________________
૩૦૮ ]
[ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી
ત્રિકાળ અષ્ટપ્રકારી પૂજાવિધિ કરાવતો હતો. આજે પણ તે ભુવનોદરવ્યાપી માહાભ્ય અમદ લક્ષ્મીવાળું ભગવતી મંદિર ઊભું છે.
તે પર્વતની ગુફાના મુખદ્વારે વિશાળ શિલાપટ્ટ લગાડેલ છે; તેથી તે માર્ગે આગળ વધવું ઘણું જ મુશ્કેલ છે. કારણ કે ત્યાંથી જવા માટે શિલાને ઊંચી કરી, તેની યોગ્ય રીતે પૂજા કરી આગળ વધી શકાય છે. ત્યાર બાદ પણ માર્ગ તો આકરો જ છે. કારણ કે ઊભા ઊભા ચાલી શકાય તેમ નથી. શરૂઆતમાં લસરતાં, પછી ઊભડક ઊભડક અને ત્યાર બાદ વાંકા વાંકા ચાલી શકાય છે. આવી દુર્ગમ યાત્રા કર્યા પછી ખુલ્લાશમાં દેવીનું મંદિર આવેલું છે. આમ, અનેક વિપ્નોની કલ્પના માત્રથી મોટા ભાગના યાત્રીઓ ગુફાનો માર્ગ ઉઘાડવાનો પ્રયત્ન જ કરતા નથી; બકે, ગુફાના મુખભાગે જ યાત્રાળુઓ દેવીની પૂજા-અર્ચના કરી લે છે અને મનોકામના પૂર્ણ કરે છે. માધવરાજના વંશજોમાં ગણપતિદેવની પુત્રી રુદ્રમહાદેવીએ પાંત્રીસ વર્ષ સુધી રાજ્ય કર્યું હતું.
આ પ્રકારે આમરકુંડ નામનું પદ્માવતી કલ્પ અત્રે પૂર્ણ થયું. આ કલ્પમાં ૫૯ શ્લોક છે.
સ
સરસ્વતી - પલ્લુ - રાજસ્થાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org