________________
૩૨૮ ].
[ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી
પાર પાડે છે. અમદાવાદમાં જ માના પરમ ઉપાસક શ્રી વીરવિજયજી મહારાજની સ્મૃતિરૂપ વીરનો ઉપાશ્રય છે; ત્યાં પણ માની મૂર્તિની પ્રાચીનકાળમાં સ્થાપના થઈ છે. દક્ષિણ ભારતમાં દિગમ્બરોએ મા પદ્માવતીનું મહાન તીર્થ-હોખુજા-પ્રાચીનકાળથી સ્થાપેલું છે. ત્યાં તેનો ભારે મહિમા છે. ત્યાં જવાથી કલિકાળમાં માનું સર્વોપરી સ્થાન અને મહામહિમા જોવા મળે છે.
મુંબઈ–વાલકેશ્વરમાં મા પદ્માવતીનું રૂપ અનેરું-અજોડ છે; અનોખું છે. માની આંખમાં અમી છે, માના રૂપમાં કરુણા છે. અહીં માના દર્શન માત્રથી ભકતોનાં કાર્યો સિદ્ધ થાય છે એ વાત જગજાહેર છે. વર્તમાનમાં, મુંબઈમાં શ્રી ગોડીજી પાર્શ્વનાથ ભગવંતના પ્રાચીન જિનાલયના જીર્ણોદ્ધાર પછીની, ભવ્ય પ્રતિષ્ઠા દરમિયાન શ્રી પદ્માવતી માતાની ભવ્ય, દિવ્ય અને વિશાળકાય મૂર્તિની સ્થાપના-પ્રતિષ્ઠા એક ભાગ્યશાળી સદગુહસ્થ મોટા ભાવ અને ભકિતપૂર્વક કરાવી છે. અહીં પણ માને મોંઘી ચૂંદડીઓ ચઢાવાય છે. અહીં માનું રૂપ જોતાં જ, માં જાણે સાક્ષાત્ માં ન હોય તેમ લાગે છે! અનેક લોકો માનાં દર્શન કરવા આવે છે. એક ભવ્ય દેરીમાં માની મનોહર મૂર્તિ જોઈને મન નાચી ઊઠે છે, અને હૃદયમાં આનંદ છવાઈ જાય છે. અનેક લોકોના મનની શ્રદ્ધાભકિતનું આ પરિણામ છે.
આ રીતે ઠેર ઠેર માનાં રૂ૫ ન્યારાં અને નિરાળાં છે. માનાં બીજાં ઘણાં સ્થાનો છે, જ્યાં માનો મહિમા ખૂબ વિસ્તર્યો છે.
માની સાધનાનાં સિદ્ધ મંત્રો, પ્રાર્થનાઓ, છંદો અને સ્તુતિઓ જૈન સાહિત્યમાં ભરપૂર છે. સિદ્ધ સાધકોના સાધેલા સિદ્ધ મંત્રો, તેવા સાધકના પરિચયમાં આવવાથી જાણવા મળે છે. આવા સિદ્ધ મંત્રોથી ભકતોનાં કાર્યો અવશ્ય સિદ્ધ થાય છે. માં પદ્માવતીની સાધના-આરાધનાના મંત્રો, કલ્પ વગેરે માટે શ્રી ભૈરવ પદ્માવતી કલ્પ' નામનો ગ્રંથ અજોડ છે. તેવા જ બીજા પણ કેટલાક કલ્પો, મંત્રો વગેરે અન્ય મંત્રસાહિત્યના ગ્રંથોમાં મળી આવે છે, જેના દ્વારા સાધકને સાધનાના વિષયમાં સુંદર માર્ગદર્શન મળી શકે છે અને તેની શ્રદ્ધાભકિત વધે છે.
મા પદ્માવતી ધરણેન્દ્ર દેવનાં પ્રિયા-પત્ની છે. ધરણેન્દ્રદેવ શ્રી પાર્શ્વનાથ ભગવંતના અધિષ્ઠાયક દેવ છે, કે જેઓ શ્રી નમસ્કાર મહામંત્રના પ્રતાપે ઈન્દ્ર બન્યા, તેમાં શ્રી પાર્શ્વપ્રભુનો ઉપકાર છે. મા પદ્માવતી તેમનાં પત્ની હોવાથી, પોતાના પતિના ઉપકારી એવા શ્રી પાર્શ્વપ્રભુના અધિષ્ઠાયિકા દેવી છે. ધરણેન્દ્રની અન્ય પત્ની વૈરૂટ્યાદેવી છે, તે પણ શ્રી પાર્શ્વનાથ ભગવંતની અધિષ્ઠાયિકા છે. શ્રી પાર્શ્વયક્ષ પણ શ્રી પાર્શ્વનાથ ભગવંતના અધિષ્ઠાયક દેવ છે; છતાં આ બધા અધિષ્ઠાયકોમાં માં પદ્માવતી વર્તમાનમાં શિરોમણિ છે. તેઓ શાસનનાં પણ શિરોમણિ દેવી છે. એક જાગતી જ્યોત સમાં છે ! શાસનનાં અધિષ્ઠાયક દેવ-દેવીઓમાં માં પદ્માવતી આજે ચોમેર ગાજે છે. માં પદ્માવતીનાં પૂજનો થાય છે, જ્યારે અન્ય કોઈ દેવ-દેવીઓનાં આ રીતે પૂજનો થતાં નથી. ઠેર ઠેર અને ઘેર ઘેર હવે માની સ્થાપના થાય છે, ભકિતભાવ વધ્યા છે, દરેક જૈનને મા પદ્માવતીમાં શ્રદ્ધા વધી છે. તેમને અન્ય દેવી-દેવતાઓ સમક્ષ જવાની જરૂર રહેતી નથી. માં પદ્માવતીના કારણે શ્રી જૈનસંઘમાંથી મિથ્યાત્વી દેવ-દેવીઓ તરફની માન્યતા ખૂબ જ ઘટી ગઈ છે.
અંતમાં, મા સમ્યગદષ્ટિ દેવી છે. તે જૈન શાસન-ભકત છે. ભકતને ધર્મ તરફ વાળીને ઈષ્ટ પ્રદાન કરનારી છે. ભકતને અંતમાં મુકિત તરફ વાળે છે; અને આ રીતે શ્રી જૈનશાસનને અજવાળે છે. આ વાતની સાક્ષી નીચેની પંકિતઓ દ્વારા શ્રી નવિમલવિજયજી મહારાજ જણાવે છે :
ધરણીધર રાય પદ્માવતી, પ્રભુ પાર્શ્વતણા ગુણ ગાવતી, સહુ સંઘના સંકટ સૂરતી, નયવિમલનાં વાંછિત પૂરતી.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org