________________
૧૪ર ]
( શ્રી પાર્શ્વનાથોસર્ગ-હારિણી
વૈદિક (શૈવ-વૈષ્ણવ) પરંપરાના મંત્રોનું વિસ્તૃત વર્ણન પ્રાપ્ત થાય છે. ડે. શિવશંકર અવસ્થીએ આ ગ્રંથોની સહાયતાથી મંત્ર-ભેદોને વિદ્વત્તાપૂર્ણ રીતે વ્યકત કર્યા છે. મંત્રોને મુખ્ય પાંચ વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે: ૧. jમંત્ર, સ્ત્રી મંત્ર અને નપુંસકમંત્ર; ૨. સિદ્ધ, સાબ, સુસિદ્ધ, અરિમંત્ર; ૩. પિંડ , કર્તરી, બીજ, માલામંત્ર; ૪. સાત્ત્વિક, રાજસ, તામસમંત્ર; અને ૫. સાબર, ડામરમંત્ર, - જેના દેવતા પુરુષ હોય તેને મંત્ર કહે છે. પુરુષદેવતાના મંત્ર સૌર કહેવાય છે અને સ્ત્રીદેવતાના મંત્ર સૌમ્ય કહેવાય છે. જે મંત્રોના દેવતા સ્ત્રી છે તેને વિદ્યા કહે છે. સામાન્ય રીતે તો સર્વને મંત્ર જ કહેવાય છે. જે મંત્રોના અંતે 'હું' અને 'ફટ' હોય છે તેને પંમંત્ર અને બે અઠ:' વર્ણો વડે જે મંત્રની સમાપ્તિ થાય છે તેને સ્ત્રી મંત્ર કહે છે. નમઃ વડે સમાપ્ત બનતો મંત્ર નપુંસક મંત્ર કહેવાય છે. પ્રયોગસાર'નો મત આનાથી જુદો છે. તે અનુસાર વષ’ અને ફ વડે સમાપ્ત થનારા મંત્રોને પુરુષ, વૌષ” અને “સ્વાહા' વડે સ્ત્રી તથા હું' અને 'નમઃ” વડે સમાપ્ત થનારા મંત્રોને નપુંસક કહેવાય છે.
એકાક્ષરી મંત્ર પિડમંત્ર, બે-અક્ષરી મંત્ર ફર્તરી અને ત્રણથી લઈને નવ વર્ણ સુધીના મંત્રો બીજમંત્ર કહેવાય છે. દસથી વીસ સુધીના વર્ણવાળા મંત્રી મંત્ર' નામથી જ ઓળખાય છે. એનાથી અધિક વર્ણસંખ્યાવાળા મંત્ર માલામંત્ર' કહેવાય છે.
આનાથી આગળ, મંત્રોના છિન્ન, રુદ્ધ, શકિતહીન આદિ શતાધિક અન્ય ભેદ પણ છે. એ બધા અહીં પ્રસ્તુત નથી. ઉક્ત વિવરણ માત્ર તુલનાર્થે અને જ્ઞાનાર્થે ઉદ્ધત કરવામાં આવ્યું છે.
મંત્ર' કંઈક વિશિષ્ટ પરમ પ્રભાવી શબ્દો નિર્મિત વાકય છે. કોઈ કોઈ વાર તે માત્ર શબ્દરૂપ પણ હોય છે.
યંત્ર તે એવું પાત્ર (ધાતુનિર્મિત, પત્ર અથવા કાગળ) છે, જેમાં સિદ્ધ મંત્રટંકિત, અંકિત અથવાવેષ્ઠિત રહે છે, એ એક સાધન છે.
તંત્ર'નો અર્થ છે વિસ્તાર કરનાર, અર્થાત્ મંત્રની શકિતને રાસાયણિક પ્રક્રિયા જેવો વિસ્તાર અને ચમત્કાર આપનાર.
મંત્ર, યંત્ર અને તંત્ર એ ત્રણે અંદરથી બહાર આવવાની પ્રક્રિયા છે. બિન્દુમાંથી સિન્ધમાં પરિવર્તિત ન થવાનો ક્રમ છે.
મનમાં રહેલો મંત્ર મુખમાં આવીને યંત્રસ્થ થઈ જાય છે અને વાણીમાં પ્રગટ થઈને તાંત્રિક થઈને) મુદ્રિત/પ્રકાશિત થઈ જાય છે.
મંત્રોની સંખ્યા સાત કરોડ સુધીની મનાઈ છે. વૈદિક પરંપરા અનુસાર સર્વ મંત્ર શિવ અને શકિત દ્વારા કીલિત છે. બૌદ્ધ પરંપરામાં પણ મંત્રોનું અને તંત્રોનું સુદીર્ઘ ચક છે.
જૈન શાસ્ત્રોમાં મંત્રોની અતિ પ્રાચીન અને વિશાળ પરંપરા છે. મંત્રકલ્પ, પ્રતિષ્ઠાકલ્પ, ચક્રેશ્વરીકલ્પ, જ્વાલામાલિનીકલ્પ, પદ્માવતીકલ્પ, સૂરિમંત્રકલ્પ, વાગ્વાદિનીકલ્પ, શ્રીવિદ્યાકલ્પ, વર્ધમાન-વિદ્યાકલ્પ, રોગાપહારિણીકલ્પ આદિ અનેક કલ્પ ગ્રંથ છે. એ બધા મંત્ર અને તંત્રપ્રધાન ગ્રંથો છે.
મંત્રશાસ્ત્રોમાં ત્રણ માર્ગોનો ઉલ્લેખ છે -- (૧) દક્ષિણમાર્ગ સાત્ત્વિક દેવતાની સાત્ત્વિક ઉદ્દેશથી અને સાત્ત્વિક ઉપકરણોથી કરવામાં આવતી ઉપાસના દક્ષિણ ઉપાસના અથવા સાત્ત્વિક ઉપાસના કહેવાય છે. (૨) વામમાર્ગઃ એમાં પાંચ મકાર (મદિરા, માંસ, મૈથુન, મત્સ્ય અને મુદ્રા)ના આધારે ભૈરવી ચકોની યોજના થાય છે. (૩) મિશ્રમાર્ગ: એમાં પરોક્ષ રૂપે પાંચ મકારોનો અને દક્ષિણ માર્ગની ઉપાસના પદ્ધતિનો સ્વીકાર કરવામાં આવ્યો છે. વાસ્તવમાં આ માર્ગ નકામો રહ્યો. વસ્તુતઃ બે માર્ગો જ કાયમ ટકી રહ્યા.
મંત્રશાસ્ત્રમાં મુખ્ય ત્રણ સંપ્રદાય છે: કેરલ, કાશમીર અને ગૌડ. વૈદિક પરંપરા કેરલ સંપ્રદાયના આધારે ચાલી. બૌદ્ધોમાં ગૌડ સંપ્રદાયની પ્રધાનતા રહી. જ્યારે જૈનોને પોતાનું સ્વતંત્ર મંત્રશાસ્ત્ર છે, તેમ છતાં કાશ્મીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org