________________
૨૩૨ ]
[ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી
(૪) છિન્નમસ્તા, (૫) ધૂમાવતી, (૬) ભુવનેશ્વરી, (૭) પોડશી, () ત્રિપુરસુંદરી, (૯) માતંગી, (૧૦) કમલા.
દસ મહાવિદ્યાદેવીઓની ઉત્પત્તિની કથા :
શ્રી દક્ષ પ્રજાપતિના યજ્ઞ મહોત્સવમાં જવા માટે શ્રી શિવપ્રિયા સતીજી તૈયાર થયાં, પણ શ્રી શિવે તેમાં જવા ના પાડી ત્યારે તેમનાં શ્રીઅંગમાંથી દસે દિશાઓમાં શ્રી શિવને અવરોધતી દસ મહાશકિતઓ પ્રગટ થઈ. શ્રી શિવ ગભરાયા અને આ કોણ દેવીઓ છે ? એમ પૂછતાં ઉત્તર મળ્યો--
'ये यं ते पुरतः कृष्णा सा काली भीमलोचना ।'
આ તમારી સામે શ્યામ વર્ણની, વિકરાળ નેત્રોવાળી છે તે શ્રી કાલી છે.” 'श्यामवर्णा च या देवी स्वयमवं व्यवस्थिता । सेयं तारा महाविद्या महाकालस्वरुपिणी ॥'
આ ઉપરની દિશા તરફ તમારો માર્ગ રોકી ઊભી રહેલી શ્યામવર્ણા દેવી તે શ્રી તારા છે.' 'सव्येतरेयं या देवी विशीर्षातिभयप्रदा । इयं देवी छिन्नमस्ता महाविद्या महामते ।।
'તમારી જમણી તરફ મસ્તકરહિત એવી ભય પમાડનારી આ દેવી એ શ્રી છિન્નમસ્તા મહાવિદ્યા છે.'
'वामे तवेयं या देवी सा शम्भो ! भुवनेश्वरी । पृष्ठतस्तव या देवी बगला शत्रुसूदनी ।'
'તમારી ડાબી બાજુએ છે તે શ્રી ભુવનેશ્વરી છે અને પાછળ છે તે શત્રુવિનાશિની શ્રી બગલામુખી મહાવિદ્યાદેવી છે.'
' वह्मिकोणे तवेयं विधवारुपधारिणी । सेयं धूमावती देवी महाविद्या महेश्वरी ।।' “તમારા અગ્નિકોણમાં વિધવારૂપધારિણી છે તે ધૂમાવતી છે જે મહેશ્વરી મહાવિદ્યાદેવી છે.” ' नैऋत्यां तव या देवी सेयं त्रिपुरसुंदरी । वायो वा ते महाविद्या सेयं मतङ्गकन्यका ।।' 'તમારી નૈઋત્યે રહેલાં શ્રી ત્રિપુરસુંદરી છે ને વાયવ્ય શ્રી માતંગીદેવી છે.'
'ऐशान्यां षोडशी देवी महाविद्या महेश्वरी । अहं तु भैरवी भीमा शम्भो ! मा त्वं भयं શુ '
ઇશાનમાં મહાવિદ્યાદેવી ષોડશી છે (નીચે પૃથ્વી પર શ્રી કમલા છે) અને હું શ્રી ત્રિપુરભૈરવી છું. હે શંભુ ! તમે ભયભીત ન બનો.'
આ કથા તો બરાબર છે; પણ પાંચ પ્રાણ અને પાંચ ઉપપ્રાણને, પાંચ તન્માત્રાઓ યુકત પંચ મહાભૂતોને તેમજ પાંચ પાંચ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયોને શકિત પ્રદાન કરનારી અને તેમનાં મૂળરૂપને જાણવાથી મુકિત આપનારી મહાકાળની દસે દિશાઓમાં વ્યાપ્ત દસ મહાવિદ્યાદેવીઓ છે.
ભગવતીનાં સૌમ્ય અને ઘોર રૂપ આપણા દેશમાં અને વિશ્વમાં આદિકાળથી પૂજાતાં આવ્યાં છે. માર્કન્ડેય પુરાણ કહે છે તેમ,
सौम्यानी यानि रुपाणि त्रैलोक्ये विचरन्ति ते । यानि चात्यंत घोराणि तै रक्षास्मान्तथा भुवम् ॥' -- “તમારા રૈલોકયમાં વિચરતાં જે સૌમ્ય રૂપો છે અને અત્યંત ભયાનક રૂપો છે, તેની દ્વારા અમારું અને પૃથ્વીનું રક્ષણ કરો.'
સૃષ્ટિની પ્રલયાવસ્થા સમયની અધિષ્ઠાત્રી ભગવતી મહાકાલી છે. તે બ્રહ્મની ગુણરહિત સ્થિતિ બતાવતી હોવાથી તેની અંધકારના સમયે, વિશેષે કરીને રાત્રિના સમયે ઉપાસના કરવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org