________________
૨૩૦ ]
( શ્રી પાણ્વનાથોપસર્ગ-હારિણી
મા ભગવતી પદ્માવતીજી સકલ સિદ્ધિદાત્રી છે. પદ્માવતી સ્તોત્રમાં એક મહાપુરુષે લખ્યું છે કે, 'भक्तानां देहि सिद्धिं मम सकलमद्यं देवि ! दुरीकुरुत्वं । सर्वेषां धार्मिकाणां सतत-नियमित वांच्छितं पूरयस्व । संसाराष्पौ निमग्नं प्रगुण-गुणयुतं जीवराशिं च त्राहिं, श्रीमज्जैनेन्द्र धर्म प्रकट्य -विमक्तं देवि ! पद्यावती त्वम् ।।'
'ભકતજનોને તમામ પ્રકારની સિદ્ધિ આપનારી મા ભગવતી પદ્માવતીજી છે. શ્રી, સિદ્ધિ અને શારદા આપનારી છે. મા ભગવતી પદ્માવતીજીનું નામસ્મરણ સુખકારી છે. તેમને કરેલું વંદન અનેક કષ્ટોને કાપનારું છે. તેમની કરેલી પૂજા પ્રભુતાના શિખરે પહોંચાડનારી છે. જેમના નામ-મંત્રનું સ્મરણ કરવાથી ભૂત, પ્રેત, પિચાશ દૂર દૂર ભાગે છે, યક્ષો અને રાક્ષસો પણ કંપે છે. જેઓ તમામ પ્રકારના દોષોનું દમન કરે છે, ગ્રહોનું અશુભપણું મટાડે છે, તેવા મહાદેવી પદ્માવતીજી સકલ કરોને દૂર કરનારાં અને દરિદ્રતાને દૂર દૂર ભગાડીને સૌભાગ્ય-લક્ષ્મી આપનારાં છે.' અરે, તેઓ રંકને પણ રાય બનાવનારા છે, વંધ્યાને પુત્ર આપનારાં છે અને મૂર્ખને પંડિત બનાવનારા છે. તેઓ સરસ્વતીરૂપે સર્વ વિદ્યાઓને આપનારા છે, લક્ષ્મીરૂપે વિપુલ સંપત્તિને આપનારા છે. મા ભગવતી પદ્માવતીજીની કૃપાથી જગતભરનું તમામ ભૌતિક અને આધ્યાત્મિક સુખ પ્રાપ્ત થાય છે. એવા મા ભગવતી પદ્માવતીજી સકલ સિદ્ધિદાત્રી છે.
पद्मासना पद्मदलायताक्षी पद्यानना पद्य कराङ्धि-पद्या ।
पद्यप्रभा पार्श्व-जिनेन्द्र सक्ता, पद्यावती पातु फणींद्रपत्नी ।। -- કમલનાં આસનવાળી, કમલપત્ર જેવાં દીર્ધ નેત્રવાળી, કમલ જેવા હાથ અને કમલ સમાં ચરણોવાળી, કમલ જેવી કાંતિવાળી શ્રી પાર્શ્વનાથ જિનેન્દ્રની શાસનદેવી તથા સર્પરાજ શ્રી ધરણેન્દ્રની પત્ની શ્રી પદ્માવતીદેવી મારી રક્ષા કરો.
પદ્માવતીજીનું એક છે વિશેષ સ્વસ્થ “વેરના વમળમાં પુસ્તકમાંથી સાભાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org