________________
શાસનદેવી શ્રી પદ્માવતી માતા ]
[ ૧૩૭.
--
‘મ , ૨ ૩ ૪, ૫ ૬ ૪ નામક નવ વર્ણોવાળી વૈખરી' માતૃકા ઉત્પન્ન થાય છે.
નિત્યાપોદ શિવમાં માતૃકાને મંત્રમથી જણાવતાં કહ્યું છે કે - પોશ – પ્રદુ - નક્ષત્ર- ની - પશિ - સપના ટેવી સત્રમથી નૌમાતૃ પીઢ સપિનિશા प्रणमामि महादेवी मातृकां परमेश्वरीम्। कालहल्लोहलोल्लोल- कलना - शमकारिणीम्।।२।। યક્ષવામાàડપ સસિદ્ધાર્થ ના વ- તાઃ- <-સરાન - વિષ્ણુ રાા ઇત્યાદિ.
તંત્રાગમો તથા પૂર્વાચાર્યરચિત મંત્રશાસ્ત્રીય ગ્રંથોમાં તો સ્પષ્ટ ઘોષિત કર્યું છે કે, નારિત મત્રના અર્થાત્ અક્ષર વગરનો કોઇ મંત્ર નથી; અથવા એવો કોઇ અક્ષર નથી કે જે મંત્ર નથી. 'ગંધર્વતંત્રમાં પણ કહ્યું છે કે –
ये ये मन्त्रा देवतानामृषीणामथ रक्षसाम्। ते सर्वे मातृका - मन्त्रे नित्यमेव प्रतिष्ठिताः ।। જૈન દષ્ટિએ માતૃકા વણની ઉત્પત્તિઃ
જૈનધર્મનું સર્વસ્વ નમસ્કાર-મહામંત્ર.” તેમાં સમસ્ત દ્વાદશાંગ વાણીનો સાર છે. સમસ્ત શ્રુતજ્ઞાનની અક્ષરસંખ્યા તેમાં નિહિત છે. જૈનદર્શનનાં તત્ત્વ, પદાર્થ, દ્રવ્ય, ગુણ, પર્યાય, નય, નિક્ષેપ આદિ નમસ્કાર મહામંત્રમાં વિદ્યમાન છે. વળી, સમસ્ત મંત્રશાસ્ત્રની ઉત્પત્તિ પણ આ મહામંત્રથી જ થઈ છે. એટલે સમસ્ત મંત્રોની મૂળભૂત માતૃકા પણ આ મંત્રથી જ ઉત્પન્ન થઈ હોવાનું માનવામાં આવે છે.
'વર્ણ-સમાસ્નાય'માં માતૃકાને પરમાત્માનું શબ્દમય શરીર કહ્યું છે. એટલે તેને આધારે પરમાત્માને પ્રસન્ન (ભકિત) કરી તેમની કૃપા (મુકિત) પ્રાપ્ત કરવાનો મંત્રરૂપ માર્ગ માતૃકાથી કે જેને ઉત્પન્ન કરનાર નવકાર મહામંત્રથી જ પ્રશસ્ત થયો છે, તેમ માનવામાં કોઈ સંશય રહેતો નથી.
મંત્રના અર્થજ્ઞાનની આવશ્યકતાઃ
ઉપાસના પદ્ધતિમાં મંત્રોના જપનું વિશેષ મહત્ત્વ છે. જ્યારે જ ચાલે છે ત્યારે તેની સાથે અર્થનું ચિંતન અનિવાર્યપણે અપેક્ષિત હોય છે. આનું કારણ એ છે કે, ઉપાસનાક્રમમાં મંત્રોની સાથે બ્રહ્મ અને બીજા દેવ - અધિદેવોનો સંબંધ હોય છે. યોગ અને આગમશાસ્ત્રોમાં સત્ત્વ, રન્સ અને તમસની સામ્ય અવસ્થાના વૈષમ્યને તથા માતુકાઓના વિશિષ્ટ સ્પંદનને ધ્વનિઓમાં પ્રતિફલિત મનાય છે. સામ્યવસ્થાનાં રહસ્યાત્મક સ્પંદનને અમે ૐકાર કહીએ છીએ. પણ જ્યારે વૈષમ્યની અવસ્થામાં તેના ધ્વનિઓ પ્રકૃતિનાં સ્પંદનમાં પ્રકટે છે ત્યારે તે અનેકાનેક મંત્રબીજોનાં રૂપમાં પ્રસ્ફટિત થઈ ઊઠે છે. આગમોમાં ઉલ્લેખ છે -- 'साम्यस्थप्रकृतेर्यथैव विदितः शब्दो महानोमिति, ब्रह्मादित्रितयात्मकस्य परमं रुपं शिवं ब्रह्मणः । वैषम्य प्रकृतेस्तथैव बहुधा शब्दाः श्रुताः कालतस्ते शब्दाः समुपासनार्थमभवन् बीजानि नाम्ना तथा ॥' અર્થાત્, સામ્ય અને વૈષમ્ય-આ બને અવસ્થાઓમાં જે પ્રકૃતિમાં થાય છે, તેઓમાં ભારે અંતર હોય છે. સામ્યાવસ્થામાં સિસૃક્ષાનાં કારણે ૐકારનું સ્પંદન થાય છે, તે બ્રહ્મવાચક છે. તેમાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવની ઈશિતૃશકિતનો ઉન્મેષ છે. વૈષમ્યમાં સૃષ્ટિનો સત્કાર અરવિધ પ્રકૃતિનાં રૂપમાં પ્રકટ થાય છે. તે અરવિધ પ્રકૃતિ અનુસાર જ આઠ પ્રકારનાં બીજોની ઉત્પત્તિ વર્ણમાતૃકાનાં પરસ્પર સંમિલન વડે થઈ જાય છે અને તેના જપમાં તેઓના અર્થની ભાવના આવશ્યક હોય છે.
મંત્રયોગ-સંહિતા'માં કહ્યું છે કે --
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org