________________
શાસનદેવી શ્રી પદ્માવતી માતા ]
[૩૦૯
શ્રી પદ્માવતી દેવીનાં વિભિન્ન સ્વરૂપો :
(મૂર્તિવિધાનની દષ્ટિએ)
* શ્રી મુનીન્દ્ર વેણીશંકર જોષી
ધર્મ અને વિજ્ઞાન, કળા અને સંસ્કૃતિ, તત્ત્વજ્ઞાન અને સૌદર્યશાસ્ત્ર - એ સર્વનો સુંદર સમન્વય અત્રે અભ્યાસરૂપે પ્રાપ્ત થાય છે. વિભિન્ન સ્વરૂપો અને આકૃતિની સમજ સાથે ઇતિહાસ સંદર્ભ આ લેખને અભ્યાસમય બનાવે છે. શ્રી મુનીન્દ્રભાઇએ પ્રાચીન ગ્રંથોમાં શ્રી પદ્માવતીજીના કેવા કેવા ઉલ્લેખો પ્રાપ્ત થાય છે તે વિગતે દર્શાવ્યું છે. શ્રી પદ્માવતીજીનાં વિભિન્ન સ્વરૂપોનો આ અભ્યાસ અત્યંત ઉપયોગી પુરવાર થશે એ નિર્વિવાદ છે.
-- સંપાદક
ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં બ્રાહ્મણ અને શ્રમણ પરંપરા--એમ બંને ધર્મપ્રવાહોનો ફાળો નોંધપાત્ર છે. બ્રાહ્મણ પરંપરા અન્તર્ગત હિંદુધર્મ અને શ્રમણ પરંપરા અન્તર્ગત જૈન અને બૌદ્ધ ધર્મનો વિકાસ થયો; જેણે દેશની ધાર્મિક, આધ્યાત્મિક, રાજકીય બાબતોની જેમ કળાને પણ પ્રભાવિત કરેલી જોવા મળે છે. બ્રાહ્મણ પરંપરામાં અનેક દેવદેવીઓની ઉપાસના સામે બૌદ્ધ અને જૈન ધર્મમાં મુખ્યત્વે ચોવીશ બદ્ધ અને ચોવીશ તીર્થ કરોની ઉપાસના અને તેમને સંલગ્ન દેવીઓ, બોધિસત્ત્વ. યક્ષ-યક્ષિણીઓ કે શાસનદેવી-દેવતાઓની કલ્પના જોવા મળે છે. સાથેસાથે ઉપાસનાપદ્ધતિ માટે સમયાન્તરે રચાયેલ વિવિધ સાહિત્યમાં તેનાં સ્વરૂપો, ધ્યાન અને સ્વરૂપલક્ષણોના ઉલ્લેખો મળે છે, જેના આધારે શિલ્પોની રચના થયેલી જોવા મળે છે. છતાં, એમાં કયારેક અપવાદ પણ જોવા મળે છે. પરંતુ અત્રે માત્ર જૈનધર્મની સૌથી વધુ પ્રભાવક ત્રણ દેવીઓ - ચક્રેશ્વરી, અંબિકા અને પદ્માવતી દેવીનાં પ્રતિમાવિધાનોને સ્પર્શતી વિગતોની ચર્ચા અભિપ્રેત હોઈ. તેની વિગતે ચર્ચા-વિચારણા કરી છે.
જૈનધર્મમાં ઉપાસ્ય દેવોમાં તીર્થકરોનું સ્થાન સર્વોચ્ચ છે. શ્રી હેમચંદ્રાચાર્યે પોતાના અભિધાન ચિંતામણિ' ગ્રંથમાં તેમને દેવાધિદેવ કહ્યા છે. સમયાન્તરે જિનોની સાથે યક્ષ-યક્ષિણીને સંલગ્ન કરવાની પરિપાટી વિકાસ પામી. આ યક્ષ-યક્ષિણી જિનોના સેવક દેવ-દેવીના રૂપમાં સંઘની રક્ષા કરે છે. જૈનધર્મની ચોવીસ યક્ષ-યક્ષિણીઓની યાદી આપણને તિલોયપણ્યત્તિ, નેમિચંદ્રસૂરિક પ્રવચનસારોદ્ધાર વગેરેમાં મળે છે. છતાં લાક્ષણિક સ્વરૂપોનું વિસ્તૃત વર્ણન ઇસુની ૧૧-૧૨મી સદીના ગ્રંથો ત્રિષષ્ઠિશલાકાપુરુષ અને પ્રતિષ્ઠાસારસંગ્રહમાં તથા ત્યાર પછીના ગ્રંથોમાં પણ મળે છે.
જૈનધર્મની તાંત્રિક વિદ્યાને સ્પર્શતા સાહિત્યમાં શ્રી પદ્માવતી દેવીનું વિશિષ્ટ સ્થાન છે; જેમાં શ્રી પદ્માવતી દેવીને સ્પર્શતી કૃતિઓની પણ રચના થયેલ છે. આવી નોંધપાત્ર કૃતિઓમાં શ્રી મલ્લિપેણસૂરિ (ઇસુની ૧૨મી સદી) દ્વારા રચાયેલ ભૈરવ પદ્માવતી કલ્પ' છે, જેમાં પદ્માવતી દેવીના દરેક વિધિવિધાનની ચર્ચા કરેલ છે. એ જ સમયમાં શ્રી ચન્દ્રસૂરિ દ્વારા રચાયેલ અદૂભુત પદ્માવતી કલ્પ, આ પૂર્વે દિગંબર રચયિતા ઇન્દ્રનંદીરચિત પદ્માવતીપૂજનમ્ અને અજ્ઞાત લેખકોની કૃતિઓ, જેવી કે, રકત પદ્માવતી કલ્પ, પદ્માવતી-મતાસ્નાય વિધિ, પદ્માવતી પૂજનક્રમ, પદ્માવતી વ્રતોદ્યાપન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org