________________
શાસનદેવી શ્રી પદ્માવતી માતા ]
કુલ ૧૦૦ થાય. છેલ્લે * ૨ ટ તે ૫ યં શું = ૮ની સંખ્યા ઉમેરતાં ૧૦૮ની સંખ્યા સુસંગત બને. અનુલોમ વખતે વર્ણાક્ષરો મંત્રની પૂર્વે (અં પદ્માવત્યે નમઃ) આવે અને પ્રતિલોમ વખતે વર્ણાક્ષરો મંત્રની પછી આવે (પદ્માવત્યે ત્ત). વર્ણમાળા ધ્યાનની સ્થિતિમાં બ્રહ્મનાડીમાં ફેરવવાની છે. આ નાડી બ્રહ્મરંધ્રથી નાભિ સુધી આવેલી છે. અનુલોમ વખતે નાડીની જમણી તરફ અને પ્રતિલોમ વખતે નાડીની ડાબી તરફ વર્ણમાલા પ્રયોજવાની છે.(૨૪)
યોગમાર્ગમાં જપ, ધારણા, ધ્યાન અને સમાધિને ઉત્તરોત્તર ચડિયાતાં ગણ્યાં છે. સ્વરછંદ તંત્રસારમાં વાચિક, માનસિક, યોગિક, યોગવાચિક, યોગમાનસિક અને વાડ્માનસિકયોગિક જપને ઉત્તરોત્તર શ્રેષ્ઠ ગણ્યા છે.(૫) અને તે યુકિતસંગત પણ છે જ. આથી માળા અને કરમાળા કરતાં વર્ણમાળા વિશેષ ફળપ્રદ છે તેમાં શંકા નથી, અનુભવ-સિદ્ધ છે.
૧૯૭
આ પરંપરામાં શરીરના ઉપાંગોનો પણ ઉપયોગ કરી શકાય છે. જેમ કે, બ્રહ્મરંધ્ર, મસ્તક, કપાળ, ભ્રૂકુટિ, આંખ, કાન, નાક, હોંઠ, દાંત, જીભ, ગાલ, દાઢી, ગરદન, હાથ, કોણી, કાંડું, આંગળીઓનો મૂળભાગ, અગ્રભાગ, કંઠ, છાતી, નાભિ, જાંઘ, સાથળ, નળ, એડી, ઘૂંટી, પાની, પગની આંગળીઓનું મૂળ અને અગ્રભાગ, કુલ ૧૦૮ની સંખ્યા કરવી.
આ સિવાય મૂલાધા૨થી સહસ્રદલ સુધીના સાત ચક્રોનો પણ ઉપયોગ કરી શકાય. અસ્તુ.
પાદટીપ : ૧, ૨ અને ૩ અનુક્રમે દુર્ગાસપ્તશતી (ગીતા પ્રેસ, ગોરખપુર)ના છઠ્ઠા, ત્રીજા અને નવમા અઘ્યાયનો ઘ્યાન શ્લોક. ૪. મારસંષવમ્ ૧-૧૬. ૫.૬.૭ શબ્દકલ્પદ્રુમકોશ : જુઓ માતા શબ્દ. ૮. અમરકોશ. ૯. આપ્ટેનો શબ્દકોશ. ૧૦. શબ્દકલ્પદ્રુમકોશ. ૧૧. અનિષ્ઠ સૂત્રાવલિ, ૧૨. પુત્રનીલ- નિઘંટુ (આયુર્વેદ). ૧૩ અને ૧૪ શબ્દકદ્રુમ. ૧૫. શ્રી વિદ્યારત્નાકર (વારાણસી). ૧૬. શબ્દકલ્પદ્રુમ. ૧૭. આચાર્ય મહાવીરકીર્તિ સ્મૃતિગ્રંથ (પૃ.૧૫૦). ૧૮. આપ્તિ સૂત્રાવલિ (પૃ.૪૨). ૧૯. શબ્દકલ્પદ્રુમકોશ, ભાગ-૧ (જુઓ : અક્ષમાના શબ્દ). ૨૦. વૈાિ ચર્યાવિજ્ઞાન (પૃ. ૮૭-૮૮). ૨૧. શબ્દકલ્પદ્રુમકોશ. ૨૨. શ્રી વિદ્યારત્નાકર (પૃ.૨૫૯). ૨૩. શ્રી વિદ્યારત્નાકર (પૃ.૨૫૮-૫૯). ૨૪. શબ્દકલ્પદ્રુમકોશ. ૨૫. શ્રી વિદ્યારત્નાકર (પૃ.૨૬૦).
Jain Education International
શ્રી ચક્રેશ્વરીદેવી
For Private & Personal Use Only
www.jainelibrary.org