________________
શાસનદેવી શ્રી પદ્માવતી માતા]
નામરૂપોથી વર્ણવે છે. શક્તિ એક છે, નામ અનેક છે. ડૉ. ઉમાકાન્ત પી. શાહ તેમના એક લેખમાં (જૈનધર્મમાં દેવીપૂજા - જુઓ શક્તિઅંક, ૧૯૮૫) જણાવે છે કે પદ્માવતી એ લક્ષ્મીનું સ્વરૂપ છે તેમ જ અંબિકા એ પાર્વતી ઉમાનું સ્વરૂપ છે. તો એ રીતે ચકેશ્વરી વિદ્યાદેવી તરીકે સ્વીકારવામાં આવે તો તેની સરખામણી લક્ષ્મી સાથે નહીં પરંતુ વૈષ્ણવી શક્તિ સાથે રહેલી છે. ચક્રેશ્વરીનાં સ્વરૂપ, વાહન, આયુધ વગેરે જોતાં તેની સરખામણી તંત્રગ્રંથોમાં વર્ણવેલી વૈષ્ણવી કે નારાયણી શક્તિ સાથે કરી શકાય તેમ છે. જૈન મૂર્તિપૂજાની પ્રાચીનતા' નામના લેખમાં ડૉ. પ્રિયબાળાબહેન શાહે એક જગ્યાએ નોંધ્યું છે કે શ્વેતામ્બર પરમ્પરાની જિનપ્રતિમાઓ સૌથી પૂર્વકાલીન છે. છઠ્ઠી સદીની ધાતુ-પ્રતિમાઓમાં તીર્થંકરની જમણી બાજુએ યક્ષ અને ડાબી બાજુએ યક્ષિણીની પ્રતિમા મૂકવાની પ્રથા પ્રચલિત થઈ. નવમી સદી સુધી ચોવીસ તીર્થકરોની પ્રતિમા સાથે આ યક્ષ અને યક્ષિણીની પ્રતિમા મુકાતી.
આમ, જૈન ધર્મમાં આ શાસનદેવીઓનું મહત્ત્વ લાંબા સમયથી સ્વીકારાયેલું જ છે. મુનિશ્રી પુણ્યવિજયજીએ શક્તિઅંકમાં “જૈન સાહિત્યમાં શક્તિનું સ્થાન' નામના લેખમાં શ્રુતદેવીઓ ઉપર સુંદર વર્ણન કર્યું છે. શાક્ત સંપ્રદાયમાં જેમ દસ મહાવિદ્યાઓની ભારે પ્રતિષ્ઠા છે, તેમ જૈન ધર્મમાં પણ સોળ વિદ્યાદેવીઓની ભારે પ્રતિષ્ઠા છે. કહેવાય છે કે પૂર્વકાળમાં જૈન શ્રમણો તેને સિદ્ધ કરતા અને તે દ્વારા અનેક પ્રકારનાં અસાધારણ કાર્યો કરવા શક્તિમાન બનતા. આજે પણ રાજરાજેશ્વરી ભગવતી પદ્માવતી સાધકોને સહાય કરવા હાજરાહ ગણિવર્યશ્રી વીરભદ્રસાગરજી મહારાજનો પદ્માવતી કલ્પની વિશિષ્ટતા સંબંધનો લેખ જિજ્ઞાસુઓની ઉપયોગી બની રહેશે. દીવાદાંડીરૂપ ધર્મજ્યોત
અર્વાચીન માણસ જીવનનાં દુઃખદર્દીનું ઝડપી નિવારણ ઇચ્છે છે, અને તેના ઉપાયો શોધે છે. અર્વાચીનતાનું મુખ્ય લક્ષણ ઈહલૌકિકતા છે. ધર્મદર્શનો અને ધર્મસંપ્રદાયો ઐહિક જીવનમાં અને મૃત્યુ પછીના પારલૌકિક જીવનમાં આત્મલ્યાણનો માર્ગ સૂચવે છે. ધર્મ આત્માના વ્યક્તિત્વને ખીલવવામાં પરમ સહાયક થાય છે. માનવીના જીવનની સાર્થકતા પણ આ ધર્માચરણમાં અભિવ્યક્ત થાય છે. જો આમ ન હોય તો રાજપાટ-ઋદ્ધિસિદ્ધ-સમૃદ્ધિ છોડીને શ્રી વર્ધમાન મહાવીરે સર્વસંગનો સર્વથા ત્યાગ કરીને સંયમ - ધર્મ કેમ સ્વીકાર્યો? મહાપુરુષોએ અનેક પ્રકારનાં મંથનો અને તપસ્યામાંથી પસાર થયા પછી જે સત્ય ઉચ્ચાર્યું છે; કરુણા, પ્રેમ, અહિંસા, સાધુસંતોના હૃદયની અનુભૂતિમાંથી જન્મેલી એ વાણી પણ આ ધર્મવૃત્તિનું જ સમર્થન કરે છે. આપણી યુવાન પેઢી પણ ચિત્તશુદ્ધિ અને સમતાનો અનુભવ કરી શકે એવી પ્રક્રિયાની સતત શોધમાં છે. જો એને એ આપવામાં આવે તો એની ઝંખના સંતોષાશે અને ધર્મમાર્ગ પ્રત્યે આકર્ષાઈને સ્વયં ધર્મમાર્ગને અંગીકાર કરશે. ભારતીય સંસ્કૃતિના અને ધર્મચિંતનના વિશાળ વટવૃક્ષથી એને સુપરિચિત કરાવવાની આજે પરમ તાતી અનિવાર્યતા છે.
આ ગ્રંથ-પ્રકાશન દ્વારા, માનવીને ચિત્તશુદ્ધિ, ભાવશુદ્ધિ અને વ્યવહારશુદ્ધિમાં સારું એવું પરિણામ પ્રાપ્ત કરાવવાનો અમારો નમ્ર પ્રયાસ છે, તેનો અમારા મનમંદિરમાં અપૂર્વ આનંદ છે, હૈયાનો અદમ્ય ઉલ્લાસ છે. ભવોભવ અમને ભગવાન પાર્શ્વનાથની ભક્તિ મળો એટલી જ પ્રાર્થના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org