________________
૩૧૮ ]
ભગવાન પાર્શ્વનાથ અને અધિષ્ઠાયક દેવ-દેવીઓ
* મનસુખલાલ તારાચંદ મહેતા
અહીં પ્રસ્તુત લેખમાં વિહંગાવલોકનથી પ્રભુ પાર્શ્વનું વર્ણન વગેરે જોવા મળે છે. ઐતિહાસિક પ્રભાવક પુરુષોમાં પુરુષાદાણિય તરીકે પંકાયેલા ૨૩મા તીર્થંકરશ્રી પાર્શ્વનાથનો લેખકશ્રીએ અલ્પ પરિચય કરાવ્યો છે. અધિષ્ઠાયક દેવદેવીઓનો પણ લેખકે અલ્પ પરિચય કરાવ્યો છે. ચોવીશે તીર્થંકર ભગવંતોને અધિષ્ઠાયિકા દેવ-દેવીઓ છે જ. મંદિરોમાં પ્રભુપ્રતિમા સ્થાપન કરતાં તેમની પણ પ્રાણપ્રતિષ્ઠા થતી જ હોય છે. એ સર્વમાં પાર્શ્વનાથ ભગવાનનાં અધિષ્ઠાયક દેવદેવીઓ વિશેષ જાગૃત રહ્યાં છે.
[ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી
લેખક શ્રી મનસુખલાલ મહેતા શીલ, સંસ્કાર, સંયમ, તપ અને સેવાના સુમેળને અક્ષરદેહ આપનાર માત્ર સાહિત્યસર્જક જ નહોતા, પણ શકિતસાધનાના આજીવન કર્મયોગી અને શીલધર્મના સાચા આરાધક હતા. આ લેખ તેમની તત્ત્વચિંતક તરીકેની પ્રતિભા પ્રગટ કરે છે. સંપાદક
વર્તમાન ચોવીશીના ચોવીશે તીર્થંકરોમાં ૨૩મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાન લૌકિક દષ્ટિએ સૌથી વધુ પ્રભાવશાળી ગણાય છે. 'કલ્પસૂત્ર'માં તેમને 'પુરુષાદાણિય' (જેમના વચન માટે બધા લોકોને માન હોય )નું વિશેષણ લગાડવામાં આવ્યું છે. આચાર્યશ્રી દેવભદ્રસૂરિજી શ્રી પાર્શ્વનાથ જિનેશ્વરના પ્રભાવનું વર્ણન કરતાં કહે છે : શ્રી પાર્શ્વનાથ પ્રભુનું જે પ્રાણી સ્મરણ કરે છે, કીર્તન કરે છે, પૂજે છે, સ્નાન કરાવે છે, નમસ્કાર કરે છે, શોધે છે અથવા જુએ છે તે પ્રાણીને આ પૃથ્વી પર ચાલતો કોઇ પણ સર્પ ઉપદ્રવ કરતો નથી. મનુષ્યોના સમૂહને મોટું સુખ ઉત્પન્ન કરવા માટે ધરણેન્દ્ર દેવે સ્વયં પ્રભુના નામના ઉચ્ચારપૂર્વકની છત્રીશ ગુણની પ્રાપ્તિવાળી હજાર મંત્રવિદ્યા રચી છે. તેનું ધ્યાન કરવાથી જેમ સૂર્ય વડે હિમ નાશ પામે છે, તેમ ચ૨ અને સ્થિર વિષના ઉગારવાળી દાઢારૂપી અગ્નિ વડે દશ્ય અને અદશ્ય ઉત્પન્ન થયેલું દુઃસ્થપણું તત્કાલ નાશ પામે છે.
-
લૌકિક દૃષ્ટિએ બધા તીર્થંકરોમાં ભગવાન પાર્શ્વનાથ વધુ પ્રભાવશાળી ગણાવાનું કારણ એમ લાગે છે કે, જે કાળે પ્રભુના શરીરનું નિર્માણ આ પૃથ્વી પર થયું હતું તે કાળે વિશ્વભરમાં અતિ શુભ પરમાણુ વર્તતા હતા, અને તેથી જ ત્રેવીશમા તીર્થંકર પાર્શ્વનાથ ભગવાનનું દર્શન-સ્પર્શન તો ઠીક, પરંતુ સ્મરણ માત્ર વિઘ્ન હરવામાં તેમ જ આત્માના શ્રેય અર્થે ઉત્કૃષ્ટ ગણાય છે.
Jain Education International
જૈન શાસ્ત્રો અનુસાર તીર્થંકરો રાગ, દ્વેષ, મોહ, કષાય, રતિ, અતિ, ક્રીડા, ઈચ્છા વગેરે તમામ દૂષણોથી રહિત હોય છે. અને તેઓ કોઈને સુખદુઃખ આપતા નથી, અગર ચમત્કાર કરતા કે કરાવતા નથી; એટલે સ્વાભાવિક રીતે કોઈ શંકા થાય છે કે રાદ્વેષાદિનો અભાવ હોવાથી કદાપિ પ્રસન્ન નહિ થનાર વીતરાગદેવથી મોક્ષાદિ શી રીતે પામી શકાય ? પરંતુ આવી શંકા યથાર્થ નથી, કારણ કે ચિંતામણિ વગેરે વિશિષ્ટ ચેતનારહિત પદાર્થ ફલીભૂત થતાં આપણે જોઈ શકીએ છીએ. ચેતનારહિત પદાર્થો જેમ તેમનું વિધિ પ્રમાણે આરાધન કરવાથી ફળ આપે છે, તેમ વીતરાગ પણ ફળ આપનાર કહેવાય છે. વળી તીર્થો તેમ જ તીર્થંકરોના ભકતજનોનાં વિઘ્નો અને સંકટોને દૂર કરવા માટે દરેક તીર્થંકરને અધિષ્ઠાયક દેવો અને દેવીઓ હોવાની વાતનો ઉલ્લેખ જૈન શાસ્ત્રોમાં છે,
For Private & Personal Use Only
www.jainelibrary.org