SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૫૪ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગહારિણી 'સર્વાર્થ સિદ્ધિદાયિની ભગવતી પદ્માવતીજીની ઉપાસના અને ઉપાસક શ્રી પુષ્કરભાઈ ગોકાણી તત્ત્વજ્ઞ, મંત્રશાસ્ત્રવિ, કવિકુલચક્રવર્તી દિગમ્બર જૈન પૂર્વાચાર્ય શ્રી મલ્લિષેણસૂરિજી મહારાજ વિરચિત 'શ્રી ભૈરવ પદ્માવતીક૫” એ ઉપાસના, ધર્મવિધાન, તત્ત્વરહસ્ય અને મંત્રશાસ્ત્રનો એક અદ્ભુત ગ્રંથ છે. એમાં ભૈરવ શબ્દથી ભડકવાની જરૂર નથી. તંત્રમાર્ગમાં 'ઉદ્યમો ભૈરવ' અર્થાત્ પ્રચંડ પુરુષાર્થને જ ભૈરવ કહે છે. આ ગ્રંથ પદ્માવતી પરાંબાની ઉપાસનાનો આકરગ્રંથ છે. આ ચિંતામણિ સમા ગ્રંથનો આછો પરિચય આ લેખ દ્વારા આપવા લેખકશ્રીએ સ્તુત્ય પ્રયત્ન કર્યો છે. પૂ.આ.શ્રી મલ્લિપેણસૂરિજી મહારાજે રચેલ પદ્માવતીકલ્પમાં જે દશ પરિચ્છેદ આપ્યા છે, એ દશેયનો અલ્પ અંશ અત્રે પ્રસ્તુત કર્યો છે. શ્રી મલ્લિષેણસૂરિજીએ પદ્માવતીનો સાક્ષાત્કાર કરી અદૂભુત મંત્ર-યંત્રની જૈનસંઘને જે ભેટ ધરી છે એ પ્રભાવક સૂરિવરનો પરિચય પણ આપ્યો છે. દેવીકૃપાએ પ્રત્યક્ષ અનુભવનું વર્ણન પણ આપ્યું છે. ઉપાસનાનાં વિવિધ ફળ પણ દર્શાવ્યાં છે. એવી જ રીતે, હમેશાં સંસ્કૃત ભાષામાં સ્તોત્રની રચના થવા ન પામે ત્યાં સુધી પચ્ચકખાણ ન પારનાર સારસ્વત શ્રી જિનપ્રભસૂરિજીના જીવ• સંબંધી અહોભાવ જન્માવે એવી યશોગાથા પણ અત્રે પ્રસ્તુત કરી છે. આ સર્વ ભકતજનને અત્યંત (પ્રેરણાદાયી બને તેમ છે. - સંપાદક પ્રાચીન ત્રિધર્મમાં સનાતન, જૈન અને બૌદ્ધ ધર્મ ગણાયા છે. તે દરેક ધર્મમાં શકિત-ઉપાસનાએ કરીને જ દરેક ઋષિ, મુનિ-શ્રમણ કે ભિક્ષ પરમ પદને પામ્યા છે. તીર્થંકર પાર્શ્વનાથનાં શાસનદેવી પદ્માવતીદેવી ૨૪ તીર્થકરોનાં શાસનદેવીઓમાં મહત્તમ સિદ્ધિ આપનાર સરળ, સહજ, સુલભ ગણાયાં છે. ઘણા લોકો પદ્માવતીને 'શ્રી' (લક્ષ્મી) સાથે સાંકળે છે. લક્ષ્મી તેનું એક પરિણામ માત્ર છે. વાસ્તવિક રીતે તો જેમ પદ્મ કહેતાં કમળ જળમાં રહેવા છતાં, જળથી અલિપ્ત રહે છે તેમ પદ્માવતીની સાધના કરનાર સંસારમાં રહેવા છતાં એકાન્ત'માં રહે છે. અલિપ્ત રહી પોતામાં રહેલી પદ્માવતી શકિતને જાગૃત કરી આત્માને કૈવલ્ય તરફ અગ્રેસર કરે છે. પદ્માવતી-ઉપાસનાના આચાર્યોમાં પૂર્વાચાર્ય શ્રી મલ્લિષેણસૂરિ, શ્રી જિનપ્રભસૂરિ, શ્રી ધરાચાર્ય, શ્રી ચંદ્રસૂરિ, શ્રી ઇન્દ્રન્ટિ આદિમાં શ્રી મલ્લિષેણસૂરિએ દર્શાવેલ ભગવતી–પદ્માવતી-ઉપાસનામાં શ્રી ભૈરવ પદ્માવતી કલ્પનું માહાભ્ય મોટું છે. તેના ૧૦ પરિચ્છેદમાં ૪૦૦ મંત્રો છે. ભૈરવનો અર્થ ઉદ્યમ (ઘો પૈરવ) એવો તંત્રમાં દર્શાવાયો છે. ઉદ્યમ મંત્રોનો સમૂહ છે. તેનો ટૂંકમાં પરિચય કરીએ : (૧) પ્રથમ મંત્ર- લક્ષણાધિકારમાં મહાદેવી પદ્માવતીનાં જુદાં જુદાં સ્વરૂપોનાં છ નામો છે : ૧. તોતલા, ૨. ત્વરિતા, ૩. નિમ્ના, ૪. ત્રિપુરા, ૫. કામસાધિની અને ૬. ત્રિપુરભૈરવી. તેની ચાર ભુજાઓમાં જુદાં જુદાં આયુધો પાશ, વજ, ફળ, કમળ કે શંખ, અભય, અંકુશ, અક્ષમાળા વગેરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy