SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી જ ખીલેલાં પાપાંખડી સમાં વિશાળ અને સહેજ અરુણાભ, નાજુક કર પણ પદ્મ સમાન,પદ્મ સમાન ચરણપલ્લવવાળા, પદ્માસીના, પદ્મમાળાવિભૂષિતા છે. વળી શ્રી લલિતા જેમ શ્રી શ્રી પદ્માવતીજી પણ દિવ્યાબા, મિરા અને સિંદુરીવિદ્દા છે એમ તેમનાં અષ્ટોત્તરશત નામોમાંથી જાણવા મળે છે. શ્રી લલિતા અને શ્રી શ્રી પદ્માવતી બને ત્યHIનવા-હૃદયકમળમાં વસનારાં છે. શ્રી પદ્માવતી પ્રાતઃ સ્મરણસ્તોત્રમાં તેમને સૂર્ય, ચંદ્ર, વનિનેત્રવાળાં અને અષ્ટમીના અર્ધચંદ્રથી વિભૂષિત અલકાવલીવાળાં બતાવ્યાં છે. આ વર્ણન પણ શ્રી લલિતાંબાના વર્ણનને મળતું છે. તેઓના સિંહાસન સર્પકુંડલિની દેખાય છે ને મસ્તક પર ત્રણ, પાંચ કે હજાર ફણાઓ પણ શોભતી દેખાય છે. અધ્યાત્મની રીતે આસન નીચે સર્પવલય એ કુંડલિની-શકિત સાથે અભિન્નતા અને મસ્તક પર ફણાઓ સહસ્ત્રારચક્રમાં કુંડલિનીનું સામંજસ્ય સૂચવે છે. ટૂંકમાં, આપણે એવા નિષ્કર્ષ પર આવી શકીએ કે જૈનશાસ્ત્રમાં શ્રી શ્રી પદ્માવતીજીનું સ્વરૂપ, અપાર મહિમા, પૂજાવિધાન, યંત્ર વગેરે અસ્તિત્વમાં છે અને ભલે શ્રી શ્રી પદ્માવતીજીને ભગવાન સાથે સંબધ્ધ માન્યા હોય અને તેમનું કાર્ય પણ ભલે જરા જુદા પ્રકારનું હોય, પણ દસ મહાવિદ્યાદેવીઓમાંની બે-ત્રણ દેવીઓ સાથે તેમનું ઘણું સામ્ય છે; અને શ્રી શ્રી પદ્માવતીજી અને અન્ય આગમો (ધર્મો)ની દેવીઓનાં આવા સામ્ય અંગે પ્રાયઃ કોઈને વિરોધ ન હોય શકે. સંદર્ભો : (૧) વામકેશ્વર તંત્ર-નિયા પોડશિકાર્ણવ, આનંદાશ્રમ સીરીઝ. (૨) લલિતા સહસ્ત્ર-- નામ-સૌભાગ્યભાસ્કર ટીકા, નિર્ણયસાગર. (૩) હિન્દી કલ્યાણ'નો શકિત ઉપાસના અંક, લેખકો : શ્રી શાન્તનુવિહારી દ્વિવેદી, પં. આદ્યાચરણજી ઝા, ડૉ. સનકુમારજી શર્મા વગેરે. (૪) મંત્ર રહસ્ય, ડ. નારાયણદત્ત શ્રીમાળીજી. (૫) વરિવસ્થા રહસ્ય, પં. ભાસ્કરરાયજી. (૬) મહાનિર્વાણતંત્ર. (૭) શાકતપ્રમોદ, (૮) શ્રી કાલિકાપુરાણ. (૯) શ્રી માર્કણ્ડેય પુરાણ. (૧૦) શ્રી દુર્ગાસપ્તશતી-અટીકોપેતા. (૧૧) શ્રી સાધનસમર, બ્રહ્મર્ષિ સત્યદેવ. (૧૨) મહાનિર્વાણ તંત્ર. (૧૩) ધ શકિત એન્ડ ધ શાકતઝ, આર્થર એવલોન. (૧૪) ધ સર્પન્ટ પાવર, આર્થર એવલોન અને સર જોન વુડરોફ. (૧૫) ધ ગારલેન્ડ ઓફ લેટર્સ, આર્થર એવલોન અને સર જોન વુડરોફ. (૧૬) શાકતસંપ્રદાય, દી. બ. નર્મદાશંકર મહેતા. (૧૭) સૌન્દર્યલહરી-વિવિધ ટીકાઓ સાથે. = . કાકા અરસામાં જ. . . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy