SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી પ્રવાહ ચાલ્યો છે કે જે કોઈવાર વીતરાગનો અનાદર કરતો હોય તેવું લાગે. ગુરુ પ્રત્યેની ભક્તિ, કૃતજ્ઞતા અવશ્ય અનુમોદનીય છે પણ શ્રી વીતરાગ – શ્રી જિનેશ્વર દેવો પ્રત્યેની ઉપેક્ષા અને અનાદર ન ચલાવી શકાય. ગુરુ ગોવિંદ દોનો ખડે, કાકુ લાગું પાય, બલિહારી ગુરુ આપકી, જિને ગોવિંદ દિયો બતાય.” આ પ્રસિદ્ધ દુહાનો આશ્રય લઈ કેટલાક ગુરુને દેવ કરતાંય વધારે આદરણીય માનવા માંડ્યા છે. પણ આ વાત જૈન દર્શનની માન્ય પરંપરાને અનુકૂળ નથી. બીજો દુહો પોતે જ કહે છે કે ગુરુનું કર્તવ્ય પોતે ભગવાન બનવાનું નથી પણ ભગવાનનું ભાન કરાવવાનું છે. ભગવાનનું ભાન ન કરાવે એ ગુરુ નથી. એ જ રીતે ભગવાનનો અનાદર કરી ગુરુને ભજ્યા એ પણ સુયોગ્ય આત્માનું કર્તવ્ય નથી. નજીકના કે તદ્દન બાજુના જિનમંદિરમાં ગયા વિના સીધા જ ગુરુમંદિર કે અધિષ્ઠાયકોનાં દર્શન કરીને વિદાય થનારા જિનશાસનની પરંપરાના આરાધક થતા નથી. એટલું જ નહીં પણ પૂ. આચાર્યદેવ હરિભદ્રસૂરીશ્વરજી મ. તો ફરમાવે છે કે “પ્રતિ બજ્ઞાતિહિ શ્રેય:, પૂજ્યપૂજા વ્યતિક્રમઃ” પૂજ્યની પૂજાને ઓળંગી જવાય તો ચોક્કસ મંગળ રોકાય છે, અપમંગળ થાય છે. માટે અધિષ્ઠાયકોનો ગમે તેટલો ઉપકાર હોય કે ગુરભગવંતોનો ગમે તેટલો ઉપકાર કે ચમત્કાર હોય પણ શ્રી વીતરાગ પરમાત્માની ભક્તિનો ક્રમ અને જિનેશ્વર વીતરાગ પ્રત્યેનો આદર જળવાઈ જ રહેવો જોઈએ. જૈન માટે “નમો અરિહંતાણં'” અને “નમો સિદ્ધાણં' પ્રથમ પદે આરાધ્ય બન્યા છે. આચાર્ય-ઉપાધ્યાય અને સાધુનો ક્રમ તે પછી આવે છે અને અધિષ્ઠાયકોનો ક્રમ તો તેના કરતાં પણ પછી આવે છે. એક ગૃહસ્થ પોતાના દીકરાના લગ્નમાં લાખો રૂપિયા ખર્ચે છે. તેને ખરચવા પડે છે અને દીકરાના લગ્ન નિમિત્તે પૂજન ભણાવે તેમાં એટલો ખર્ચ નથી પણ કરી શકતો છતાંય એના પ્રામાણિક દિલમાં શ્રી જિનેશ્વર-વીતરાગ પ્રત્યેના આદરને દૃઢતાથી ધારણ કરે છે અને શ્રી વીતરાગ-જિનેશ્વરના ભક્તિ અનુષ્ઠાનને એ સર્વોપરી સમજે છે. જ્યાં સુધી શ્રી વીંતરાગ-જિનેશ્વર ભગવંતોની ભક્તિને સર્વોપરી માને, જ્યાં સુધી વીતરાગ પ્રત્યેનો અનહદ આદર હોય ત્યાં સુધી ગુરુ પ્રત્યેની ભક્તિ અને અધિષ્ઠાયક પ્રત્યેની નિષ્ઠા-ભક્તિ પરસ્પર વિરોધી થતી નથી. પૈસાનો ઉપયોગ કે સમયનો વ્યય ક્યાં કેટલો થાય છે? એટલા માત્ર પરથી જ ક્યાં આદર છે? એ નક્કી થતું નથી. સુયોગ્ય આત્મા સમય અને સંપત્તિનો સવ્યય કરવામાં જરૂર ખ્યાલ કરે; પણ જ્યાં પૈસા વધારે ખર્ચાય, બોલી વધારે થાય કે જપ-જાપ વધારે થાય એટલા માત્રથી જ તે ગુરુઓ પ્રત્યે વધુ પૂજ્યતા છે કે અધિષ્ઠાયકો પ્રત્યે વધુ આદર છે એવું એકાંતે પુરવાર થતું નથી. જો એવું જ એકાંતે પુરવાર થાય તો કોઈ પણ ગૃહસ્થને જિનેશ્વર પ્રત્યે આદર નથી એવું જ પુરવાર થશે. કારણકે લગભગ ગૃહસ્થોને સંસાર પ્રત્યે જેટલો વ્યય કરવો પડે છે એટલો ધર્મ પ્રત્યે તેઓ કરી શકતા નથી. આખરે તો આરાધકે પોતે જ સમજવું જોઈએ કે શ્રી જિનેશ્વર-વીતરાગ પ્રત્યેની થોડી પણ ભક્તિ પોતાને સીધેસીધી સંસારમાંથી તારનારી થશે; જ્યારે અધિષ્ઠાયકો કે ગુરુ પ્રત્યેની ભક્તિ એક કૃતજ્ઞતા છે અને તેનાથી પણ પરંપરાએ તો જિનભક્તિમાં જ આગળ વધવાનું છે. પોતાને થયેલી સહાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy