SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ ] | [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી s , * પ્રા. ડો. એચ. યુ. પંડ્યા જપમાળા શેની ? પારા કેટલા ? પારા કેવા ? શા માટે ? માળાની પવિત્રતા કેમ જાળવવી ? જાપના માધ્યમ માટે માળા ઉપયોગી છે, ઉત્તમ દ્રવ્યો ઉત્તમ ભાવનું કારણ બને છે, મણકા એ મંત્રનું સિંહાસન છે વગેરે વિષયોના સંદર્ભથી પ્રયુક્ત ડૉ. પંડયા સાહેબ, જેઓ અમદાવાદ પાસે કલોલની કોલેજમાં આદર્શ અધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે. તેમનો પ્રસ્તુત માહિતીપૂર્ણ લેખ અત્યંત મનનીય અને ઉપયોગી છે. તેઓ જૈન ધર્મના ઊંડા અભ્યાસી છે. તેમણે અહી અક્ષમાળા, કરમાળા, વર્ણમાળા જેવા પ્રકારો શાસ્ત્રીય રીતે સમજાવ્યા છે. સાધનાના એક અગત્યના અંગ તરીકે માળાનું સ્થાન દર્શાવ્યું છે. --સંપાદક માળા એટલે સંસ્કૃત સાહિત્યમાં જેને માટે માતા, નપમાન, અક્ષમતા મક્ષસૂત્ર અપવટી આદિ શબ્દો પ્રયોજાયા છે. માતા : માલા શબ્દની વ્યુત્પત્તિ બે પ્રકારે અપાઈ છે : (૧) જે માનનું કારણ બને છે તે (મતિ માનદેતુર્મવત તિ માતા ), મા (પૂનાયા) + સ્ + . અહી સ્નો નિયમાનુસાર થયો છે. (૨) જે શોભા લાવે છે તે તેમાં શોષ તાતિ). મા+ના+35મા = માતા (૫) નિર્માતા : જપ કરવા માટેની માળા. જપ શબ્દ ડ ( ચત્તાયાં વાવ, માનસે ૨ ) ધાતુને મ પ્રત્યય લાગીને ઉત્પન્ન થયો છે. મક્ષમત્તા : અક્ષ શબ્દના બહેડાં, સંચળ, પાસા. આંખ આદિ અર્થો અમરકોશમાં છે. તંત્રસારમાં અક્ષમાલા શબ્દના બે અર્થો છે : રદ્રાક્ષમાલા અને વર્ણમાળા. (મ થી 8 વર્ણોની માળા.)) માસૂત્ર : તંત્રપરંપરામાં વર્ણમાળાને અક્ષસૂત્ર કહે છે.) આમ, વર્ણમાળા માટે મશહૂત્ર અને અક્ષમતા એમ બન્ને શબ્દો પ્રયોજી શકાય છે. અલબત્ત, સંસ્કૃત સાહિત્યમાં આ બન્ને શબ્દો ન૫માતા એવા વિશાળ અર્થમાં પ્રયોજાયેલા છે. નેપવટી : વટી એટલે દોરી(૮), ગોળી, મોટી ગોળી (૯) માળાના પ્રકાર :- મત્સ્યસૂફતમાં માળાના ત્રણ ભેદો બતાવ્યા છે : અક્ષમતા, પર્વમાતા રમતા) અને વનિતા.૧૦) (ક) અક્ષમતા : અહીં અક્ષનો વિશાળ અર્થ “મણકો અભિપ્રેત છે. નાગદેવના મતે અરિકાનાં પાન, બીજ, શંખ, કમળ, મણિ, દર્ભગાંઠ અને રૂદ્રાક્ષની માળા ઉત્તરોત્તર ઉત્તમ છે. પરવાળાં. મોતી અને સ્ફટિક કરતાં તુલસી અને મણિની માળા ઉત્તમ છે. વ્યાસના મતે સુવર્ણજડિત મણિ, ઈન્દ્રાક્ષ, રુદ્રાક્ષ અને કમળકાકડીની માળા ઉત્તરોત્તર ઉત્તમ છે. (૧૧) કાલિ પુરાણમાં (૧) પુત્રજીવફળ (હિન્દીમાં નિયોપોતા, ગુજરાતીમાં પુત્રજીવક કહે છે. આ વૃક્ષ ઈગુદી જેવું હોય છે અને તેનાં બીજ રુદ્રાક્ષ જેવાં હોય છે.) ૧૨, (૨) શંખ, (૩) પ્રવાલ, મણિ, રત્ન અને સ્ફટિક, (૪) મોતી, (૫) કમળકાકડી, (૬) સુવર્ણ, (૭) કુશગ્રંથિ અને (૮) રુદ્રાક્ષની માળા ઉત્તરોત્તર ઉત્તમ છે.૧૩) આ સિવાય સુખડ, કેરડો, અક્કલમેર અને સૂતર વગેરેની માળા પણ પ્રચલિત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy