________________
શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી
મોક્ષમાર્ગની આરાધના કરતાં આત્માને સહાય કરવાથી સનતકુમાર ઇન્દ્ર એકાવતારી છે એમ સ્પષ્ટ વિધાન છે. શાસ્ત્રોમાં મોક્ષમાર્ગના આરાધકોને સમ્યક્દૃષ્ટિ દેવોએ સહાય કર્યાના અસંખ્યાત દાખલાઓ છે. આ દૃષ્ટાંતોનું પૃથક્કરણ થવું જરૂરી છે. કેટલીકવાર દેવોએ સાક્ષાત આવીને મોક્ષમાર્ગની સાક્ષાત્ આરાધનામાં સહાય કરી છે. કેટલીકવાર તેઓ આવી આરાધનાની પૂર્ણતાની અનુમોદના કરે છે, એના મહોત્સવો કરે છે, તો કેટલીકવાર મોક્ષમાર્ગના આરાધકની મનોભિલાષા પૂર્ણ કરે છે. તો કેટલીકવાર આરાધકે અન્ય કોઈ સ્વજન-સંબંધીની મનોભિલાષા પૂર્ણ કરવાની ધારણા રાખી હોય છે તો તે પણ દેવોએ પૂર્ણ કરી છે. જેમ આરાધકનું, સમ્યફદૃષ્ટિ દેવોનું આરાધન એ પરંપરા મોક્ષ-માર્ગ હોવો જરૂરી હોય છે તેમ પ્રસન્ન કે આરાધ્ય બનેલ દેવનું પણ આરાધક માનવને સહાયક થવું એ પરંપરાએ “મોક્ષમાર્ગ છે. સાધર્મિક વાત્સલ્ય એ સમ્યક્ દર્શનનો આચાર છે જે માનવો અને દેવો બનેય માટે સરખી રીતે આરાધ્ય છે. ઉત્કૃષ્ટ શાસનભક્તિવાળા દેવો પોતાની સ્મૃતિ કરતા હોય તેવા આરાધકોને પણ સહાયક થાય છે. વિશિષ્ટ જિનપ્રતિમાઓના, સ્તોત્રના, યંત્રના, મંત્રના પણ દેવો અધિષ્ઠાયક થતા હોય છે અને તે મંત્રાદિના આરાધકોને પ્રત્યેક ક્ષેત્રે સહાય કરતા હોય છે. પણ સમ્યક્દૃષ્ટિની આ સહાય-પ્રદાન પાછળ અને સમ્યફદૃષ્ટિથી થતી આ સહાયની પ્રાપ્તિ પાછળ ઉપાસ્ય મોક્ષની પ્રાપ્તિ થાય એ ઉદેશ્ય સ્પષ્ટ રાખવો જરૂરી છે. આવા ઉદ્દેશ્યોને શાસ્ત્રોમાં વ્યાપક માન્યતા અપાઈ છે.
શાસનના શિરતાજ સમા અને તીર્થકરના પ્રતિનિધિ સમા આચાર્ય ભગવંતોના તપ-ત્યાગ અને ચારિત્ર્યથી દેવો આકૃષ્ટ થઈને પરોક્ષ કે પ્રત્યક્ષ સહાયભૂત હોવા છતાંય એ આચાર્ય ભગવંતોએ સમ્યફ દૃષ્ટિ દેવોની નિરંતર આરાધના કરી છે. સૂરિમંત્રની આરાધના અને એનું પીઠિકા સહિત આરાધન આજના કાળ સુધી ચાલતું આવ્યું છે. કોટિગણના પ્રારંભના મૂળમાં એમ કહેવાયું છે કે સ્થવિર સુસ્થિત અને સ્થવિર સુપ્રતિબદ્ધ આચાર્ય ભગવંતે ક્રોડવાર સૂરિમંત્રનો જાપ કર્યો અને અનેક સિદ્ધિ મેળવી. શાસ્ત્રમાં આઠ પ્રકારના મહાન પ્રભાવકો ગણવામાં આવ્યા છે. તેમાં મંત્રસિદ્ધિ આત્માને પણ શાસનના પ્રભાવક ગણવામાં આવ્યા છે. આવાં અનેક દૃષ્ટાંતોનો ઉલ્લેખ અહીં કરતા નથી કારણ કે દૃષ્ટાંતો પ્રસિદ્ધ જ છે. શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર, શ્રી ભક્તામર સ્તોત્ર, શ્રી કલ્યાણમંદિર સ્તોત્ર તથા લઘુશાંતિ સ્તોત્રની રચનાના ઇતિહાસ આ ગ્રંથમાં ય ઉલ્લેખિત છે. આ ઘટના સ્પષ્ટ બતાવે છે કે સમ્યફદૃષ્ટિ દેવોની વિશિષ્ટ આરાધના અને સાધના જૈન શાસનના મહાપુરુષોએ કરી છે અને સમ્યકુદૃષ્ટિ આત્માના તમામ પ્રશ્નોનું નિવારણ એ સ્તોત્રો દ્વારા થતું આવ્યું છે. આજના કાળમાં પણ આવા પ્રસંગો અનેકવાર બનતા આવ્યા છે. શ્રી ભક્તામર અને શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રના જાપયોગથી થયેલી સહાયના દાખલાઓ મારી પાસે એટલા બધા આવ્યા છે કે તે લખવા માટે એક સ્વતંત્ર ગ્રંથ જોઈએ... પણ સ્તોત્રની આરાધનાના પાઠથી થતાં ચમત્કારો, સંહાયો, વાંછિત પ્રાપ્તિઓ, આખરે પણ આસ્થાને-શ્રદ્ધાને ન વધારે કે તે આસ્થામાંશ્રદ્ધામાં વિકૃતિ જન્માવે તો એ આપણો પોતાનો દોષ છે. આવી આરાધના કે આવી આરાધના માટેનો માર્ગ ખોટો છે તેવું કદીય કહી શકાય તેમ નથી. આ ગ્રંથના લેખો પ્રારંભિક ભૂમિકા પર સુંદર પ્રકાશ પાડે
આથી ભવિષ્યમાં વિચારકો અને આરાધકોને હજુ પણ આથીયે ઉત્તમ કક્ષાના લેખો લખવાની સુંદર પ્રેરણા જગાવે છે. ભાવિના મહાન ગ્રંથો માટે આ એક મજબૂત પાયો છે. આવું પાયાનું કાર્ય શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org