________________
શાસનદેવી શ્રી પદ્માવતી માતા ]
જાપના પ્રકારો અને તેનું વૈજ્ઞાનિક મૂલ્ય
* મુનિરાજ શ્રી નંદિઘોષવિજયજી મહારાજ
એક બાજુ શાસ્ત્ર અને શાસન છે અને બીજી બાજુ વિશ્લેષણથી ભરેલું વિજ્ઞાન છે. આ શાસ્ત્રોમાં ગહન જ્ઞાનનાં મોતી પડેલાં છે, પણ તે શોધનારા મરજીવા બહુ ઓછા પાકયા છે; અને એમાં પણ એ ગહન જ્ઞાનને આજના વિજ્ઞાન સાથે જાણી-તપાસીને જોનારા તો કોઇક વિરલા જ હોય છે. આવા એક વિરલા મુનિમહારાજે અહીં જાપ સાથે વિજ્ઞાનની અનુપ્રેક્ષા મૂકી છે.
જૈન શાસ્ત્રોનું ગહન અવગાહન કરતાં કેટલીક વિગતો તો આજના વિજ્ઞાનયુગને પણ આશ્ચર્ય પમાડે એવી જોવા મળશે. પૂ. મુનિપ્રવર શ્રી નંદીઘોષવિજયજી મહારાજે એવી ઘણી વિગતોનું સાંકળિયું અહીં મૂકયું છે. પ્રસ્તુત લેખમાં તૈજસ વર્ગણાના પુદ્ગલો Electro magnetic waves છે એ વાત લેખકશ્રીનું તારવણ છે. ઉપરાંત, તેઓશ્રીએ પૂજા, સ્તોત્ર, જપ, ધ્યાન અને લયની ઉત્તરોત્તર શ્રેષ્ઠતા શા માટે છે તે પણ દર્શાવીને, જપની વૈજ્ઞાનિકતા અર્વાચીન વૈજ્ઞાનિક સિદ્ધાંતોના સંદર્ભમાં સમજાવી છે. એનાથી જપની સાધનાને પ્રતીતિકર બળ મળે છે. - સંપાદક
पूजाकोटिसमं स्तोत्रं, स्तोत्रकोटिसमो जपः । जपकोटिसमं ध्यानं, ध्यानकोटिसमो लयः ।।' એટલે કે વીતરાગ પરમાત્મા કે અન્ય કોઇ પણ દેવ-દેવી વગેરેની ક્રોડવાર પૂજા કરવા બરાબર તેઓનો એક સ્તુતિપાઠ અથવા સ્તોત્રપાઠ છે; ક્રોડવાર સ્તોત્રપાઠ કરવા બરાબર એક જાપ છે; ક્રોડવાર જાપ કરવા બરાબર એક ધ્યાન છે; અને ક્રોડવાર ધ્યાન કરવા બરાબર એક લય, પરમાત્મ સ્વરૂપમાં રમણતા અથવા ધ્યાતા, ધ્યેય અને ધ્યાન- ત્રણેની એકરૂપતા છે.
[ ૧૮૩
અહીં સામાન્ય રીતે પૂજા કહેતાં પરમાત્મા અથવા ઇષ્ટ દેવ-દેવીની પ્રતિમાની શ્રેષ્ઠ દ્રવ્યો વડે કરાતી અર્ચા સમજવી. તે જુદા જુદા પ્રકાર વડે-અષ્ટપ્રકારી, પંચપ્રકારી, એકોપચારી, એકવીસપ્રકારી કે બહુવિધપ્રકારી પણ જોવા મળે છે. આ પૂજામાં પૂજનનાં દ્રવ્યોની મુખ્યતા હોય છે. આ દ્રવ્યપૂજામાં પ્રાયઃ કાયાનો વ્યાપાર જ મુખ્ય હોય છે. અને એવી ક્રોડવારની પૂજા બરાબર એક વખતનો સ્તોત્રપાઠ કહ્યો છે. બાકી, દેવાધિદેવની પૂજા કરતી વખતે જો મન, વચન અને કાયાની એકાગ્રતા આવી જાય અને મન શુભ અધ્યવસાયની શ્રેણિએ ચડી જાય તો, નાગકેતુની માફક ફલપૂજા કરતાં કરતાં પણ કૈવલ્યપ્રાપ્તિ થઇ શકે છે. તેવી જ રીતે સ્તુતિપાઠમાં સામાન્ય રીતે વચન અને કાયાનો વ્યાપાર જ મુખ્ય હોય છે અને મનોવ્યાપાર ગૌણ હોય છે. એવા ક્રોડ વખતના સ્તોત્રપાઠ બરાબર એક વખતનો જપ ગણાય છે. જાપમાં સામાન્ય રીતે મનની મુખ્યતા હોય છે, ત્યાં વચન અને કાયાનો વ્યાપાર પ્રાયઃ હોતો જ નથી. અને 'મન ડ્વ મનુષ્યાનાં વાળં વન્યમોક્ષયોઃ' એ ઉકિત અનુસાર મન જ્યારે અશુભ કાર્યમાંથી નિવૃત થઇ, શુભ કાર્ય જાપ વગેરેમાં પ્રવૃત્ત થાય છે ત્યારે અશુભ કર્મના આશ્રવનો સંવર થઇ જાય છે અને શુભ કર્મ-બંધ થાય છે; અને તેમાં જ આગળ વધતાં જાપ કરનાર ધ્યાનસ્થ થઇ જાય છે. અને તેથી જ ધ્યાનને ક્રોડ વખતના જાપ બરાબર કહ્યું છે. એ ધ્યાનમાં ધ્યાતા, ધ્યેય અને ધ્યાન ત્રણે અલગ અલગ હોય છે. તેમાં મન, વચન અને કાયાની એકાગ્રતા જ મુખ્ય હોય છે. ધ્યાનસ્થ આત્મા જ્યારે ધ્યાતા, ધ્યેય અને ધ્યાન- ત્રણેનો અભેદ અનુભવે છે, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org