાથમાં કમળ છે એવા મારું, હે પદ્માવતી દેવી ! તમે રક્ષણ કરો. શા
(આ શ્લોકનું ૧૦૮ વાર સ્મરણ કરી બહેડાંના બીજનો હોમ કરવાથી શત્રુ નિવારણ થાય છે.)
પ્રાત:કાળના બાલસર્યનાં કિરણોથી મિશ્રિત ઘેરા સિદરિયા વર્ણવાળી અને સંધ્યાના રંગ જેવા લાલ(અરણ) અંગવાળી, શ્રેષ્ઠ દેવીઓ વડે જેનાં ચરણ પૂજાયાં છે/વંદન કરાયાં છે તેવી, શોભાયમાન પ્રચંડ તલવાર વડે શત્રુઓના સમૂહનો નાશ કરનારી, (બંને કાનોમાં લટકતાં) કુંડળો વડે ઘસાયેલા ગાલ (કપોલ)વાળી, “ શ્ર શ્રી ૐ શ્રીં ' એવા મંત્રાક્ષરોને યાદ કરતી, મદોન્મત્ત હાથીની ગતિ જેવી ગતિવાળી, હે પદ્માવતી દેવી ! તમે મારું રક્ષણ કરો. ઘટા
ગર્જના કરતા વાદળના મધ્યભાગમાંથી નીકળતી વીજળીની હજારો વાળાઓથી દેદીપ્યમાન એવા શ્રેષ્ઠ તેજ વજ, અંકુશ, પાશ અને કમળ સહિત હાથવાળી, ભકિતથી યુકૃત (લોકો દેવો) વડે પૂજાયેલી, તાજાં ખીલેલાં રુચિર (મનગમતાં) પારિજાતનાં પુષ્પ જેવા દિવ્ય શરીરને ધારણ કરતી, સદા પ્રસન્ન મુખવાળી છે પદ્માવતી દેવતા ! મારી રક્ષા કરો. પલા
(આ શ્લોકના મંત્રનું ૨૧ વાર સ્મરણ કરવાથી ત્રણે લોક દેખાય છે.)
કમળના સમૂહ ઉપરના નિવાસને ઉચિત વિશાળ કમળ રૂપ પીઠ-આસન ઉપર (બિરાજમાન) કામબીજ વેર્ન થી ગુપ્ત, “ ત શ્ર' એવા મંત્રાક્ષરોથી યુકૃત, હાસ્યયુક્ત મુખમુદ્રાવાળી, દિવ્ય હાથવાળી, પ્રસન્ન લાલ સ્વરૂપવાળી અને લાલ કમળ જેવા અંગવાળી, હંસ ઉપર આરૂઢ થયેલી અને ત્રણ નેત્રવાળી હે ભગવતી! તમે હંમેશાં વાભવ અર્થાત સરસ્વતી બીજમંત્ર શું અને કામ બીજ વેન ને ધારણ કરો છો. તે વરદાન આપનારી પદ્માવતી દેવી ! મારું રક્ષણ કરો. ૧૦ના
પકોણવાળા ચક્રની મધ્યમાં શ્રેષ્ઠ પ્રણવ એટલે કે 3 થી યુક્ત વામ્ભવ એટલે કે “' તથા કામબીજ “વ7 થી સહિત, હંસ ઉપર આરૂઢ થયેલ બિંદુથી યકૃત, ખીલેલા કમળમાં કર્ણિકાના અગ્રભાગમાં બિરાજમાન છે નિત્યા ! હે ફિલજ્જા ! હે મદાઢયા ! અંકુશ સહિત પાશને હાથમાં ધારણ કરનારી, જાણે તું સતત દ્રવી રહી છે એ પ્રમાણે (હૃદયમાં) ધ્યાન કરવાથી શત્રુઓને સંક્ષોભ કરનારી, ત્રણે ભુવનને વશ કરનારી છે પદ્માવતી દેવી ! તમે મારી રક્ષા કરો. ૧૧
પદળ રૂપી ચક્રની મધ્યમાં એટલે કે છ ખૂણામાં પાંચ વર્ણવાળા પત્તી દી થી સહિત ## 7 વર્ન લખેલ છે અને પત્રાન્તરાલે એટલે કે તેઓની વચ્ચેના ભાગમાં વાયુબીજ થી વેખિત મ મા, , રૂં, ૩, , 28, 26, 7, 4. ઇ છે મો, ગૌ, એ એવા ૧૬ સ્વરોથી તે સહિત છે. આ ચક્રના મધ્યભાગમાં શ્રી પદ્માવતી દેવી કારથી વેષ્ટિત અંગવાળી છે, તેનો લાલ પુષ્પો વડે જે જાપ-પૂજા કરે છે. તેને માટે ત્રણે લોકને ચલાયમાન કરનારી, સેંકડો મહાક્ષોભને કરનારી. (સંકટો) દૂર કરનારી થાય છે. એવી છે પદ્માવતી દેવી ! જલદીથી લોકના હિતમાં મારી રક્ષા કરો. ૧ર
બ્રહ્માણી, કાળરાત્રિ, ભગવતી, વરદા, ચંડી, ચામુંડા, નિત્યા વગેરે નામવાળી તથા ગંધારી, ગૌરી, ધૃતિ, મતિ, વિજયા, કીર્તિ, હી વગેરે દેવીઓએ જેના ચરણની સ્તુતિ કરી છે, એવી છે માતા ! સંગ્રામમાં,યુદ્ધમાં શત્રુઓના સમૂહની વચ્ચે, ભય, અગ્નિ અને પાણી વડે ઘેરાયેલા, સ્વર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org