SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી કળિયુગમાં શ્રી પદ્માવતીજી દ્વારા પ્રાપ્ત સિદ્ધિઓ * શ્રી સી. વી. રાવળ 1 મૂર્તિ દ્વારા ચૈતન્યની પ્રાપ્તિ, મૂર્તિ દ્વારા અનુપ્રેક્ષાની પ્રાપ્તિ, મૂર્તિ દ્વારા સાક્ષાત્કારની દિશા આદિને કેન્દ્રમાં રાખીને શ્રી પદ્માવતીજીના આંતર-બાહ્ય વૈભવ, શકિત અને પરમ નાદની વિશુદ્ધિ માટેની સાધનાની સુંદર માહિતી અત્રે આપવામાં આવી છે. - સંપાદક જૈનધર્મમાં ૨૪ તીર્થકરોનાં ૨૪ શાસનરક્ષક દેવો અને ૨૪ શાસનલિકા દેવીઓ થઇ છે. દેવીઓ અધિક લોકપ્રિયતાને વરેલી છે. તેમાં પણ પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવની શાસનરક્ષિકા શ્રી ચક્રેશ્વરીદેવી, આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભસ્વામીની શાસનરક્ષિકા શ્રી જ્વાલામાલિની દેવી, બાવીસમાં તીર્થકર શ્રી અરિષ્ટનેમિની શાસનરક્ષિકા શ્રી અંબિકાદેવી અને ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથની શાસનરક્ષિકા શ્રી પદ્માવતી દેવી વિશેષ લોકપ્રિય તથા પ્રસિદ્ધિને વરેલી છે. તેમાં પદ્માવતીદેવી સૌથી વધુ લોકપ્રિય છે. તેમની આરાધના-ઉપાસના સૌથી વધુ થાય છે. જૈનેતર વર્ગમાં અને દેવી સંપ્રદાયમાં પણ તેમની ખ્યાતિ વિશેષ જોવા મળે છે. કોઇપણ દેવ યા દેવીની આરાધના, ઉપાસના કે પૂજા કરતાં પહેલાં આપણને તેના સ્વરૂપનો બોધ થવો આવશ્યક છે. પદ્માવતીદેવીની વાત કરીએ તો તેમના દેહનો વર્ણ સોનેરી-રફત પુષ્પના જેવો છે, આથી તેને સૌભાગ્યની દેવી કહેવાય છે. તેને ચાર હાથ (ચતુર્ભુજા) છે, જે આપણા કરતાં વધુ કર્તૃત્વશકિતનો સૂચક છે. વળી તે દુર્ગા કે કાલી જેવા અષ્ટભુજાવાળા કે ભયાનક નથી, પરંતુ સૌમ્ય છે. તેના હાથમાં પાશ છે, જેના વડે તેઓ શત્રુઓને કે પ્રતિપક્ષીઓને બાંધે છે. અંકુશ છે તેનાથી દુશ્મનોને તાબામાં રાખે છે, ને વિષમ બૃહોને ભેદે છે. વરદમુદ્રા જિનશાસનનો જય જયકાર સૂચવે છે અને ભકતજનોને યોગ્ય વરદાન આપે છે. અને ફળ (બીજોરું) છે તે સૂચવે છે કે તેમની આરાધના-ઉપાસના ભકતને અવશ્ય ફળદાયી નીવડે છે. તેઓ ગુલાબી કમળના આસન પર બિરાજેલાં છે. તેમનું વાહન કુફ્ફટ જાતિનો સર્પ છે. તેઓ ત્રિનેત્રા (ભૂત, ભવિષ્ય અને વર્તમાનની સઘળી વાતો જાણનારો) કહેવાય છે. પૂર્વભવમાં તેઓ નાગિની હતાં. મસ્તક પરની ફેણ પહેલાં ૩ મૂકાતી, પછી ૫ કે કોઈ વાર ૭ મૂકાય છે. શ્રી ભૈરવ પદ્માવતી કલ્પ' મુજબ તેમનાં વિવિધ નામો છે. દા.ત. તોતલા, ત્વરિતા, નિત્યા, ત્રિપુરા, કામ્ય સાધની, ત્રિપુર ભૈરવી આદિ. આપણી સમક્ષ તેમનું સૌમ્ય અને સુંદર ચતુર્ભુજ રૂપ રજૂ થયું છે તે જ શ્રેષ્ઠ છે. મૂર્તિ એટલે આકાર; પછી તે ગમે તે હોય. ગમે તે આકારમાં ભાવનું નિરૂપણ કરવામાં આવે એટલે તે મૂર્તિ બને. પછી તેની પ્રતિષ્ઠા થાય, પૂજન-અર્ચન થાય. મૂર્તિ એટલે નિરાકાર ઈશ્વરનું સાકાર સ્વરૂપ. અવ્યકતમાંથી વ્યકત, અગોચરમાંથી ગોચર, મૌનમાંથી વાણી રૂપે વ્યકત થતાં ચૈતન્યનું સ્વરૂપ. આથી મૂર્તિપૂજાનું ભાવનાની દષ્ટિએ પ્રાધાન્ય છે. જેવી ભાવના તેવી સિદ્ધિ. વળી, શાસ્ત્રીય દષ્ટિએ પણ અને જીવન-વિકાસ માટે પણ મૂર્તિપૂજા અત્યંત જરૂરી મનાઈ છે. જૈનધર્મમાં પ્રતિમાપૂજાની પરંપરા અતિ પ્રાચીન છે. જૈન તીર્થકરોની મૂર્તિઓ બનાવવા પાછળનો હેતુ એ છે કે તેઓ તેમના અનુયાયીઓને એ વાતનું સ્મરણ કરાવે છે કે, કેવા કેવા કપરા સંજોગોમાંથી પસાર થઇને તેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું ! મૂર્તિપ્રતિષ્ઠા વખતે જે સ્તોત્રો બોલાય છે તે પ્રણાલી પણ પ્રાચીન છે. તીર્થકરો ઉપરાંત સમય જતાં દેવ-દેવીઓની મૂર્તિઓ પણ રચાવા લાગી. તેમાં યક્ષો અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy