SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૧૮૫ ૧. ઔદારિક વર્ગણા, ૨. વૈકિય વર્ગણા, ૩. આહારક વર્ગણા, ૪. તેજસ વર્ગણા, ૫. ભાષા વર્ગણા, ૬. શ્વાસોચ્છવાસ વર્ગણા, ૭. મનો વર્ગણા અને ૮. કાશ્મણ વર્ગણા. આ બધી જ વર્ગણાઓના પ્રત્યેક પરમાણુએકમમાં અનંત પરમાણુઓ હોય છે, છતાં ઔદારિક વર્ગણાના પરમાણુએકમ કરતાં વૈક્રિય વર્ગણાના પરમાણુએકમમાં વધુ પરમાણુઓ હોય છે અને આહારક વર્ગણાના પરમાણુએકમમાં તેના કરતાંય વધુ પરમાણુઓ હોય છે. તે રીતે ઉત્તરોત્તર, વર્ગણાઓના પરમાણુએકમમાં વધુ ને વધુ પરમાણુઓ હોય છે, અને તેનું પરિણામ વધુ ને વધુ સૂક્ષ્મ થતું જાય છે. તેથી ભાષા વર્ગણાના પરમાણુએકમ કરતાં મનોવર્ગણાના પરમાણુએકમમાં વધુ પરમાણુઓ હોય છે. અહીં ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે જૈન આગમો વિક્રમની પાંચમી-છઠ્ઠી સદીમાં લિપિબદ્ધ કરવામાં આવ્યા ત્યાં સુધી જૈન શ્રમણ પરંપરામાં- સાધુસાધ્વીઓમાં આ રાખવાની પરંપરા હતી. જ્યારે આધુનિક ભૌતિકશાસ્ત્રના 'Quantum Mechanics' ની શોધ છેક વિક્રમની ૨૦મી સદીના અંતમાં થયેલ છે. આધુનિક ભૌતિકશાસ્ત્ર પ્રમાણે ધ્વનિ-શબ્દ અર્થાતુ ભાષાવર્ગણાના પરમાણુએકમોની ઝડપ ૩૩૦ મિટર પ્રતિ સેકન્ડ છે. જ્યારે તૈજસ વર્ગણાના પરમાણુએકમો એટલે કે વીજચુંબકીય તરંગો (Electro magnetic waves), પ્રકાશ અને રેડિયો તથા ટેલિવિઝનનાં મોજાની ઝડપ ૩૦ કરોડ મિટર પ્રતિ સેકન્ડ હોય છે. એટલે જ ભાષાવર્ગણાના પરમાણુ એકમોમાં, તૈજસ વર્ગણાના પરમાણુએકમો કરતાં ઘણાં વધુ પ્રમાણમાં પરમાણુ હોવા છતાં તેની શકિત ઓછી જણાય છે. જ્યારે મનોવર્ગણાના મનસ્વરૂપે અથવા વિચારસ્વરૂપે પરિણમેલા પરમાણુ સમૂહ-એકમમાં સૌથી વધુ સંખ્યામાં પરમાણુઓ હોય છે, અને તે પણ ખૂબ જ સૂક્ષ્મ-પરિમાણી હોય છે. સાથે સાથે આપણે રોજિંદા જીવનમાં અનુભવીએ છીએ તેમ, મનની અથવા વિચારોના પુદ્ગલોની ગતિ પણ ખૂબ જ હોય છે. આથી તેની શકિત પણ અનંત હોય છે હોય શકે છે. ઋષિ-મુનિઓએ જણાવેલ જાપના પ્રકારોમાં પ્રથમ વાચિક અથવા ભાષ્ય જાપમાં ભાષાવર્ગણાના પુદ્ગલ/પરમાણુસમૂહ-એકમોનો ઉપયોગ થાય છે અને તેની ઝડપ ખૂબ જ ઓછી હોવાથી તેની આવૃત્તિ (કંપસંખ્યા = frequency) ઘણી ઓછી હોય છે. તે કારણે તેની શકિત પણ થોડી જ હોય છે. તેથી, તે રીતે કરેલ જાપમાં, જે તે મંત્રના અધિષ્ઠાયક દેવ સુધી તેની અસર/સંદેશો પહોંચતાં વાર લાગે છે; એટલું જ નહિ, પણ તેની તીવ્રતા ખૂબ જ ઓછી હોય છે. જ્યારે બીજા પ્રકારના, ઉપાંશુ જાપમાં પણ ભાષાવર્ગણાના પુદ્ગલ સમૂહ-એકમોનો ઉપયોગ થાય છે અને તેની ઝડપ પણે ૩૩૦ મિટર પ્રતિ સેકન્ડ હોય છે. છતાં તેના દ્વારા જાપના અશ્રાવ્ય ધ્વનિતરંગો પેદા થાય છે. સામાન્ય રીતે, આપણા કાન અમુક જ આવૃત્તિ (frequency) સુધીના ધ્વનિતરંગો સાંભળી શકે છે. તેનાથી વધુ આવૃત્તિવાળા ધ્વનિતરંગો આપણા કાન માટે અગ્રાહ્ય બને છે. તેથી ઉપાંશુ જાપમાં. પેદા થયેલ ઊંચી કંપસંખ્યાવાળા અશ્રાવ્ય ધ્વનિતરંગો (ultrasonic waves)માં સારી એવી શકિત હોય છે. તેથી ભાષ્ય જાપ કરતાં ઉપાશું જાપને સારો કહ્યો છે. સૌથી શ્રેષ્ઠ માનસ જાપ છે. કારણ કે, આ જાપમાં માત્ર મનોવર્ગણાના પરમાણુ સમૂહ-એકમોનો ઉપયોગ થાય છે. અને તેમાં પરમાણુઓની સંખ્યા સૌથી વધુ હોય છે અને તેની ગતિ પણ સૌથી વધુ હોય છે. માનસ જાપ દ્વારા ઉત્પન્ન થયેલ તરંગો સૌથી વધુ કંપસંખ્યાવાળા હોવાથી તેની શકિત પણ અચિંત્ય હોય છે. આ માનસ જાપના તરંગો, તૈક્સ વર્ગણાના વીજચુંબકીય તરંગો કરતાં પણ ઘણી વધુ ગતિવાળા તથા ઘણા વધુ પ્રમાણમાં પરમાણુઓવાળા હોવાથી તેમાં અનંત શકિત રહેલી છે. આથી ત્રણે પ્રકારના જાપમાં માનસ જાપને શ્રેષ્ઠ દર્શાવ્યો છે. આ જાપને અજપાજાપ પણ કહેવામાં આવે છે. કારણ કે, વસ્તુતઃ આ જાપમાં મુખનો ઉપયોગ થતો જ નથી, માત્ર મનનો જ ઉપયોગ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy