________________
શાસનદેવી શ્રી પદ્માવતી માતા
નંદલાલભાઈ દેવલુકે અથાક પરિશ્રમથી કર્યું છે. પ્રત્યેક વસ્તુ માટેની એમની ચીવટ અને ખંત તથા માન્ય જૈન પરંપરા માટેનો તેમનો આદર પણ મને ઉત્તમ કક્ષાનો લાગ્યો છે.
સાપેક્ષ આરાધ્યતા''
"
સમ્યદૃષ્ટિ દેવોની આરાધ્યતાનો ક્રમ આપણે ત્યાં નિર્ધારિત કરવામાં આવ્યો છે તે ખૂબ જ આનંદનો વિષય છે. ‘‘સંસાર દાવાનલ’’ અને ‘કલ્યાણ મંદિર’’ જેવી સ્તુતિઓની રચના આપણને જણાવે છે કે સહુથી પ્રથમ આરાધ્ય ‘વીતરાગ’” છે. ત્યાર બાદ આગમ આરાધ્ય છે અને ત્યાર પછી જ સમ્યકદૃષ્ટિ દેવો આરાધ્ય છે. બીજી રીતે વિચારીએ તો જ્યાં આરાધના કરીએ તે અરિહંતના ચૈતન્યની આરાધના સર્વ લોકમાં રહેલા અરિહંતના ચૈતન્યની આરાધના અને આગમની આરાધના બાદ સમ્યદૃષ્ટિ દેવોની આરાધના છે. મંદિરો સભ્યદૃષ્ટિ દેવોની આરાધના માટે નથી જ અને મંદિરમાં સમ્યદૃષ્ટિ દેવોની આરાધના ન જ થવી જોઈએ એવો આગ્રહ શાસ્ત્ર અને પરંપરાથી પ્રમાણિત થતો નથી એમ લાગે છે. જિનાલયના પ્રત્યેક ચૈત્યવંદન-દેવવંદન વખતે ચારેય સ્તુતિઓ પ્રભુ સન્મુખ જ બોલાય છે. શાંતિ-સ્નાત્રનાં નવગ્રહપૂજનો અને દિક્પાલ પૂજનો પ્રભુની સન્મુખ જ કરવાં એવો વિધાનકારોનો આદેશ હોય છે. આવા સુવિહિત આદેશોને અનુસરવું એ આપણું કર્તવ્ય છે. દેવાધિદેવની પ્રારંભમાં પણ પૂજા ન જ હોય કે સ્તુતિ ન જ હોય તેવાં દેવ-દેવીઓનાં વિધાનો કે સ્તુતિઓ આજ સુધી પ્રસિદ્ધ થયાં જોવામાં નથી આવતાં. જ્યાં દેવાધિદેવની નિશ્રા હોય છે, જ્યાં એમની પ્રારંભિક સ્તુતિ હોય છે, જ્યાં એમની આરાધનાથી મોક્ષપ્રાપ્તિનું લક્ષ્ય દૃઢ થતું હોય છે ત્યાં જ સમ્યદૃષ્ટિ દેવ-દેવીઓની આવી આરાધના થાય તે જ ઉચિત છે. એવો જ આરાધનાક્રમ આજ સુધીનાં વિધાનોમાં જળવાયો છે. માટે સમ્યદૃષ્ટિ દેવોનો આરાધનાક્રમ બદલી એમને સર્વપ્રથમ સ્થાને બિરાજિત કરવા તે ઉચિત નથી. માટે જ શાસનપ્રેમીઓએ ચોતરફ લક્ષ્ય રાખવા જેવું છે. અધિષ્ઠાયકોનું સ્થાન જિનાલયમાં જિનેશ્વરની શક્ય સમીપમાં જળવાઈ રહે એનો ખ્યાલ રાખવો. અધિષ્ઠાયકોનાં સ્વતંત્ર મંદિરોની હિમાયત પ્રોત્સાહન આપવા જેવી પ્રવૃત્તિ લાગતી નથી.
ચિંતકો એવું માને છે કે અધિષ્ઠાયકો પોતે પોતાનું સ્થાન ભગવાનની નજીક રહે તેમાં ૫૨મ પ્રસન્નતા અનુભવે છે. સેવક હંમેશાં સ્વામીનું સાંનિધ્ય ઝંખતો જ હોય છે. તેથી અધિષ્ઠાયકોને જિનમંદિરના પરિસરની બહાર સ્થાપવાની પ્રવૃત્તિ ન જ કરવી જોઈએ અને પદ્માવતી માતાજીની પ્રતિમાજી તો મંગલ ચૈત્ય રૂપે પણ પાર્શ્વ-પ્રભુની પ્રતિમાજીની સાથે જ રાખવી અર્થાત્ ફણા ઉપ૨ પાર્શ્વનાથ પ્રભુની અંજનશલાકા વિનાની પણ પ્રતિમા રાખવી જ. ભલે તે પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા પૂજનીય ન હોય તો પણ પદ્માવતી માતાની પ્રતિમામાં આ પ્રભુની પ્રતિમા આવશ્યક જ જણાય છે. ભગવતી પદ્માવતીજી, ઘંટાકર્ણજી, મણિભદ્રજી, નાકોડા ભૈરવજી કોઈપણ અધિષ્ઠાયકોની પૂજામાં વિવેક જરૂરી જ છે. આ વિવેક અને ઔચિત્યની કોઈ નિયત વ્યાખ્યાઓ કરી શકાતી નથી. પણ અધિષ્ઠાયકોનો આદર પરમાત્માના-વીતરાગના અનાદર સુધી તો નજ પહોંચવો જોઈએ. આ વાત માત્ર અધિષ્ઠાયકો માટે જ ખ્યાલમાં રાખવાની છે એવું નથી. આજના કાળમાં ગુરુભક્તિનો પણ એક એવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org