SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ ] શકિતઉપાસના-કૈવલ્યયાત્રામાં શ્રી પાર્શ્વનાથોપસર્ગારિણી અચિંત્ય-ચિંતામણિ પદ્માવતીદેવી * પુષ્કરભાઈ ગોકાણી પ્રાચીનકાળમાં જે જે દેશોમાં માનવ-ઉત્ક્રાંતિ થઇ તે તે સ્થાનોમાં શકિત-ઉપાસનામાં માતૃકાનો મહિમા અગ્રસ્થાને રહ્યો છે, એટલું જ નહિ; વિશ્વની વિવિધ સંસ્કૃતિ અને ધર્મોમાં પણ માતૃપૂજાનો મહિમા કંઇ કંઇ રીતે ગૂંથાતો-ગવાતો રહ્યો, તેનું પ્રતીતિકર દર્શન આપવા સાથે સાધનાના માર્ગે અચિંત્ય-ચિંતામણિ પદ્માવતીદેવીનો મહિમા કેવો અને કેટલો છે તેનું અદ્ભુત વર્ણન આ લેખમાં કરવામાં આવ્યું છે. લેખક શ્રી પુષ્કરભાઇ ગોકાણીનો ઇતિહાસ પરિષદ્ સાથે વર્ષોથી સંબંધ રહ્યો છે. તેઓ એક ચેતનવંતા પ્રાજ્ઞપુરુષ છે. તેમણે કેટલાક લેખો દ્વારા, વૈજ્ઞાનિક પ્રયોગોના સમર્થનપ્રાપ્ત ઉલ્લેખો સાથે સ્વર, ધ્વનિ, માતૃકાઓની ઉપાસનાઓના વૈશ્વિક ઇતિહાસની ઝાંખી કરાવી છે. પ્રસ્તુત લેખમાં પણ તેમની વ્યાપક અને વિશદ દષ્ટિનાં દર્શન થાય છે. સંપાદક વિશ્વમાં પાંચ લાખ વર્ષ પહેલાંના જાવા મનુષ્યના અવશેષો મળી આવે છે. તેણે બહુ જ આદિમ હથિયારો બનાવ્યાં હતાં. તેની ઉત્ક્રાન્તિ થતાં હાઇડલબર્ગ મનુષ્ય, પછી પેકીન મનુષ્ય, પછી શ્વાનસ્કોમ્બ માનવ, સ્ટેઇનહેઇમ મનુ થતાં થતાં ચાર લાખ વર્ષ વીતી ગયાં. જાવા માનવનું મગજ બહુ જ નાનું ગિલન અને એઇપ વાનર જેવું હતું, જે યુવા બને ત્યાં સુધી માતાને વળગીને જીવે છે. આપણા ધર્મોમાં માતૃપૂજાનું મૂળ આ આદિમ માનવવૃત્તિમાં છે એમ નૃવંશીય તજ્જો દર્શાવે છે. માતૃકા આદિમ માનવનું સર્જન છે. ફોન્તે ચેવદે માનવ, દક્ષિણ આફ્રિકાના સાલ્કાન્હા આદિમ માનવ, ઉત્તર અમેરિકામાં કેનેડાની સરહદે દક્ષિણપૂર્વમાં કારમેલ પર્વતમાં તથા યુરોપ, મધ્ય એશિયા, આફ્રિકામાં વ્યાપ્ત નીઆન્ડરથાલ માનવ - ગુફા માનવ - ૪૦ થી ૫૦ હજાર વર્ષ પહેલાં થયા; અને ૨૦ હજાર વર્ષ પહેલાં ક્રોમેગનાન માનવ થયો. ત્યાં સુધીમાં માનવ ચરવાહ અને નદીકાંઠે ખેતી કરતો થયો. પ્રાચીન-પ્રાગ્ ઐતિહાસિક માનવ ગુફાઓ નોર્વેની પહાડીઓ, આલ્પ્સ, તુર્કી, ઇરાન, હિંદુકુશથી સાતપુડાની પહાડીઓની ગુફાઓમાં વસેલાં માનવોએ દોરેલાં ચિત્રોમાં માતા-- વિશાળ સ્તનોવાળી માતા-નાં ચિત્રો ખૂબ મળે છે. દસથી છ હજાર વર્ષ પહેલાં પાંગરેલ ઋષિસંસ્કૃતિમાં ઋગ્વેદ શ્રુતિઓમાં પ્રકૃતિ, ઉષા, ઘાવા, પૃથિવી, ભારતી, બ્રાહ્મી શકિતની સ્તુતિ-પૂજાના મંત્રો મળી આવે છે. આર્યસંસ્કૃતિ નોર્વે [ જ્યાં હાલ પણ નેમુના (યમુના) તાપ્સી (તાપી) સોબ્રોતી (સાબરમતી કે સરસ્વતી) નદીઓ છે ]થી લુર્ક, અઝરબૈજાન, ઇરાક, ઇરાન (આર્યન) થઇ ભારતમાં સિંધુતીરે આવી ત્યારે ત્યાં વસેલા આદિવાસીઓની મોહન-જો-દડો અને હરપ્પાની સંસ્કૃતિમાં મળી આવેલી મુદ્રાઓમાં શકિત-માતૃકા સામે માનવ કે અજ બલિ અપાતી નકશી મળી આવી છે અને માટીમાં પકવેલી માતૃકાની પૂતળીઓ પણ મળી આવી છે. માનવ સંસ્કૃત થયો કે આદિમ રહ્યો, ત્યાં સર્વત્ર તેની તરફ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy