SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા] કે કૃપાનો એક પ્રત્યુપકાર છે. અથવા તેઓની મહાન શાસનભક્તિ અને સેવાની અનુમોદના છે. આ બધું હોવા છતાંય જો એમાં શ્રી જિનેશ્વર ભગવંતની વીતરાગીતાને પરમ ઉપાદેય અને પરમ ઉપાસ્ય નહીં મનાય તો ગુરુભક્તિ કે શાસન દેવ-દેવીઓની ભક્તિ પણ સફળ નહીં જ થાય. પ્રભુ શ્રી જિનેશ્વર પરમાત્માની પ્રતિમાની અનામિકા આંગળીથી થતી પૂજા અને શાસન દેવોને અંગૂઠા વડે મસ્તક પર થતું તિલક એ સુંદર મર્યાદાનું ભાન કરાવે છે. આપણાં સાધર્મિક દેવ-દેવીઓ સ્મરણીય-વંદનીય અને પૂજનીય બન્યાં હોવા છતાંય એમની કક્ષા સાધર્મિકોની જ છે. એ મુક્તિમાં સહાયક છે. ધર્મમાં સહાયક છે... સાધનામાં સહાયક છે... અભિલાષાની પૂર્તિ કરાનારાં છે. એમને પણ જે મોક્ષની પ્રાપ્તિ કરવાની બાકી છે તે જ મોક્ષની પ્રાપ્તિ આપણે પણ કરવાની છે... કૃતજ્ઞભાવે આરાધના કરવાની છે. આટલી સ્પષ્ટતા બાદ પણ જે લોકો દેવ-દેવતાને શું કરવા માનવા જોઈએ? દેવ-દેવીઓને માનવાથી શું? સહુને સહુનાં કર્મો ભોગવવા પડે છે તો દેવી-દેવતા શું કરી લેશે? આવી વાતો કરે છે. તે શાસ્ત્રના અજ્ઞાન આત્માઓ છે... દયા કરવા યોગ્ય બાળકો છે. શાસ્ત્રોમાં તો “દેવાણં આસાયણાએ દેવીપું આસાયણાએ” જેવા સ્પષ્ટ પાઠો છે અને એ દરેકનો સાદ તો એ જ છે કે દેવ-દેવીઓ પ્રત્યે તિરસ્કારભાવતો ન જ રાખવો... છતાંય આવી વાત કરીને પોતે શ્રી જિનેશ્વર-વીતરાગથી ખૂબ જ નજીક છે એવો દાવો સિદ્ધ કરવાનો પ્રયન્ત કરતા હોય છે. શાસ્ત્રપદ્ધતિથી જ શ્રી જિનેશ્વર-વીતરાગની નજીક હોય તેવાને અવશ્ય સ્મરણીય અને અનુમોદના યોગ્ય માને છે. માટે ક્યારેય સાચો આરાધક વિશેષ કરીને શાસન દેવ-દેવીઓનો તિરસ્કાર કરનાર કે તેમનો અભાવ દેખાડનાર ન જ હોય. કોઈ ભાવિકો એમ કહેતા હોય છે કે અમારે શાસન દેવ-દેવીઓ પાસે કશી જ અપેક્ષા નથી તો અમે શાસન દેવ-દેવીને શા માટે માનીએ? શાસ્ત્રકારોએ જ આ શાસન દેવ-દેવીઓને વૈયાવૃત્ય શાંતિ અને સમાધિકારક તરીકે પ્રતિષ્ઠાપના કરી તેમને તે રીતે યાદ કરવાનું કહ્યું છે. પછી આપણી મતિને તેના નિષેધ માટે પ્રસરાવવાનો કોઈ અધિકાર નથી. એક વાત સ્પષ્ટ રીતે ઉલ્લેખનીય છે કે જેઓ આવશ્યક ક્રિયામાં દેવ-દેવીઓના કાઉસ્સગ્ન નથી કરતાં તેઓ પણ દેવવંદનાદિક ક્રિયામાં દેવ-દેવીનો કાઉસ્સગ્ન કરે છે, એમના પ્રત્યે ભક્તિભાવ રાખે છે. એ જ આગળ વધીને શાસન દેવ-દેવીઓનાં મહત્ત્વપૂર્ણ પ્રતિષ્ઠાનો ઊભાં કરે છે. માટે દેવ-દેવીઓની આરાધનાની વાત કોઈ અપ્રમાણિત કરતું નથી. છતાંય અમે જોયું છે કે કેટલાક વર્ગ ખોટો આત્મસંતોષ કેળવી કંઈક દાંભિક પ્રવૃત્તિ કરતો હોય છે. અમે શાસન દેવ-દેવીમાં નથી માનતા એવું જાહેરમાં સહુના મગજમાં ઠસાવી પ્રચ્છન્ન રીતે જરૂરિયાત જણાતાં કે મોકો મળતાં જિન-શાસનના અમાન્ય એવાં દેવ-દેવીઓની પણ ઉપાસના અને આરાધના કરતાં જોવામાં આવે છે. અને જેમ મિથ્યાત્વી એવા પણ વૈદ્ય અને ડૉકટરની દવા લેવી પડે છે, તેમ મિથ્યાત્વી દેવ-દેવીઓની આ ક્રિયા પણ વૈદ્ય અને ડૉકટરની માફક કરાવીએ છીએ, એવો આત્મસંતોષ માને છે. આ પરિસ્થિતિ કેટલે અંશે ઉચિત છે? તેવી પ્રવૃત્તિ કરનારાઓએ સ્વયં વિચારવા જેવું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy