SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૧૪૧ 'મંત્ર અને મંત્રવિજ્ઞાન . રવીન્દ્રકુમાર જૈન મંત્ર' શબ્દની અનેક વ્યુત્પત્તિઓ, તેના અર્થો; મંત્રનું સામર્થ્ય, તેની અનુભૂતિ; મંત્રના ભેદો, માર્ગો અને તેનાં શાસ્ત્રો તેમ જ મંત્રવિજ્ઞાનની પ્રક્રિયા, તેનું રહસ્ય; મંત્રવિજ્ઞાનને સમજવાનાં ભાષા, અર્થ, ધ્વનિ આદિ સ્તરો-પરિબળો; અને મંત્રજ્ઞાનને પ્રાપ્ત કરવાની યોગ્યયોગ્યતાઓ ઇત્યાદિની તલસ્પર્શી વિગતો-સમજ આ લેખ દ્વારા લેખકશ્રી ડૉ. રવીન્દ્રકુમારજી જૈને સુંદર રીતે રજૂ કરી છે, જે વાચકને મંત્રજ્ઞાનના માર્ગે પ્રવેશ કરવામાં અને આગળ વધવામાં પણ માર્ગદર્શક બની રહે તેવી છે. - સંપાદક 'મંત્ર' શબ્દ સંસ્કૃત ભાષાનો છે. આ શબ્દની વ્યુત્પત્તિ ઘણાં પ્રકારે જોવામાં આવે છે; અને તેનાથી ઘણા અર્થો પણ પ્રાપ્ત થાય છે. મંત્ર શબ્દ 'મનું' ધાતુ (દિવાદિ ગણ)માં રૂનું (ત્ર) તથા ઘમ્ પ્રત્યય લાગીને બને છે. આ વ્યુત્પત્તિ અનુસાર એનો અર્થ થાય છે : જેના દ્વારા સ્વાનુભવ (આત્માના આદેશ)નો સાક્ષાત્કાર કરવામાં આવે તે મંત્ર છે. બીજી વ્યુત્પત્તિમાં મનુ” ધાતુનો વિચારપરક' એવો અર્થ કરવામાં આવે છે, ત્યારે તેનો અર્થ થાય છે : મંત્ર તે છે જેના દ્વારા આત્માની વિશુદ્ધતા પર વિચાર થઈ શકે છે. ત્રીજી વ્યુત્પત્તિમાં “મનું' ધાતુને સત્કારાર્થમાં લેતાં તેનો અર્થ થાય છે : મંત્ર તે છે, જેના દ્વારા મહાન આત્માઓનો સત્કાર કરવામાં આવે છે. જ્યારે 'મન'ને શબ્દ માનીને (કિયા નહીં) ત્રાણાર્થમાં ત્ર' પ્રત્યય લગાવીને પુંલિગ મંત્ર' શબ્દ બનાવવાથી એ અર્થ પ્રગટે છે કે, મંત્ર એ શબ્દ-શકિત છે, જેમાં માનવ-મનને લૌકિક અને પારલૌકિક ત્રાણ (રક્ષણ) મળે છે. 'મંત્ર' હકીકતમાં માત્ર ઉચ્ચારી જવાનો શબ્દ જ નથી; ઉચ્ચારમાન મંત્ર, મંત્ર નથી; મંત્રમાં અનંત અને અપરાજેય અધ્યાત્મ શકિત, પરમેષ્ઠી શકિત વિદ્યમાન છે, તેથી મંત્ર શબ્દમાં મનુન્નએ બંને શબ્દો ક્રમશઃ મનન, ચિંતન અને ત્રાણ અર્થાત રક્ષણ અને શુભનો અર્થ આપે છે. મનન દ્વારા મંત્ર-પાઠકને પંચપરમેષ્ઠીના મહાન ગુણોની અનુભૂતિ થાય છે. એનાથી તે શકિત સમ્પન્ન થઇને કષ્ટપ્રદ સાંસારિકતાથી રક્ષણ મેળવવા અને મુકત થવા સમર્થ બને છે. મંત્ર' શબ્દનો એક વિશિષ્ટ અર્થ પણ ધ્યાનમાં લેવા જેવો છે. મન' અર્થાત ચિત્ત'ની ત્ર' અર્થાત સુપ્ત અવસ્થા અર્થાતુ પૂર્ણ અવસ્થા અર્થાતુ આત્મ – સાક્ષાત્કારની પરમેષ્ઠી તુલ્ય અવસ્થા એ જ મંત્ર છે. વાસ્તવમાં ચિત્ શકિત ચૈતન્યની સંકુચિત અવસ્થામાં ચિત્ત બને છે અને એ જ વિકસિત થઇને ચિતિ (વિશુદ્ધ આત્મા) બને છે. ડો. શિવશંકર અવસ્થી લખે છે, "ચિત્તજ્યારે બાહ્ય સમૂહને ઉપસંહૃત કરીને, અન્તર્મુખ થઈને, ચિદ્રુપતા સાથે અભેદ વિમર્શ પ્રાપ્ત કરે છે તે જ તેની ગુપ્ત મંત્રણા છે, જેને કારણે તેને મંત્રની અભિધા મળે છે. તેથી મંત્રદેવતાના વિમર્શમાં તત્પર તથા તે દેવતા સાથે જેણે સામંજસ્ય પ્રાપ્ત કરી લીધું છે એવા આરાધકનું ચિત્ત જ મંત્ર છે. માત્ર વિચિત્ર વર્ણસંધટના” જ નથી." (મંત્ર અને માતૃકાઓનું રહસ્ય: પૂ.૧૯૦-૯૧.) વૈદિક પરંપરા અંતર્ગત સમસ્ત મંત્રોને ત્રિતત્ત્વોના સંગઠન રૂપે સ્વીકારવામાં આવ્યાં છે. આ ત્રણે તત્ત્વો વગર મંત્રની રચના થઈ જ નથી શકતી. એ ત્રણ તત્ત્વો તે શિવ, શકિત અને વિષ્ણુ (આત્મા). મંત્રના ભેદઃ વૈદિક પરંપરા અને શ્રમણ (જૈન) પરંપરામાં મંત્રોનો સર્વપ્રથમ આધાર મૂલમંત્ર અથવા મહામંત્ર છે. મહામંત્રના ગર્ભમાંથી જ અન્ય મંત્રી જન્મ લે છે. (%) પર બંને પરંપરાઓને ઊંડી શ્રદ્ધા છે. બંનેએ એનો અર્થ પોતપોતાની રીતે કર્યો છે. શારદાતિલક, રાઘવભટ્ટીય અને સૌભાગ્ય-ભાસ્કર ગ્રંથોમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy