________________
[શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી
જૈનતંત્રનાં સિદ્ધિ આપનારાં યંત્રો અને મંત્રો
જૈન તંત્રશાસ્ત્રમાં યંત્ર અને મંત્રનું મહત્ત્વ ઘણું જ ઊંચા પ્રકારનું હોય છે. આ શાસ્ત્રોમાં જે યંત્રો હોય છે તે બધાં યંત્રો કરતાં જુદાં હોય છે. આ યંત્રો જાણકારો પાસે ચાંદીના પતરા ઉપર, તાંબાના પતરા ઉપર કે સોનાના પતરા ઉપર કોતરાવી તેને મંત્રથી સિદ્ધ કરી રાખવામાં આવે તો ઘણું ઉત્તમ ફળ આપે છે. આ યંત્રોને ભોજપત્ર, ચંદન, સુખડ વગેરે દ્વારા માદળિયામાં બીડવામાં આવે છે. ગુજરાત સમાચાર'ના દર અઠવાડિયે પ્રગટ થતા કિરતાર વિભાગમાં આ વિષય ઉપર ઘણો વખત સુંદર પ્રકાશ રેલાય છે. - મંત્રશાસ્ત્રો અને જ્યોતિષશાસ્ત્ર સંબંધની પૂર્વકાલીન હસ્તપ્રતો વગેરેનું વિપુલ સાહિત્ય અમદાવાદભાનુપ્રભા સેનેટોરિયમમાં પૂ.પં. શ્રી સુબોધવિજયજી મહારાજશ્રી પાસે ઉપલબ્ધ હોવાનું પણ જાણવા મળે છે. અન્વેષકોએ પૂજ્યશ્રીનો સંપર્ક સાધવા જેવો છે.
પ્રતીકોપાસના
પ્રતીકો આપણાં સાંસ્કૃતિક સૂત્રો છે. આ પ્રતીકોની પાછળ ભવ્ય ભાવનાની સુવાસ (સુગંધ) છુપાયેલી છે. આ ભાવના જ પ્રતીકને અર્થવાન, સામર્થ્યશીલ તેમ જ જીવંત બનાવે છે. પ્રતીક એ મૌનની ભાષા છે, શાંતિનું સંગીત છે, સંસ્કૃતિના મહિમાનું મૂંગું ગીત છે.
પ્રતીકોપાસના એટલે બિંદુમાં સિંધુને જોવાની અમૂલ્ય તક અર્થાત્ બિંદુમાં સિંધુનું નિદર્શન થવાનો અણમોલ અવસર; ગાગરમાં સાગરની અપાર શક્તિને સહજમાં સમજવાનો અપૂર્વ અવસર. ભાષાના અભાવમાં ભાવને અભિવ્યક્ત કરવાની અજોડકળા, શબ્દોની અનુપસ્થિતિમાં વિચારને વ્યક્ત કરવાની વ્યવસ્થા, સંકેતમાં શાસ્ત્રરહસ્યને સમજાવતું અનોખું વિજ્ઞાન. જીવનના ઊંડાણની સાધનાની પ્રતીતિ કરાવે એનું નામ પ્રતીક. આ પ્રતીક વિના કોઈને ચાલતું જ નથી.
બધા જ દેવો યા તો બધાં જ પ્રતીકો તેમના અધિષ્ઠાતાઓની અચિન્ય શક્તિની અનુભૂતિ અને પ્રતીતિ કરવનારાં છે. જે સાકાર પ્રતીકો હોય છે તેની પાછળ રહસ્યપૂર્ણ તાત્વિકતા રહેલી છે. વાહન, હાથ-પગ આદિનાં આકાર-પ્રકાર તથા હાથોમાં દર્શાવેલ ભિન્ન ભિન્ન વસ્તુઓ હેતુલક્ષી છે. એટલે એક-એક પ્રતીકના તાત્ત્વિક ભાવને સમજવા પ્રયત્ન કરીએ.
આ પ્રતીકોનું આધ્યાત્મિક અર્થઘટન જરૂરી મનાયું છે. પ્રતીકોના માધ્યમથી જ મહાન સાંસ્કૃતિક વિચારધારાને સહજ અને સરળ રીતે સંક્ષેપમાં વ્યક્ત કરી શકાય છે. આ પ્રતીકોની ઉપાસના જો જાગૃતપણે રહીને સમજણપૂર્વક કરવામાં આવે તો એ સાંસ્કૃતિક સંકેતો આપણા જીવનમાં પ્રેરક, પોષક, પ્રોત્સાહક અને કાર્યસાધક બની રહેશે. જૈન શાસનમાં આઠ પ્રકારની મંગલસૂચક આકૃતિઓ અષ્ટમંગલ નામે ઓળખાય છે, તે બધાં પ્રતીકો ઘણું ઘણું સૂચવે છે.
વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી પદ્માવતીજીના ચાર હાથોમાં રહેલાં પ્રતીકોમાં પણ તથ્યપૂર્ણ હકીકતો | નિહિત છે, જે આ ગ્રંથનાં પૃષ્ઠો પરથી જાણી શકાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org