SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ [શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી પૂર્વકાલીન ગ્રંથકર્તાઓને સ્તુતિ વંદના આપણા પૂર્વકાલીન ગ્રંથરત્નો પ્રાસાદિક ગ્રંથો કહેવાય છે. કારણ, એના પ્રણેતા કલ્પનાસૃષ્ટિના નહીં, પણ વાસ્તવિકતાના પીઢ અનુભવીઓ હતા, વસ્તુના યથાર્થ દ્રષ્ટા હતા, આત્મા અને પ્રકૃતિનાં રહસ્યોને સમજીને વર્ણન કરનારા હતા. અકર્મ અને નૈષ્ફર્મ્સની ગૂંચ એમને ખરેખર તો ઊકલી ગઈ હતી. ધ્યાન કે જ્ઞાનના ભેદભેદ તેમણે ઓળખ્યા હતા. સંશય-ભ્રમને હતા-નહોતા કરીને આત્મા-પરમાત્મા વચ્ચેના આવરણને એમણે ચીરી-ફાડીને ઉડાડી દીધું હતું, કશીય શંકા એમના આત્મામાં ન હતી. એ પ્રતાપી પૂર્વજો નિઃશંક, નિર્ભય હતા. એમનું પારદર્શક જીવન શુદ્ધ અને શાંત હતું. એમની દૃષ્ટિ નિર્મળ અને નિર્વિકારી હતી. જમાનાની બદલાતી હવાની તેમને કોઈ અસર નહોતી. પ્રસન્ન અને ગંભીર, અનુભવી અને આત્મદર્શી એવા એમના ઉદ્ગારો સ્વયંભૂહતા, આત્મપ્રેરિત હતા, તટસ્થ અનુભવતા હતા. એવા રચનાકારોના એ ગ્રંથો માત્ર વાંચવાના નથી, પણ એ ગ્રંથકારોના જીવનમાં જે ગર્ભિત સાર ભર્યો છે; એ આપણા જીવનમાં પણ ઉતારવો છે, એવી શુભનિષ્ઠાથી એ ગ્રંથો વાંચવાના હોય છે; કર્તવ્યનિષ્ઠ બુદ્ધિથી, જિજ્ઞાસાદ્રષ્ટિથી, આત્મામૃતના પિપાસુ બનીને વાંચવાના છે અને એમની કૃપાથી જ શક્તિ-ચેતનાનો અનુભવ થવાનો છે એવી શ્રદ્ધા-ભક્તિથી ગ્રંથો વાંચવાના છે. એ પૂર્વકાલીન ગ્રંથોમાં પ્રજ્ઞાનાં જે ગાઢ-ગંભીર રશ્મિઓ ઝગારા મારી રહ્યાં છે, તેને પામવા અને તેનો અભ્યાસ કરવા આપણને અધિકારી બનાવે એવી મા શારદા-સરસ્વતીને આપણે પ્રાર્થના કરીએ. અન્વેષણ અને તુલનાત્મક દૃષ્ટિકોણથી તૈયાર થયેલા આ સંદર્ભગ્રંથના પ્રકાશન પ્રસંગે એ પૂર્વકાલીન ગ્રંથકર્તાઓને આપણી કોટિ કોટિ સ્તુતિવંદના હો. શ્રી પદ્માવતીજીના આ ગ્રંથ પ્રકાશન પ્રસંગે પૂર્વકાલીન જૈન સાહિત્યના અન્વેષક અને ચિંતક શ્રી સારાભાઈ મણિલાલ નવાબની કર્મઠ શક્તિના પ્રબળ પુરુષાર્થની પણ સ્મૃતિ તાજી થાય છે. આજના ભૌતિકવાદ અને વિજ્ઞાનના સમયમાં લોકોને ઉપયોગી બની રહે તેવું વિપુલ કલાસાહિત્યનું સર્જન કરી તેમણે જૈન સમાજને ચરણે ધર્યું છે. જુદા જુદા જ્ઞાનભંડારોમાંથી પૂર્વકાલીન હસ્તપ્રતો પ્રાપ્ત કરી પૂ. મુનિભગવંતોનો સંપર્ક સાધી માતૃભાષા ગુજરાતીમાં મોટાભાગનાં પુસ્તકો તેમણે પ્રગટ કર્યા છે. સાહિત્યના પ્રચાર અને સંવર્ધન માટે તેમણે આપેલો ફાળો અનન્ય અને અજોડ રહ્યો છે. પદ્માવતી ઉપાસના ઉપરનું તેમનું એક પ્રકાશન આ આયોજનને ખૂબ જ ઉપયોગી બની રહ્યું. જેન ધર્મમાં ચોગેશ્વર પાર્શ્વનાથ આજથી લગભગ ૨૮૬૯ વર્ષ પહેલાં કાશી નગરીમાં ભગવાન પાર્શ્વનાથનો જન્મ થયો. જૈન ધર્મના ૨૪ તીર્થકરોમાં ભગવાન પાર્શ્વનાથનું ૨૩મું સ્થાન રહ્યું છે. તેઓ મહાન સાધક હતા. તેમનાં યોગ, ધ્યાન અને સમાધિ અજોડ હતાં. શ્રમણ સંસ્કૃતિમાં તેમનાં મહિમા-ગૌરવ ખુબ ખુબ ગવાયેલાં છે. તેમનો ચતુર્યામી ધર્મોપદેશ જગમશહર હતો. તેમના ચમત્કારો લોકોમાં આજે પણ પ્રસિદ્ધ છે. પુ. શ્રી સિદ્ધસેન દિવાકરે રચેલા સ્તોત્ર દ્વારા શિવલિંગમાંથી પાર્શ્વપ્રતિમા પ્રગટાવી હતી. શ્રી અભયદેવસૂરિ, કે જેમણે સ્થંભન પાર્શ્વનાથનું સ્તોત્ર બનાવ્યું, અને પાર્શ્વનાથના પ્રભાવથી જ પોતાનો કુષ્ઠ રોગ તેમણે દૂર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy