________________
૧૮૪ ]
[ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી
પરમાત્મસ્વરૂપ અથવા આત્મસ્વરૂપમાં જ રમણતાનો અનુભવ કરે છે ત્યારે તે લયની અવસ્થાને પ્રાપ્ત કરે છે. આવો એક લય ક્રોડ વખતના ધ્યાન બરાબર હોય છે.
ઉપર્યુક્ત શ્લોક પ્રમાણે પૂજા, સ્તુતિ(સ્તોત્ર)પાઠ, જપ, ધ્યાન અને લય ઉત્તરોત્તર વધુ શકિતશાળી છે. તેમાં જપ (જાપ)ને મુખ્ય ત્રણ પ્રકારો છે: ૧. ભાષ્ય અથવા વાચિક, ૨. ઉપાંશુ અને ૩. માનસ. અર્થાતુ ૧. જાપ કરનાર સિવાય અન્ય વ્યકિત સાંભળી શકે તે રીતે ઉચ્ચારપૂર્વક જાપ કરવો તે ભાષ્ય અથવા વાચિક જાપ કહેવાય છે. ૨. અન્ય વ્યકિત સાંભળી ન શકે તે રીતે, મનમાં હોઠ ફફડાવીને જાપ કરવો તે ઉપાંશુ જાપ કહેવાય છે. ૩. જે જાપમાં હોઠ, જીભ વગેરેના ઉપયોગ વગર મનથી જાપ કરવામાં આવે તેને માનસજાપ કહેવાય છે.
ધર્મસંગ્રહ' નામના ગ્રંથમાં ઉપાધ્યાયજી શ્રી માનવિજયજી ગણિએ કહ્યું છે : '... શબ્દન્મીનવાન ગુમ | મૌનનાન્માનસ શ્રેષ્ઠ, નાપ જ્ઞાણ પ પ . અર્થાત્ સશબ્દ (ભાણ) જાપ કરતાં મૌન (ઉપાંશુ) જાપ શુભ છે અને ઉપાંશુ (મૌન) જાપ કરતાં માનસ જાપ શ્રેષ્ઠ છે. આ ત્રણે જાપ ઉત્તરોત્તર પ્રશંસનીય છે.' શ્રી પાદલિપ્તસૂરિકૃત 'પ્રતિષ્ઠાપદ્ધતિ (કલ્પ)માં કહ્યું છે : "પહેલો 'માનસ' જાપ કષ્ટસાધ્ય છે અને તેનાથી શાંતિકાર્યો કરાય છે માટે તે ઉત્તમ છે. બીજો “ઉપાંશુ' સામાન્ય અને પૌષ્ટિક કાર્યો માટે કરતો હોવાથી મધ્યમ છે. ત્રીજો ભાગ્ય' સુકર છે અને બીજાઓનો પરાભાવ (વશીકરણ) વગેરે દુષ્ટ કાર્યો માટે કરાતો હોવાથી તેને અધમ કહ્યો છે.” *
આધુનિક ભૌતિકશાસ્ત્ર (physics)માં ડી. બ્રોગ્લી (de. Brogle) નામના વિજ્ઞાનીએ દ્રવ્યકણ-તરંગવાદ દ્વારા જણાવ્યું છે કે કોઈપણ સૂક્ષ્મ કણો તરંગ સ્વરૂપે વર્તે છે. અને તે કણોને લગતા તરંગની તરંગલંબાઈ માટેનું એક સૂત્ર તેણે આપ્યું છે : =h/my, જયાં =તરંગલંબાઈ, h= પ્લાંકનો અચળાંક, m= કણનું દ્રવ્યમાન (mass) અને v=કણની ગતી છે. આ જ સૂત્રમાં mv=p લેતાં, zh/p થાય છે. જ્યાં p= વેગમાન (momentum) છે અને એ દ્રવ્યકણની શકિત માટેનું સૂત્ર છે- E=nhf. જ્યાં E શકિત છે, h પ્લાંકનો અચળાંક છે અને f આવૃત્તિ (કંપસંખ્યા-frequency) છે, અને n=1, 2, 3, 4, 5... વગેરે Integer numbers (પૂર્ણાકો) છે. એટલે કે કોઈ પણ તરંગસ્વરૂપ દ્રવ્યકણની શકિતનો આધાર તેની આવૃત્તિ (frequency) પર છે. અને આવૃત્તિ તરંગલંબાઈના વ્યસ્ત પ્રમાણમાં વધે છે અને ઘટે છે. એટલે કે તરંગલંબાઈ (2) વધે તો આવૃત્તિ ઘટે અને તરંગલંબાઈ ધટે તો આવૃતિ વધે. અને વળી તે તરંગલંબાઈ પણ દ્રવ્યકણના દ્રવ્યમાન (દળ-Mass) અને ગતિ (v)ના ગુણાકારના વ્યસ્તપ્રમાણમાં વધે છે અને ઘટે છે. એટલે કે કોઈપણ સૂક્ષ્મ દ્રવ્યકણનું દ્રવ્યમાન અથવા ગતિ અથવા તો તે બંને વધારવામાં આવે તો તેના પ્રમાણમાં તે દ્રવ્યકણની તરંગલંબાઈ ઘટે છે. પરિણામે આવૃત્તિની સંખ્યા વધી જાય છે અને તેથી જ તેની શકિત પણ વધી જાય છે. આ જ વાત આપણા ઋષિ-મુનિઓએ દર્શાવેલ જપના પ્રકારોને લાગુ પાડી શકાય છે.
જૈન ધર્મગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે વર્ગણાઓના આઠ પ્રકાર છે. વર્ગણા એ જૈનગ્રંથોનો પારિભાષિક શબ્દ છે. વર્ગણા એટલે એકસરખા અથવા સમાન સંખ્યામાં પરમાણુઓને ધારણ કરનાર પરમાણુઓના એકમોનો પ્રકાર.
- પ્રથમ વર્ગણા એટલે સમગ્ર બ્રહ્માંડમાં વિખરાયેલા છૂટા છૂટા એક એક પરમાણુઓ. દ્વિતીય વર્ગણા એટલે બબ્બે પરમાણુઓના સમૂહરૂપ એકમો. તૃતીય વર્ગણા એટલે ત્રણ ત્રણ પરમાણુઓના સમૂહરૂપ એકમો. ચતુર્થ વર્ગણા એટલે ચાર ચાર પરમાણુઓના સમૂહરૂપ એકમો. આ રીતે પરમાણ-એકમોના અનંતાનંત પ્રકારો છે. પરંતુ તેમાં જીવો માટે ઉપયોગી એવા આઠ પ્રકાર છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org