________________
શાસનદેવી શ્રી પદ્માવતી માતા ]
[ ૨૫૩
સુખદશામાં છે એમ કહેવાય છે. પરિણામે સુખદુઃખનો અનુભવ થાય છે. પરંતુ મન જ્યારે વિષયોની અસારતા અને અનિત્યતાને પામીને, તેમાંથી હઠી જઇને અંતર તરફ વળે છે ત્યારે માનવીમાં કંડલિની અંતર્મુખ કે જાગૃત થઈ કહેવાય છે. ત્યારે તે જ્ઞાન અને આનંદનો અનુભવ કરે છે. બીજી રીતે કહીએ તો, કુંડલિની સૂતેલી હોય ત્યારે માનવી સંસારમાં જાગતો હોય છે; જ્યારે કુંડલિની જાગે છે ત્યારે માનવી સંસારીપણે વિરકત હોય છે, સૂતેલો હોય છે.
તંત્રશાસ્ત્ર પ્રમાણે કુંડલિની કરોડરજ્જુના છેડે મૂલાધાર ચક્રમાં સાડાત્રણ ચક્કર લગાવીને સર્પના (ભુજંગના) આકારે સુખદશામાં રહેલી છે. જ્યારે તે જાગૃત થાય છે ત્યારે સુષુમણા નાડીના દ્વારા પાસે આવેલા પોતાના મુખને ઊંચું કરી, તે દ્વારમાં થઇ, છ ચક્રોને વીંધી, મસ્તકમાં આવેલાં સહસ્ત્રદલ ચક્રમાં પહોંચી, પરમતત્ત્વ સાથે ઐક્ય સાધે છે. આ દિશામાં સાધક ગહન શાંતિ અને પરમ આનંદનો અનુભવ કરે છે. કુંડલિની શકિત એ શ્રી પદ્માવતી છે અને પદ્માવતી એ કુંડલિની શકિત છે.
શ્રી પદ્માવતીજી એ શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં અધિષ્ઠાત્રી દેવી છે. શ્રી પાર્શ્વનાથ ભગવાન એ ત્રેવીસમા તીર્થંકર છે. બીજું, પાર્થ નામે યક્ષ પણ છે. ત્રીજું, પાર્થ એટલે પાસે, સૌથી પાસે જે છે તે પોતાનો આત્મા. આત્મા એ જ પાર્થ છે, અને આત્મશકિત તે કુંડલિની છે, પા-પાવતી છે. તેલ અને તેલની ધાર તેમ આત્મા અને આત્મશકિત અભેદાત્મક છે. તેની શુદ્ધ અને પૂર્ણ સ્વરૂપે થતી સાધના-આરાધના સ્વ-રૂપનો સાક્ષાત્કાર કરાવનારી છે. અંતરયામીને ઓળખાવનારી છે. કૈવલ્યને આપનારી છે. અને અંતે પરમ પદ પર સ્થાપનારી છે. એ જ શ્રી = કેવલ કમલા = મોક્ષલક્ષ્મી = શ્રી પદ્માવતીજી કે શ્રી કુંડલિની શકિતનું સ્વરૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org