SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા] ૧૯ સ્વીકાર્ય ગણાય છે. શક્તિની ઉપાસના સંબંધે ડૉ. કુસુમલતાબેન જૈન અને નીલમબહેન માંગુકિયાના લેખોમાં સુંદર રીતે વિવરણ આલેખાયું છે. વિશેષમાં અન્ય દર્શનોમાં શ્રી પદ્માવતીજી અને અન્ય દેવીઓની કેવી-કેવી સ્વરૂપ-સેવા છે, મંત્રાદિ છે અને શ્રી પદ્માવતીજીની સાથે યત્કિંચિત પણ સામ્ય ધરાવતાં શ્રી દસ મહાવિદ્યાઓમાંથી શ્રી લલિતામ્બિકા, શ્રી કમલા, શ્રી પદ્મા, શ્રી મહાલક્ષ્મીજી વગેરે દેવીઓનાં તે તે તંત્રોમાં, શાક્તપ્રમોદ, શારદાતિલક, મહાનિર્વાણ, તારાતંત્ર, મંત્રમહોદધિ, મંત્રમહાર્ણવ આદિઆગમો-તંત્રો આદિમાં શી-શી માહિતીઓ છે, શા-શા ઉપાસના માર્ગો, તેની પાછળનાં આધ્યાત્મિક રહસ્યો શું છે? એ તુલનાત્મક દ્રષ્ટિએ જાણવું પણ રસપ્રદ તેમ આવશ્યક હોય છે. ડૉ. નારાયણ કંસારાનો લેખ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં પણ વાંચવા જેવો છે. સ્વધર્મ-સ્વમંત્ર-સ્વગુરુમાં, સ્વકીય શાસ્ત્રોનીપરિપાટીમાં, અનન્ય શ્રદ્ધા અને સંપૂર્ણ શરણાગતિભાવ એ જ વ્યક્તિનો પરમ મુક્તિમાર્ગ છે. ધર્મ-સાધના-મંત્ર-ગુરુ-શાસ્ત્રો વારંવાર બદલનારા ચલિત, ભ્રમિત કે સંશયગ્રસ્તને સિદ્ધિલાભ, શાંતિલાભ કદી મળતા નથી, આપણું ઉત્તમ' એમ કહેવા સાથે અન્યત્ર પણ જે અંશે ઉત્તમ હોય તેને તે અંશે ઉત્તમ રૂપે સ્વીકારવામાં આવે તો તે સ્યાદ્વાદનો પુરસ્કાર કર્યો ગણાય. (૧) આપણું ઉત્તમ આપણે કદી ન છોડીએ. (૨) આપણી પરંપરાને બળ મળે; આપણો વિશ્વાસ, આપણી શ્રદ્ધા, આપણું સંબલ વધે એવુંજ અન્યનું પણ સાપેક્ષ ભાવે સ્વીકારીએ -ને તે પણ વિદ્યાવૃદ્ધિ અને ચેતો વિસ્તાર પૂરતું જ. (૩) આપણી પરંપરાઓને બાધક કશું ન સ્વીકારીએ - દૃષ્ટાંતરૂપે, દાક્ષિણાત્ય તંત્રોની સાધના પદ્ધતિઓ અને તેનું અધ્યાત્મનિરૂપણ શું છે, તે અપેક્ષાએ તે જાણવું-જોવું એ ગ્રાહ્ય ગણાય, પણ વામમાર્ગીય તંત્રો કે કુલાચારની છાયાને પણ સ્પર્શવાનો વિચાર સુધ્ધાં ન ઉદ્ભવવો જોઈએ. પ્રસ્તુત ગ્રંથમાં જૈન ધર્મમાં જે સોળ વિદ્યાદેવીઓ છે એ મહાવિદ્યાઓ અને શ્રી શ્રી પદ્માવતીજી, શ્રી મહાલક્ષ્મીજી અને શ્રી પદ્માવતીજી, શ્રીવિદ્યા અને શ્રી પદ્માવતીજી, શ્રીયંત્ર ઉપાસના, મંત્ર અને તેનાં પુરશ્ચરણો; તેમજ વિશ્વમાં શક્તિ-ઉપાસના, વિવિધ ધર્મોમાં શક્તિની ઉપાસના, શ્રીયંત્રો અને તેની ઉપાસના આદિ અનેક વિષયો ઉપર તે તે વિષયોના પ્રમાણભૂત, સિદ્ધહસ્ત ગણાય તેવા, આંગળીને વેઢે ગણાય તેવા, આજના ભૌતિકવાદના આક્રમણમાં પણ પલાંઠી વાળીને વિદ્યા, સરસ્વતી, શાસ્ત્રો અને અનુષ્ઠાનોમાં લાગેલા વિખ્યાત વિદ્વાન પંડિતોના લેખો અહીં સાદર પ્રસ્તુત કર્યા છે; તેમાં વિદ્યાની, સારસ્વતસાધનાની, જ્ઞાનની ભારોભાર અનુમોદના છે. અગોચર ભૂમિમાં ધરબાયેલા નિધાનને પ્રગટ કરવા પ્રબળ પુરુષાર્થ કરવો જ પડે છે. શોધ-સંશોધનથી આ રહસ્યો વધુફુટથાય છે. સાધનાની પગદંડીએ સાવધાની જરૂરી નહિ પણ અનિવાર્ય છે. દેવી પદ્માવતીજી કેવી રીતે સર્વસિદ્ધિ પ્રદાત્રી છે તે આ ગ્રંથમાં વાંચવા મળશે. સકલ સિદ્ધિનાં દ્વાર ખોલનારી મા ભગવતી પદ્માવતી છે એવું તારણ જરૂર આ ગ્રંથમાંથી મળી રહેશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy