________________
શાસનદેવી શ્રી પદ્માવતી માતા]
૩૧
સંચાર ચાલુ રહે તે માટે પૂજાપાઠના પણ ચોક્કસ નિયમો છે. પૂજા દ્વારા એ વૈશ્વિક શક્તિનો મૂર્તિમાં સંચાર અને આપણામાં એ પાત થાય તેવી પ્રક્રિયા ગોઠવાઈ છે. “તત્થવ અને પીવંતુ નો અર્થ પણ આ જ છે. તીર્થકરના નિર્વાણ પછી પણ એમની શક્તિ મૂર્તિ કે આચાર્યના માધ્યમ દ્વારા અસંખ્યકાળ સુધી સક્રિય રહે છે. આ એક અતિ ગૂઢ પ્રક્રિયા છે. જૈનધર્મમાં શ્રી શાંતિસ્નાત્ર પણ એક વિશિષ્ટ પૂજન ગણાયું છે. મહામૂલ્યવાન, મહાપ્રભાવી, મહાચમત્કારી અને સચોટશાંતિસાધન શ્રી શાન્તિસ્નાત્રવિધાન છે. એમાં અનેક રોગો, ઉપદ્રવો, ભયમાંથી શાંતિ મેળવવાના સુફળો સદ્ય પ્રાપ્ત થાય છે. વિવિધ પ્રકારની મૂર્તિઓ
- શ્રીમદ્ ભાગવતના અગિયારમા સ્કંધમાં અને શ્રી જૈન દર્શનમાં પણ જે રીતે બતાવ્યું છે તે રીતે, આઠ પ્રકારની મૂર્તિઓનો ઉલ્લેખ કરાયો છે : પથ્થરથી બનાવેલી, કાષ્ઠની, કોઈ પણ ધાતુની, છાણ અથવા માટીની, આલેખિત (ચિત્ર), રેતીની યા રેતાળ પથ્થરની, રત્નનિર્મિત (પ્રવાલ યા તો સ્ફટિકરનો) અથવા માનસિક.
મૂર્તિનિર્માણ માટે શિલા પરીક્ષાનું તલસ્પર્શી જ્ઞાન હોવું અત્યંત અનિવાર્ય છે. પાષાણ સારો, સખત . અને સુરુચિકર હોવો જોઈએ. પાષાણની પરીક્ષા પણ ત્રણ પ્રકારે થતી હોય છે. આવી અનેક વિગતો જાણવી જરૂરી છે. અત્રે તેની વિસ્તૃત ચર્ચા નહીં કરીએ.
ધાતુની મૂર્તિઓ પૂર્વકાળમાં પણ બનતી. પ્રિન્સ ઑફ વેલ્સ સંગ્રહાલય (મ્યુઝિયમ), મુંબઈમાં, તીર્થકર શ્રી પાર્શ્વનાથની કાંસ્યપ્રતિમા સુરક્ષિત છે. પટણા (બિહાર) સંગ્રહાલય(મ્યુઝિયમ)માં રહેલાં ધાતુશિલ્પોમાં એક ધર્મચક્ર, એક કલ્પવૃક્ષ અને ૧૬ જૈન તીર્થકરોની મૂર્તિઓનો સમાવેશ થાય છે.
દક્ષિણ ભારતમાં દેવમૂર્તિઓને ધાતુમાં ઢાળીને બનાવવાની પ્રણાલિકા વ્યાપક રૂપે પ્રચલિત હતી. આ ઉપરાંત ખાસ પ્રકારની ચીકણી મૃત્તિકા અને સૈકાઓ સુધી સડે નહીં એવા કાષ્ઠનો ઉપયોગ પણ મૂર્તિઓ બનાવવામાં થતો હતો. મૂર્તિવિધાનના પરિપ્રેક્ષ્યમાં હિતેશભાઈ શાહનોલેખ જોઈ જવા જેવો છે.
મૂર્તિ ચા ચંદ્રપૂજા-પ્રતિષ્ઠા
મૂર્તિ અથવા યંત્ર ધાતુ, ચિત્ર કે પાષાણ, ગમે તેનાથી બનાવાય; છતાં જ્યાં સુધી તેમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં ન આવે, ત્યાં સુધી તેમાં અને સામાન્ય ધાતુ આદિ પદાર્થોમાં તફાવત નથી. વ્યાપક પરમ દેવતાની મૂર્તિ-યંત્રાદિમાં સૂરિ-મંત્રાદિથી અભિમંત્રિત પરમ સુવાસિત (સુગંધી), વાસચૂર્ણ ચપટીમાં લઈને જે તે દેવાદિના મંત્રો દતચિત્તે ઉચ્ચાર કરવાપૂર્વક મૂર્તિ-મંત્રાદિ ઉપર વાસક્ષેપ કરવાથી તે મૂર્તિમંત્રાદિમાં જે તે દેવાદિનું અવતરણ અને તેની અચિન્ય શક્તિનો ન્યાસ કર્યો ગણાય. તેનું અપર નામ પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા વિના મૂર્તિમંત્રાદિ મહદંશે ફળ દેવા સમર્થ થતાં નથી. ગાયના સમસ્ત શરીરમાં સૂક્ષ્મ રીતે દૂધ બની રહ્યું હોય છે, પણ તે સૂવે છે તો તેનાં સ્તનોમાંથી જ. તેવી જ રીતે દેવ સર્વવ્યાપી હોવા છતાં, તેનો સવિશેષ પ્રકાશ મૂર્તિ-વિગ્રહ-પ્રતિમા-મંત્રાદિમાં જ થાય છે, જેના પ્રભાવે કરી દુર્ગમ કાર્યો સુગમ બને છે, યશનો વિસ્તાર વધે છે, અને અચિંત્ય લાભ મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org