________________
શાસનદેવી શ્રી પદ્માવતી માતા ]
[ ૧૯૧
(૧૩) અજપા જપ : વિના જપે અને વિના પ્રયત્ન-સ્વાભાવિકપણે જે જપ જપાયા કરે તે અજપા સ્મરણ કહેવાય છે. શ્વાસોચ્છવાસમાં ચાલતા 'ૐ” અને “સોહં' આ બે મંત્રના જપને અજપા સ્મરણ કહે છે. તેમાં સાવધાની રાખવી અનિવાર્ય હોવાથી મોટા ભાગે અનુભવી મહાત્માઓ તેનો આશરો લે છે. તે માટે માળાનું કામ નથી, તેથી તો એક સાધકે કહ્યું છે કે, "રામ હમારા જપ કરે. હમ બૈઠે આરામ..."
જ્યારે શ્વાસોચ્છવાસની ક્રિયા બરોબર ચાલતી હોય, ત્યારે તેની સાથે મંત્રાવૃત્તિ થઈ શકે છે. અભ્યાસથી મંત્રાર્થભાવના દઢ થતી જાય છે અને તેનું સ્મરણ થાય છે. આ રીતે હજારોની સંખ્યાનો જપ થાય છે.
(૧૪) પ્રદક્ષિણા જપ : આ જપ વખતે હાથમાં રૂદ્રાક્ષ કે તુલસીની માળા લઈને મંદિર, વડ, ઉંબરો, પીપળો કે જ્યોતિર્લિંગ ફરતી, યા સિદ્ધપુરુષની મનમાં ભાવના કરીને, મંત્ર જપતાં પરિક્રમા કરવાની હોય છે. તેનાથી સિદ્ધિ પણ મળે છે.
વર્તમાન સમયમાં નવો પ્રકાર : લેખિત જપ - હાલમાં ઘણાં સનો, વિદ્યાર્થીઓ તથા બહેનો પોતાનો ઇષ્ટમંત્ર નોટબુક કે કાગળમાં (મોટે ભાગે લાલ શાહીમાં) લખે છે. નવરા બેઠા નિંદા કરવી કે ગપ્પાબાજીમાં સમય ગાળવાને બદલે તેઓ આ રીતે જપયજ્ઞમાં સામેલ થાય છે. (આમાં અક્ષર સુધારવાનો હેતુ કે અન્ય ગ્રંથો બક્ષિશમાં મેળવવાની લાલસા ન પ્રવેશે તે જોવું જોઇએ.) કેટલીક સંસ્થાઓ આ માટે એકસરખાં પાનાં અને ખાનાવાળી નોટબુકો પૂરી પાડે છે. આવી સંસ્થાઓ અમુક સંખ્યામાં અમુક મંત્ર લખનારને ધાર્મિક પુસ્તકો પૂરાં પાડીને સામાન્ય માનવીઓને પણ સમયનો સદુપયોગ કરી જપયજ્ઞમાં જોડાયેલા રાખવાનું પુણ્યકાર્ય કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org