SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૧૦૯ તીર્થકરોની માતાઓ : ચોવીશ તીર્થકરોની માતાઓનાં નામ આ પ્રમાણે છે : (૧) મરૂદેવી, (૨) વિજયાદેવી, (૩) સેનાદેવી, (૪) સિદ્ધાર્થા, (૫) મંગલા, (૬) સુશીમા, (૭) પૃથ્વીદેવી, (૮) લક્ષ્મણાદેવી, (૯) રામાદેવી, (૧૦) નંદાદેવી, (૧૧) વિષ્ણુદેવી, (૧૨) જય,(૧૩) શ્યામાદેવી, (૧૪) સુયશા, (૧૫) ૬) આચરાડવા, (૧૭) શ્રીદવી, (૧૮) દેવીમાતા, (૧૯) પ્રભાવતી, (૨૦) પદ્માવતી, (૨૧) વપ્રાદેવી, (૨૨) શિવા, (૨૩) વામાં અને (૨૪) ત્રિશલાદેવી. વિદ્યાદેવીઓઃ શ્રી બી. સી. ભટ્ટાચાર્ય જૈન ઈકનોગ્રાફી' (પૃ. ૧૬૪)માં જણાવે છે કે, અલ્પ પ્રચલિત દેવીઓ ઉપરાંત ૧૬ વિદ્યાદેવીઓ પણ છે. આજે ભલે વિદ્યાદેવીની ઉપાસના મોળી પડી હોય, પણ પ્રાચીનકાળમાં શ્રમણો અને શ્રાવકો દ્વારા વિદ્યાદેવીની ઉપાસના થતી; તેનો ઉપયોગ જૈનશાસનના હિત માટે થતો. ૧૬ વિદ્યાદેવીઓની માહિતી શ્રી પાદલિપ્તાચાર્ય કત નિર્વાણ કલિકા'માં અને શ્રી વર્ધમાનસૂરિ લિખિત 'આચાર દિનકર'માં મળે છે. તે પરથી તેનો અહીં ટૂંક ઉલ્લેખ કરી લઈએ. (૧) શ્રી રોહિણી - જે પુણ્યબીજને ઉત્પન્ન કરે છે. (૨) શ્રી પ્રજ્ઞપ્તિ - જેને પ્રકૃષ્ટ જ્ઞાન છે. (૩) શ્રી વજશૃંખલા - જેના હાથમાં દુષ્ટોનું દમન કરવા માટે વજની શૃંખલા છે. (૪) શ્રી વર્જકુશા - જેના હાથમાં વજ અને અંકુશ રહેલા છે. (૫) શ્રી અપ્રતિચકા - જેના ચક્રની બરોબરી કોઈ કરી શકે નહિ તેવી. (૬) શ્રી પુરુષદત્તા - જે પુરુષને વરદાન આપનારી છે. (૭) શ્રી કાલી – જે દુશ્મનો પ્રત્યે કાળ જેવી છે. (૮) શ્રી મહાકાલી – જે વૈરીઓ પ્રત્યે મહાકાળ જેવી છે. (લૌકિક મતમાં કાલી અને મહાકાલીનું જે રૌદ્ર-હિંસક રૂપ મનાયું છે, ઘેટાં-બકરાં વગેરે પશુઓનો તેને બલિ અપાય છે, તેના કરતાં જૈનધર્મમાં કાલી-મહાકાલીનો ઉલ્લેખ સૌમ્ય અને વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી તરીકેનો છે.) (૯) શ્રી ગૌરી - જેને જોવાથી ચિત્ત આકર્ષાય. ગૌરવર્ણની હોવાને લીધે ગૌરી. (૧૦) શ્રી ગાન્ધારી - ગાન્ધારદેશમાં જન્મેલી. જેનાથી ગંધ ઉત્પન્ન થાય છે તે. (૧૧) શ્રી સર્વીસ્ત્ર મહાજ્વાલા - જેનાં સર્વ અસ્ત્રોમાંથી મોટી જ્વાલાઓ નીકળે છે. (૧૨) શ્રી માનવી - જે મનુષ્યની માતાતુલ્ય છે. (૧૩) શ્રી વૈરોટયા - અન્યોન્ય વૈરની શાંતિ માટે જેનું આગમન થાય છે. (૧૪) શ્રી અચ્છુપ્તા - જેને પાપનો સ્પર્શ થતો નથી. (૧૫) શ્રી માનસી – જે ધ્યાન ધરનારના મનને સાંનિધ્ય કરે તે માનસી. (૧૬) શ્રી મહામાનસી - જે ધ્યાનરૂઢ મનુષ્યને વિશેષ સાંનિધ્ય કરે તે. ઉપરોકત ૧૬ વિદ્યાદેવીઓનાં નામોમાંથી કેટલાંક નામો તો એવાં છે, જે તીર્થકરોની શાસનદેવીઓની સૂચિમાં પણ આવે છે. તેમનો ઉલ્લેખ પ્રચલિત દેવીઓ તરીકે થશે. દિકકુમારિકાઓ : શ્રી, હ્ર, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મીનો સમાવેશ થાય છે. શ્રી લક્ષ્મીદેવીઃ જૈનશ્રમણો અપરિગ્રહી હોવાને કારણે તેઓ થકી શ્રી લક્ષ્મીદેવીની આરાધના બલવત્તર બની નહી, તો પણ જૈન ગહસ્થોને ત્યાં લક્ષ્મીની પૂજા-અર્ચનાની પરંપરા અવશ્ય જોવા મળે છે. તીર્થકરની માતાને અવન પછી ચઉદ સ્વપ્ન આવે છે. તેમાંનું એક સ્વપ્ન લક્ષ્મીદેવીનું હોય છે. એ રીતે પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy