________________
૨૧૪ ]
"કુંડલિની" સંજ્ઞક સૂચવે છે. કુંડલિની એ પદ્માવતીદેવીનું જ બીજું નામ છે એમ અભ્યાસીઓ માને છે. સાદો સર્પ પણ બતાવી શકાય છે.
[ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી
દેશમાં તીર્થંકરોમાં વધુ મંદિરો, મૂર્તિઓ પાર્શ્વનાથજીની અને દેવીઓમાં સૌથી વધુ મૂર્તિઓ પદ્માવતીજીની :
પદ્માવતી દેવીનાં આસન, વાહન અને આયુધો વગેરે બાબતોમાં મત-મતાંતરો છે. કાયા અને વસ્ત્રો માટે પીળો અને લાલ બે રંગો જણાવ્યા છે. શ્વેતાંબરોમાં ચાર હાથવાળી મૂર્તિ પ્રસિદ્ધ છે અને દિગમ્બરોમાં ચાર ઉપરાંત વીશ હાથવાળી મૂર્તિઓ બનેલી છે. વીશ હાથવાળું દેવી સ્તોત્ર પણ મળે છે. દેશમાં ભગવાન શ્રી પાર્શ્વનાથનાં મંદિરો સૌથી વધુ એટલે પદ્માવતીજીની મૂર્તિઓ પણ વધુ. પાલીતાણાના ગિરિરાજ ઉપર નવ ટૂંક અને દાદાની ટૂંકમાં એકથી વધુ મૂર્તિઓ પદ્માવતીજીની છે. પહાડની ભૂમિ પવિત્ર અને શુદ્ધ હોય છે, અને ત્યાં શકિતઓનો વાસ વધુ હોય છે. તેમજ ત્યાં કરેલી સાધના શીઘ્ર ફળે છે. માતાજીનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર આવા સ્થળે શકય બને છે, માટે ત્યાં વર્ષો પહેલા યતિઓ દ્વારા છાલાકુંડ પાસે માતાજીનું મંદિર બન્યું છે. દેવ-દેવીઓનાં ૧૦૮ નામનાં સ્તોત્રો આવે છે, પણ ૧૦૦૮ નામનાં સ્તોત્રો બહુ જ ઓછાં રચાયાં છે એમ છતાં મા પદ્માવતીજીના જીવતા જાગતા પ્રભાવને કારણે ભગવતી શ્રી પદ્માવતીજીનાં ૧૦૦૮ નામનું સ્તોત્ર પણ રચાયું છે. આ સ્તોત્રમાં ઘણાં ઘણાં વિશેષણ સમજવા જેવાં છે. તેમાં શકિતઓને જૈન-અજૈન સ્તોત્રોમાં મુક્તિમુક્તિપ્રા તરીકે પણ વર્ણવી છે. એટલે તે ભૌતિક-આઘ્યાત્મિક સુખ આપી મુકિતમાર્ગની સહાયક, કર્મક્ષય કરાવનારી જણાવીને બાહ્ય-આત્યંતર બન્ને રીતે સહાયક થનાર તરીકે જણાવી છે.
૧૯-૨૦ના સૈકામાં યતિઓ* (ગોરજી) જ્યારે મોગલો- પેશવાઓની અંદર અંદરની લડાઈઓ અને નાનાં-મોટાં યુદ્ધો ખૂબ ચાલતાં હતાં તે વખતે જૈનશાસન અને પોતાની રક્ષા માટે ચાર-પાંચ જાતના દેવ-દેવીની સફળ સાધનાઓ કરતા હતા, અને દેવ-દેવીઓનો સાક્ષાત્કાર પણ કરતા હતા. તેમજ સિદ્ધ થયેલી સાધના દ્વારા ચમત્કારો બતાવી વિરોધી ઈસ્લામી રાજાઓ, અધિકારીઓ તથા હિન્દુ રાજાઓ, અધિકારીઓ અને વિરોધીવ્યકિતઓ વગેરેને વશ કરતા હતા. એને લીધે યતિઓ જૈન મંદિરોની ભારે રક્ષા કરી શકયા હતા. એમની સાધનામાં એવું સમજાયું છે કે ભગવતી શ્રી પદ્માવતીજીની સાધના પ્રધાનપણે હતી. એના પુરાવામાં પાલીતાણા, મુંબઈ, પૂના અને બીજાં કેટલાંક સ્થળોમાં, ઉપાશ્રયોમાં, મંદિરોમાં આજે વિદ્યમાન પદ્માવતીજીની આરસની મૂર્તિઓ સાક્ષી પૂરે છે.
દેવીઓમાં સહુથી વધુ ઉપાસના પદ્માવતીજીની જોવા મળે છે ઃ
આ કાળમાં સાધકોને પદ્માવતીજીના શીઘ્રફળા તરીકે સફળ અનુભવો થતાં હોવાથી ચતુર્વિધસંઘની અંદર એમની ઉપાસનાનું પ્રમાણ વર્તમાનમાં ખૂબ વધ્યું છે. એમની નામઉપાસના, એમનું દર્શન, વંદન, પૂજન વગેરે દ્વારા ઉપાસના કરનારને ઈષ્ટની સિદ્ધિ, સફળતા અને સુખ-શાંતિ જરૂર પ્રાપ્ત થાય છે. આ સેંકડો સાધુ-સંતો અને ભકતોના અનુભવની વાત છે એટલે માતાજીની સાધના વ્યકિત, સમાજ યાવત્ રાષ્ટ્રના હિતમાં છે.
પૂજાઓ રચનાર પૂ. પં. શ્રી વીરવિજયજી અને મા ભગવતીજી :
જૈનસંઘમાં દહેરાસરોમાં પૂ.પંડિત શ્રી વીરવિજયજી કૃત અષ્ટપ્રકારી પૂજા જો૨શોરથી ભણાવવામાં આવે છે. આ પૂજા ભિકતભાવ અને કાવ્યરચનાની દૃષ્ટિએ શ્રેષ્ઠ કોટિની થાય એ માટે પૂ.પં.શ્રી વીરવિજયજી મહારાજે ભગવતી શ્રી પદ્માવતીજીની સાધના ખાસ કરી હતી અને એમની કૃપાથી જ શ્રેષ્ઠ રચના કરી શકયા. તે વાતનો તેમને ચોસઠપ્રકારી પૂજા પછીના આપેલ કળશ * પૂર્ણ સાધુપણું પાળી ન શકવાના કારણે જેઓ શિથિલાચારી બને છે તેઓ જતિ-ગોરજી કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org