________________
શાસનદેવી શ્રી પદ્માવતી માતા ]
[ ૨૨૭
સકલ સિદ્ધિદાત્રી માતા પદ્માવતીજી
* શ્રી જશુભાઈ જે. શાહ
આ શ્રદ્ધાના આવિષ્કારમાં ભાવ પ્રધાનપણે ભાગ ભજવે છે. ભાવ જગાવવાનાં નિમિત્તોમાં ઘણાં પરિબળો કામ કરતાં હોય છે. અહીં શ્રદ્ધાને જગાડનારા ૧૦ પદાર્થોને બ્લોકને આધારે સમજાવ્યા છે. સિદ્ધિનાં આ દસે સોનેરી સોપાનો જાણો, માણો અને અનુભવો !
-- સંપાદક
પ્રાણી માત્ર સુખ ઇચ્છે છે, સુખ માટે રાતદિવસ પુરુષાર્થ કર્યા કરે છે; છતાંય પોતાની ઇચ્છા પ્રમાણેનું સુખ પામી શકતો નથી. કાર્યની સફળતા માટે અનેક પ્રયત્નો કરવા છતાં જીવ જ્યારે તેમાં નિષ્ફળ જાય છે ત્યારે ઉદાસ બની જાય છે, મૂંઝાય છે, ભાંગી પડે છે. આ મૂંઝવણને દૂર કરવા અંતે દેવ-દેવીઓની ભકિત-પૂજા-આરાધના-ઉપાસના કરવા પ્રેરાય છે. આમ જોઇએ તો માનવી બે પ્રકારની સિદ્ધિઓની ઝંખના કરતો હોય છે : (૧) આધ્યાત્મિક સિદ્ધિ અને (૨) ભૌતિક સિદ્ધિ. એટલે કે, આધ્યાત્મિકજ્ઞાન પ્રાપ્ત કરી, પરમાત્મા પ્રત્યે પૂર્ણ ભક્િતભાવ ધરી, પરમાત્મા-કથિત માર્ગે પ્રયાણ કરવા ઇચ્છતો માનવી પ્રથમ વર્ગમાં આવે છે. જ્યારે સંસારના સુખોની પ્રાપ્તિ માટે ઝંખના કરતો માનવી બીજા પ્રકારમાં આવે છે. આ બંને પ્રકારની સિદ્ધિઓ આપનાર જો કોઈ હોય તો તે જૈનશાસનની અધિષ્ઠાયિકા દેવી મા ભગવતી પદ્માવતી છે, જે ત્રેવીસમા તીર્થપતિ, પુરુષાદાનીય, પરમ પ્રભાવક, જીવમાત્રના વિશ્રામસ્થાન એવા શ્રી પાર્શ્વનાથ પરમાત્માના શાસનની શાસનદેવી છે.
મા ભગવતી પદ્માવતીજી સકલ સિદ્ધિદાત્રી છે. જગતભરમાં આ એક દેવી એવી મહાન છે કે જે સકલ સિદ્ધિદાત્રી તરીકે સ્તવાયેલાં છે. મા ભગવતી પદ્માવતીજી મહામહિમાવંતાં છે. તેમનો મહિમા ઘણો મોટો છે. જે કોઈ પદ્માવતીજીને શરણે જાય છે તે પોતાના કાર્યની સિદ્ધિ પ્રાપ્ત કરે છે. મા ભગવતી પદ્માવતીજીની અનન્ય ભાવે ઉપાસના કરવાથી સિદ્ધિઓ એનાં ચરણોમાં ઝૂકે છે, આધિ-વ્યાધિ-ઉપાધિ એનાથી દૂર ભાગે છે. મા જેવી મમતાથી પોતાના બાળકની તમામ ઇચ્છાઓ પૂર્ણ કરે છે તેમ, મા ભગવતી પદ્માવતીજી પોતાના ભકતોની તમામ ઇચ્છાઓ પૂર્ણ કરે છે. આ અંગે સ્તોત્રકારના શબ્દો (શ્લોકો) તેમ જ તેના અર્થો અને ભાવાર્થો જોઇએ.
लक्ष्मी-सौभाग्यकरा जगत् सुखकरा वन्ध्यासुपुत्रापिता, नानारोगविनाशिनी अधहरा पुण्यात्मनां रक्षिका । रङ्कानां धनदायिका सुफलदा वांच्छार्थि - चिन्तामणिस्त्रैलोक्याधिपतिर्भवार्णवतरी पद्मावती पातु वः ।।
ની-સૌભ|RT : મા ભગવતી પદ્માવતીજી પોતાના ભકતજનો, આરાધકો અને ઉપાસકોને લક્ષ્મીની લબ્ધિ, સિદ્ધિ અને સૌભાગ્ય આપનારાં છે; એટલે કે, ધન, દોલત, યોગ્ય પત્ની, યોગ્ય પરિવાર, ધંધા-રોજગારની આબાદી અને સમાજમાં ગૌરવભર્યું સ્થાન આપનાર છે. મા ભગવતી પદ્માવતીજીની કૃપાથી અનેક માનવોએ લક્ષ્મીનું સુખ પ્રાપ્ત કરેલ છે.
નત મુવા : જગતમાં જે કોઇ મા ભગવતી પદ્માવતીની આરાધના કરે. ભકિત કરે. પછી ચાહે તે ગમે તે ધર્મને માનતો હોય, ગમે તે જ્ઞાતિનો હોય, સ્ત્રી હોય, પુરુષ હોય કે બાળક હોય-- એ સૌનાં દુઃખ દૂર થાય છે; અને મા ભગવતીની કૃપાથી સુખ પ્રાપ્ત કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org