________________
શાસનદેવી શ્રી પદ્માવતી માતા ]
[ ૨૭૩
કેટલાક શ્રી પદ્માવતીદેવીને પડ્રભુજા, અષ્ટભુજા કે ચોવીસ ભુજાવાળાં ગણે છે. શ્રી પદ્માવતીદેવી અને પશ્ચિમ બંગાળમાં પ્રાપ્ત થતાં મનસા દેવી વચ્ચે ઘણું સામ્ય છે. શ્રવણબેલગોલામાં અગિયારમી સદીમાં નિર્માણ પામેલા ભગવાન પાર્શ્વનાથના દેરાસરના દ્વારે ધરણેન્દ્ર અને પદ્માવતી દેવીની મૂર્તિઓ જોવા મળે છે. ચંદ્રગિરિના જિનાલયમાં પણ પદ્માવતીદેવીની મૂર્તિ છે. આ દેરાસર ઈ.સ.ની બારમી સદીનું છે.
પદ્માવતી વિધા : તંત્રમાર્ગની આ એક મહાવિદ્યા છે. આ મહાવિદ્યા કલ્પવૃક્ષ જેવી છે. તે સાધકની માંગ અનુસાર ફળ આપનારી છે. આ વિદ્યાનો મંત્ર આ પ્રમાણે છે :
'ॐ ह्रीं पद्यावती देवि त्रैलोक्यवार्ता कथय कथय स्वाहा ।'
આ મંત્રનો બે વર્ષ સુધી દરરોજ ૧૦૮ વાર જપ કરવાથી આ વિદ્યા સિદ્ધ થાય છે. આ સિદ્ધિ સાંપડ્યા પછી સાધકને સકળ જગતનો વૃત્તાન્ત પોતાના સ્થાનમાં જ સમજાય છે. એમ કહેવાય છે કે શ્રી પદ્માવતી દેવી આ વૃત્તાન્ત સાધકના કાનમાં આવીને કહી જાય છે. આ પ્રમાણેની વિગત યોનિની તંત્રમાં જોવા મળે છે.
કકતની
નાલંદામાંથી પ્રાપ્ત થયેલ પદ્માવતીજીનું કલાત્મક શિલ્પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org