________________
૩૬૨]
[ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી
પાર્શ્વનાથ પ્રભુનું પણ સારું એવું મહત્ત્વ છે. જેઓ વર્તમાનમાં કલ્પસૂત્ર સાંભળતા હશે તેઓને ખ્યાલ હશે કે શ્રી પાર્વનાથ પ્રભુનું એક વિશેષણ છે--પુરિસાદાણીય. આ વિશેપણમાં જ શ્રી પાર્શ્વનાથ પ્રભુને મહિમા અને પ્રભાવનું રહસ્ય છુપાયેલું છે. તેઓના આદેય નામ-કર્મનો પ્રભાવ હજુ પણ તેઓના નામમાં રહેલો છે. એટલે જ વર્તમાનકાળે શ્રી પાશ્ર્વનાથ પ્રભુ તથા તેઓના અધિષ્ઠાયક નાગરાજ શ્રી ધરણેન્દ્ર તથા અધિષ્ઠાયિકા શ્રી પદ્માવતીદેવીનો વિશેષ પ્રભાવ જણાય છે.
સામાન્ય રીતે એમ કહેવામાં આવે છે કે જે તીર્થક્ષેત્ર અથવા ભગવાનના અધિષ્ઠાયક દેવ-દેવી વધુ જાગૃત હોય તેમ તે તીર્થનો અથવા ભગવાનનો મહિમા-પ્રભાવ વધુ હોય છે. પરંતુ તે શાસન અધિષ્ઠાયક દેવ-દેવીને જાગૃત રાખવાનું કામ જે તે તીર્થંકર પરમાત્માનું પુણ્ય વિશેપ કરે છે. આમ, પરિસાદાણીય શ્રી પાર્શ્વનાથ પ્રભુના આદેય નામ-કર્મની વિશેષતાના કારણે તથા તેઓના અધિષ્ઠાયક દેવ-દેવી શ્રી ધરણેન્દ્ર તથા શ્રી પદ્માવતી દેવી--બન્નેને, પૂર્વભવની નાગ અવસ્થામાં, શ્રી પાશ્ર્વનાથ પ્રભુએ સંસારી અવસ્થામાં તેને બળતાં લાકડામાંથી બહાર કઢાવી શ્રી નમસ્કાર મહામંત્ર સંભળાવ્યો હતો. અને તે બંને મરીને નાગરાજ શ્રી ધરણેન્દ્ર તથા શ્રી પદ્માવતી દેવી તરીકે ઉત્પન્ન થયાં.૧ આમ, શ્રી પાર્શ્વનાથ પ્રભુ તે બંનેના પરમ ઉપકારી છે અને એ ઉપકારીના ઉપકારનો બદલો તો કેમેય કરીને વાળી શકાય તેમ ન હોવાથી અત્યારે પણ તે બંને દેવ-દેવી શ્રી પાર્શ્વનાથ પ્રભુના આરાધક શ્રાવક-શ્રાવિકાઓને સહાય કરે છે.
અત્યારે શ્રી પદ્માવતીદેવીની આરાધના/સાધના ઉપાસના લોકો વિશેષ પ્રકારે કરે છે. તેમ પ્રાચીનકાળમાં પણ શ્રી પદ્માવતીદેવીની આરાધના ઉપાસના જૈનશાસનમાં મુખ્યત્વે સાધુભગવંતો કરતા હતા, તેથી તેઓની આરાધનાની વિશેષ પરંપરા રહી છે. જુદા જુદા ગચ્છ, સંપ્રદાય પ્રમાણે તે આમ્નાય/પરંપરા પણ બદલાતી રહી છે. તેથી અત્યારે મળતી પ્રાચીન હસ્તલિખિત પ્રતોમાં એક કરતાં વધુ આમ્નાય જોવા મળે છે. વળી, આ આમ્નાય-વૈવિધ્યનું બીજાં કારણ જુદાં જુદાં લક્ષ્ય પણ હોઈ શકે. એટલે, સાધનાનો હેતુ બદલાય તેમ તેની વિધિ તથા મૂળ મંત્રમાં પણ ફેરફાર જોવા મળે છે.
અહીં પ્રસ્તુત સાધનવિધિઓમાં કુલ પાંચ પ્રકાર છે. તેમાંની પ્રથમ તથા દ્વિતીય સાધનવિધિ પૂ. ગુરુદેવ આચાર્યભગવંત શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજ સાહેબે કોઇ પ્રાચીન હસ્તલિખિત
તે ઉતારેલ છે. પરંતુ એ પ્રત કયાંના ભંડારની હતી અને તેનો નંબર કયો હતો વગેરે કોઇ જ માહિતી ઉપલબ્ધ નથી. તે બંને સાધનવિધિને યથાશકય શુદ્ધ કરવા પ્રયત્ન કરેલ છે. ત્રીજી, ચોથી અને પાંચમી સાધનવિધિ વિ. સં. ૧૮૮૦માં જેષ્ઠ વદિ ૧ના દિવસે પં. શ્રી વલ્લભવિજયજી ગણિ લિખિત પ્રતની ઝેરોક્ષ (ફોટોસ્ટેટ) નકલના આધારે આપવામાં આવેલ છે. આની મૂળ પ્રત પણ કયા ભંડારની છે તેની માહિતી પ્રાપ્ત થતી નથી. આ પ્રતની લંબાઇ ૨૪.૫ સે.મી. અને પહોળાઈ ૧૨.૫ સે.મી. છે. કુલ ૬ પત્ર છે તેમાં પત્ર-૬ બીજી બાજુએ કોરું છે. દરેક પત્રની એક બાજુએ લગભગ ૧૫ પંફિત છે અને દરેક પંક્િતમાં લગભગ ૪૦-૪૨ અક્ષરો છે.
આ પ્રતમાં શરૂઆતમાં એક પદ્માવતી સ્તોત્ર છે, જેમાં ૧૪ શ્લોક છે. આ સ્તોત્ર કદાચ અપ્રકાશિત હશે. ત્યાર બાદ “યવીગ સાધનવિધિ રૂપે શ્રી પદ્માવતી દેવીની સાધનવિધિ બતાવી છે, જેને અહીં સાધનવિધિ નં. ૩ આપેલ છે. અહીં “નાવીન એટલે લંકાર લેવો. ત્યારબાદ ‘રીતિવિધ સ્વરૂપે શ્રી પદ્માવતી સાધનવિધિ નં. ૪ આપેલ છે. આ બંને સાધનવિધિ ખરતરગચ્છીય આચાર્યશ્રી જિનદત્તસૂરિજીની પરંપરા પ્રમાણે છે એમ તેના અંતે આવતા ઉલ્લેખો પરથી જણાય છે.
૧. એક મત પ્રમાણે બળતાં લાકડાંમાં નાગ અને નાગણ બંને હતાં. તે મત પ્રમાણે આ વિધાન સમજવું. બીજા મત પ્રમાણે માત્ર નાગ જ હતો, જે મરીને ધરણેન્દ્ર થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org