SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] કાવ્યમાં ઉલ્લેખ કર્યો છે. પાલીતાણા જૈન સાહિત્યમંદિરમાં સર્જાયેલો અભૂતપૂર્વ ચમત્કાર : પાલીતાણા જૈન સાહિત્યમંદિરમાં વિ. સં. ૨૦૪૮માં ફાગણ સુદ બારસે ધર્મવિહારના ચોકમાં બિરાજમાન શ્રી પદ્માવતીજી જેમની પ્રતિષ્ઠા થયે માત્ર પાંચેક વર્ષ જ થયાં છે તે ભગવતીજીએ રાતના નવ વાગે સેંકડો નહિ પણ હજારો યાત્રિકો દહેરાસરમાં ભવ્ય આંગીના દર્શનાર્થે આવી રહ્યા હતા ત્યારે માતાજીએ એકાએક ‘આંખ બંધ-ઉધાડ' કરવાનો પ્રારંભ કર્યો, જે ચમત્કાર લગભગ રાતના ૧૧૫ સુધી એટલે કે રાા કલાક સુધી ચાલ્યો હતો. ઓછામાં ઓછા દશેક હજાર માણસો પોતાની નરી આંખે આ ચમત્કાર જોઈને ભારે આનંદમાં આવી ગયા હતા. પ્રજાનો-યાત્રિકોનો ખુશીપાનો કોઈ પાર ન હતો. આ ચમત્કાર સાહિત્યમંદિરમાં કરવાનું કારણ મારી ઉપસ્થિતિ જ હતી. કોઈપણ ચમત્કાર પ્રાયઃ અડધા કલાકથી વધુ ભાગ્યેજ ચાલે છે પણ અહીં અઢી-અઢી કલાક સુધી આ ચમત્કાર ચાલ્યો એમાં કેટલાંક કારણો હતાં. આવો ચમત્કાર જૈનસંધમાં અમારી સમજણ મુજબ કયારેય પણ થયો હોય તેવું જાણવા મળ્યું નથી. જૈનેતરના મંદિરોમાં પણ કોઈ દેવીએ આવો ચમત્કાર સર્જ્યો હોય તેવું પણ જાણ્યું નથી. આ એક અભૂતપૂર્વ અને અજોડ ઘટના હતી. ૬ ૨૧૫ આવો અણધાર્યો જબરજસ્ત ચમત્કાર એકાએક સર્જી સહુને આશ્ચર્યના સાગરમાં ડુબાડનાર માતાજીના ચમત્કારના વાર્ષિક દિને માતાજી પ્રત્યે ભકિતભાવ દાખવી પૂજન આદિ કરવું જોઇએ. જેથી સવારે ૧૦થી ૧૨ વાગ્યા સુધી સંક્ષિપ્ત પૂજન, ગુણગાન, ગીતો અને ભકિતનો પોગ્રામ રાખો હતો. બીજીવાર બીજા જ વર્ષે પાછો બતાવેલો ચમત્કાર : કારણ ગમે તે હશે પણ બીજા વર્ષે એટલે સં.૨૦૪૯માં ફાગણ સુદિ બારસના દિવસે રાતના ફરી પાછો ૧૦થી ૧૨ા સુધી આંખ બંધ-ઉઘાડનો ચમત્કાર સર્જ્યો. જાણીને સ્તબ્ધ બની ગયો. માતાજી આટલી બધી કૃપાવર્ષા શા માટે કરી રહ્યા છે અને તેની પાછળના સંકેતો શું છે તે વિચારતાં એવું સમજાયું છે કે, મા પ્રજાને કહેવા માગે છે, ચેતવવા માગે છે કે આ કાળમાં વ્યકિતમાં, સમષ્ટિમાં અનેક તકલીફો, કષ્ટો, ચિંતાઓ, વ્યથાઓ અને પ્રશ્નો એટલા બધા ઉપસ્થિત થઇ ગયા છે કે જેથી માણસ ત્રાહિમામ્ પોકારે છે. તેવી પરિસ્થિતિમાં ભગવાન શ્રી પાર્શ્વનાથની થોડી સાધના-ઉપાસના, સાથે સાથે મારો જાપ વગે૨ે કરશો તો તમારા પુણ્ય પ્રમાણે તમને યથાશકિત સહાયક બનીશ. મુંબઈ-વાલકેશ્વર પદ્માવતીજીનું પ્રધાન સ્થાન : વિ. સં. ૨૦૦૭માં મુંબઈ-વાલકેશ્વરમાં માતાજીની અલૌકિક મૂર્તિની પ્રતિષ્ઠા થયા બાદ હજારો લોકો એટલા બધા પ્રભાવિત થઈ ગયા કે તેઓ હજારો લોકોનું શ્રદ્ધાનું સ્થાન બની ગયા. આ મૂર્તિ મારા હસ્તક તૈયાર થઈ અને પૂજ્ય ગુરુદેવો સહ અમોએ પ્રતિષ્ઠા કરાવી. વાલકેશ્વરમાં બિરાજમાન થયા પછી મુંબઈમાં કેટલાંક આકર્ષક પ્રભાવશાળી નિમિત્તો ઊભાં થયાં, એના કારણે માતાજીના ઉપાસક અનેક સાધુઓ, સાધ્વીજીઓ અને ભકતોને માતાજીના અનેક અનુભવો થતા રહ્યા છે, જેના કારણે ૨૫ વર્ષની અંદર જયપુરના મૂર્તિ ઘડનારા કલાકારોએ આપેલી માહિતી મુજબ આખા દેશમાં નાની-મોટી થઈને હજારેક મૂર્તિઓ પદ્માવતીજીની બિરાજમાન થઈ ગઈ છે. આ આરસની મૂર્તિઓ પાંચ ઈંચથી લઈને ૬૧ ઈંચ સુધીની બનેલી છે અને ૪૧ તથા ૫૧ ઈંચની મોટી મૂર્તિઓ લગભગ બે ડઝનથી વધારે બિરાજમાન થઈ છે. પૃથ્વી પાણીનો સંગમ થાય ત્યાં બિરાજમાન થવાની મા ૧. વાલકેશ્વરમાં મલબાર હીલ એ જબરજસ્ત પૃથ્વીતત્ત્વ અને જોડાજોડ સમુદ્ર એ અપાર જલતત્ત્વ અને બંનેના સંગમ સ્થાને થયેલી શકિતની સ્થાપના ખૂબ પ્રભાવિત બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy