SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭ર ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગહારિણી ઝ રીં શ્રી વત્યે નમ' આ મંત્રની રોજ ૨૦ માળા ગણવી. છ માસમાં લક્ષ્મીની પ્રાપ્તિ કરાવે છે. તેનું યંત્ર નીચે મુજબ છે. શ્રી પદ્માવતી દેવીનું પંચદશી યંત્ર : | | | | | મ | જ a | જ શ્રી પદ્માવતી દેવીની ઉપાસનાના અન્ય મંત્રો આ પ્રમાણે છે : (૨) & pજે કૈં વ7 પm પાટિન નમ: | (૨) ૐ હ્રીં હૈ કલીં શ્રી પQ નમ: II () વજન સૌ નમ: I અને (૪) દૂી નમઃ | આ દેવીનું યંત્ર બનાવવાની રીત આ પ્રમાણે છે : એક તામ્રપત્ર પર મધ્યભાગમાં આ દેવીનું નામ લખીને તેની પાછળ આ પ્રથમ મંત્રના અક્ષરો લખવામાં આવે છે. તેની ચારે બાજુએ કામદેવનાં પાંચ બાણ “જ્ઞ ત્ર વત્ની નું સઃ લખીને, તેની પછી ફરીથી “જ્ઞ “ અક્ષર લખાય છે. આટલું કરવાથી આ યંત્ર પૂર્ણ થાય છે. આ યંત્ર હોમકુંડમાં મૂકીને તેની ઉપર ઘી, દૂધ અને સાકર એક કરીને બનાવેલ ૩૦ હજાર ગોળીઓની આહુતિ આપવાથી દેવી પ્રસન્ન થાય છે. આ દેવીના કવચનું માહાભ્ય વર્ણવવામાં આવ્યું છે તે આ મુજબ છે : राजद्वारे श्मशाने च भूतप्रेतोपचारके बन्धने च महादुःखे भयशत्रुसमागमे । स्मरणात् कवचं शस्यं भयं किञ्चिन्न जायते ।। અર્થાત્, રાજકારમાં, સ્મશાનમાં, ભૂતપ્રેતના ઉપચારમાં, બંધનમાં, મહાદુઃખમાં કે ભય-શત્રુના સમાગમ પ્રસંગે આ પદ્માવતીના કવચનું સ્મરણ કરવાથી કોઈપણ પ્રકારનો ભય રહેતો નથી. આ પદ્માવતીદેવી સૌભાગ્યલક્ષ્મી આપનાર, જગતને સુખી કરનાર અને વંધ્યા સ્ત્રીને પુત્રવતી કરનાર છે. વિવિધ પ્રકારના રોગોને હરનાર, પાપને દૂર કરનાર, ભકતોનું રક્ષણ કરનાર, ગરીબોને ધન આપનાર અને સાધકની મનોકામનાઓ પરિપૂર્ણ કરનાર છે. આ પદ્માવતીદેવીનાં સૌમ્ય અને રૌદ્ર એવાં બે સ્વરૂપો છે. સૌમ્ય સ્વરૂપવાળી દેવી જગતનું ન કરે છે, જયારે રૌદ્ર રૂપવાળી દેવી દુરોનો સંહાર કરે છે. આ દેવીની અનેક કલાપૂર્ણ મૂર્તિઓ ઉપલબ્ધ થાય છે. ખંડગિરિમાં આવેલી ગુફામાં પદ્માવતીની એક પ્રાચીન મૂર્તિ છે. તે જ ગુફાના બીજા ભાગમાં પાર્શ્વનાથ ભગવાનની સેવિકા અને યક્ષિણીના સ્વરૂપવાળી પણ મૂર્તિ પ્રાપ્ત થાય છે. ત્યાં પદ્માવતીદેવીનું સ્વરૂપ આ પ્રમાણે દર્શાવાયું છે : स्वर्णवर्णा पद्यपाशभृद्दक्षिणकरद्वया । फलाङ्कुशधराभ्यां च वामदोभ्याँ विराजिता ।। અર્થાત્, પદ્માવતીદેવી સુવર્ણ વર્ણનાં છે. કુર્કટનાગ તેમનું વાહન છે. તેમને ચાર હાથ છે. તેમના જમણા હાથમાં પદ્મ (કમળ) અને પાશ છે. ડાબા હાથમાં ફળ અને અંકુશ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy