________________
૧૩ર ]
( શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી
'તાંત્રિક સાધનામાં મંત્રનું મહત્ત્વ
. રુદ્રદેવ ત્રિપાઠી - ડૉ. રુદ્રદેવ ત્રિપાઠી સમા સારસ્વતની કલમે અહી તંત્ર શબ્દની વ્યુત્પત્તિથી શરૂ કરીને મંત્ર, ગુરુકૃપા, ગુરુતત્વ, માતૃકાઓનું મહત્ત્વ, મંત્રચેતના વગેરે અનેક વિષયો પર શાસ્ત્રીય આધારો સાથેનો આ લેખ આલેખાયો છે. આચાર્યશ્રી ત્રિપાઠી મંત્ર અને તંત્રના અઠંગ અભ્યાસી છે. તેઓ માત્ર સાધક જ નહિ, પણ એક ઊંડા અભ્યાસી અને સારા માર્ગદર્શક પણ છે. જ્ઞાન-ધ્યાનના આ પૂજારીએ મંત્રની સાથે યંત્ર. અને તેની સાથે મનનું પ્રણિધાન; અને પ્રણિધાન સમયે થતું અતીન્દ્રિય પદાર્થોના જ્ઞાનનું વિશ્લેષણ – સંશ્લેષણ અહી વિસ્તારથી પ્રસ્તૃત કર્યું છે.
-- સંપાદક,
તંત્ર' શબ્દ અને તેના અર્થો: 'કામિક આગમ'માં 'તંત્ર' શબ્દનો અર્થ જણાવવા માટે તેની વ્યાખ્યા આપતાં કહેવાયું છે કે -- .तनोति विपुलानर्थान् तत्त्व-मत्र- समन्वितान् । त्राणं च कुरुते यस्मात् तन्त्रमित्यभिधीयते ।।
અર્થાત્ , તત્ત્વ અને મંત્રસહિત વિપુલ અર્થોને વિસ્તારથી સમજાવે છે અને તે વડે સાધકનું રક્ષણ કરે છે તેથી તે તંત્ર કહેવાય છે. કાલિકાવૃત્તિમાં તંત્ર શબ્દની વ્યુત્પત્તિ દર્શાવતાં કહ્યું છે કે, “તનુ-વિતરે' ધાતુથી ‘5 (ષ્ટ્રનું) પ્રત્યય જોડવાથી આ શબ્દ બન્યો છે અને તેનો વિગ્રહ છેઃ ‘તન્ય વિસ્તાર્યક્ત જ્ઞાન અને એટલે, તંત્ર વડે જ્ઞાનનો વિસ્તાર થાય છે, તેથી તેને 'તંત્ર' કહેવાય છે. વ્યાકરણના ધાતુપાઠમાં ૧૦મા ગણમાં તનુ-શ્રદ્ધોપર ધાતુ પણ આવે છે. તેનાથી પણ આ શબ્દની સિદ્ધિસ્વીકારતાં તેનો વિગ્રહ તાનતિ-શ્રદ્ધાપતિ ૩૫ ૫ સાપનાં વર્ષયતીતિ-તત્રમ્ થાય છે. એટલે, તંત્રમનમાં શ્રદ્ધા જગાડે છે, એટલું જ નહીં; વિવિધ ઉપાસનારૂપ સાધનો વડે સિદ્ધિ સુધી પહોંચાડે છે, તેથી તે 'તંત્ર' કહેવાય છે.
આગમાનુસારી વ્યુત્પત્તિના આધારે આ શબ્દના તન અને જે એવા બે ધાતુઓને એકીસાથે જોડી અર્થો કરવામાં આવે છે. તે અર્થ ઉપર દર્શાવેલાં પદ્યની સમાન જ છે. અન્યત્ર તંત્રશાસ્ત્રોમાં 'તંત્ર' શબ્દના અર્થો સિદ્ધાંત. શાસન, પ્રબંધ, વ્યવહાર, નિયમ, વેદની એક શાખા, શિવશકિતની પૂજા, અભિચાર વિષયક વિધાન કરનાર શાસ્ત્ર, આગમ, કર્મકાન્ડ, યુદ્ધાદિ વિષે વિવિધ ઉદેશોનો પૂરક ઉપાય અથવા યુકિત આદિ બતાવ્યાં છે. જૈનાચાર્યો યોગને 'તંત્ર' સંજ્ઞા આપે છે. લૌકિક દષ્ટિએ જનસામાન્યની માનસિકતામાં તંત્ર શબ્દ જાદૂ, કિમિયાગિરી વગેરે અર્થોનું જ સ્વરૂપ લઈ બેઠો છે, પણ તે યોગ્ય નથી. શાસ્ત્રકારોએ કહ્યું છે કે,
सर्वेऽर्था येन तन्यन्ते त्रायन्ते च भयाजनान् । इति तन्त्रस्य तन्त्रत्वं तत्रज्ञाः परिचक्षते ।। અર્થાતું, જેના વડે બધા મંત્રાર્થો-અનુષ્ઠાનોનો વિસ્તારપૂર્વક વિચાર જ્ઞાત થાય અને જેના આધારે કર્મ કરવાથી લોકોની ભયથી રક્ષા થાય, તે તંત્ર છે. તંત્રશાસ્ત્રના મર્મજ્ઞોનું પણ કથન એવું જ છે. તન અને '', બંનેને જુદા જુદા માની અર્થ કરતાં તેઓ જણાવે છે કે, "વિસ્તારપૂર્વક તત્ત્વોને પોતાને અધીન બનાવવા તેમજ પ્રકૃતિ અને પરમાત્માને સ્વાધીન બનાવવાના ભાવને ધ્યાનમાં રાખી દેવતાઓની પૂજા આદિ ઉપકરણો વડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org