________________
સર્વ સંગ્રહગ્રંથ-૨
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની ભવ્ય જિનાલયને સં. ૨૦૩૩ના જેઠસુદી ૨ ને દિવસે શાસનરત્ન શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈના વરદ હસ્તે શિલારોપણ વિધિ થઈ. જ્યાં આગળ શ્રી મુનિસુવ્રત સ્વામી જિન પ્રસાદ (સમડી વિહાર) ભરૂચ તરફથી ભેટ મળેલ પ્રાચીન શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની મનોહર પ્રતિમા તથા શ્રી છનીયાર સંધ તરફથી શ્રી શાંતિનાથ પ્રભુની સંપ્રતિ મહારાજના સમયની પ્રાચીન પ્રતિમા બિરાજમાન છે. આ જિનાલયનું નિર્માણ કાર્ય શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના માર્ગદર્શન હેઠળ થઈ રહેલ છે.
૫૦૦૦ જેટલા જૈનેનાં ઘર છે. મુખ્યતઃ છ મંદિર છે.
બડા બજારમાં તુલા પટ્ટીમાં બે માળા શિખરબંધી શ્રી શાંતિનાથ પ્રભુનું મંદિર છે. સ્ફટિકની મૂતિઓ, સમવસરણ, શ્રી નેમિનાથ પ્રભુની વરયાત્રા, અને યંત્ર પટકે, ચિત્રો છે.
ધરમતલા સ્ટ્રીટમાં શ્રી સીતાપચંદજી નાહરનું શ્રી આદીશ્વર ભગવાનનું ઘર દહેરાસર છે જ્યાં ફિટિકની મૂર્તિઓ છે. તેમનું પિતાનું પુસ્તકાલય છે જેમાં પ્રાચીન લેખ, તાડપત્રીઓ, ચિત્રપટ, સિક્કાઓ, મૂતિઓ વિગેરે છે. કેટલાક અપ્રાપ્ય ગ્રંથે પણ છે. સંવત ૧૦૭૭ના સમયની મૂર્તિ અને બીજી ધાતુ મૂતિ સંવત ૧૦૭૨ની દર્શનીય છે.
કેનીંગ સ્ટ્રીટ નં. ૯૬માં શ્રી મહાવીર સ્વામીનું મંદિર, ઉપાશ્રય અને નાનું પુસ્તકાલય છે.
શામબજારમાં માણેકલામાં શ્રી ચંદ્રપ્રભુનું શ્રી શિખરબંધી મંદિર છે અને બીજુ મંદિર શ્રી મહાવીર સ્વામીનું છે જ્યાં શ્રી યૂલિભદ્રની મૂર્તિ અને ઈતર પાદુકાઓ છે. ત્રીજુ શામબજારમાં રાયબહાદુર બદ્રીદાસ બાબુનું અતિ સુંદર કાચમદિર શિખરબંધી છે. માતા ખુશાલકુંવરીની પુણ્ય સ્મૃતિમાં બંધાવ્યું છે. મૂળનાયક પ્રભુ શ્રી શિતળનાથ છે. અતિ કળામય અને કારીગરીવાળું આ મંદિર કલકત્તાનું “બંગાળનું સૌદર્ય... એ નામથી વિભૂષિત છે. મંદિરની વિશાળ ઊભણી ઉપર એક મજલી, દૃષ્ટિમાંથી દૂર કરતાં દિલ દુઃખે તેવું રમણીય મંદિર, આજુબાજુ બગીચે, આરસના ફૂટપાથ, સુંદર નાનકડું જળાશય, આરસની વિશાળ પૂતળી જ્યારે ઇલેકટ્રીક લાઈટમાં ઝળહળે છે ત્યારે “સુંદર કહ્યા વિના રહેવાતું નથી. મંદિરમાં અનેક રંગના કાચથી કાચકામ પણ રોશનીમાં મુગ્ધ કરે છે. રંગમંડપના ગોખમાં સ્ફટિકની, પાનાની સુંદર મૂર્તિઓ છે. જૂના સમયનું હીરાનું ઝુમ્મર, રોશનીથી પ્રકાશિત કરાય છે, ત્યારે દિવ્ય દેશમાં આવ્યા ન હોય તેવા ભ્રમમાં પડીએ છીએ. અત્રે ભગવાનના જમણે હાથે બહાર “અખંડ દિપક' છે, જેની જયોત-કાજળ શ્યામ ન બનતા કેસરવણું છે જે આજના વિજ્ઞાન યુગમાં આશ્ચર્ય કહી શકાય.
દાહોદ ગુજરાત-રાજસ્થાન-મધ્ય પ્રદેશના ત્રિભેટે ઊભેલું આ અતિપ્રાચીન દાહોદ ગામ છે. વેતાંબર જૈનેની વસ્તી જૂજ છે. પ્રાચીન ઘર દહેરાસર હાઈવે ઉપર સ્થિત હતું તેનો જીર્ણોદ્ધાર કરી શિખરબંધી દહેરાસર બનાવ્યું તેની પ્રતિષ્ઠા પૂ. આચાર્ય મહારાજ શ્રી શુભંકર સૂરિશ્વરજી તથા પૂ. આચાર્ય મહારાજ શ્રી સૂર્યોદય સૂરિશ્વરજીના હસ્તે સં. ૨૦૩૩માં કરવામાં આવી. મૂળનાયક અતિચમત્કારિક શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે.
દાહોદ ગામ ઇન્દૌર-ઉજજૈન-માંડવગઢ-મોહનખેડા-લક્રમણ નાગેશ્વર વિ. તીર્થની જાત્રા દરમિયાન રસ્તામાં આવતું હોવાથી પૂ. સાધુ ભગવંતે, સાથીજી મહારાજ તથા યાત્રાળુઓ દર્શનને સારો લાભ લે છે.
દાહોદ ગામ મુંબઈ દિલ્હી વેસ્ટન લાઈન ઉપર આવેલું છે વિશેષ માહિતી માટે શ્રી ચીમનલાલ ગીરધરલાલ શાહ, ૨૩૨ દોલતગંજ બજારમાં, દાહોદ-૩૮૯૧૫ ને સંપર્ક સાધવો.
કરબરીયા–પીપલદર અહીંના આ દેરાસરમાં આરસના તેર ભગવાન છે. તેમાં અભિનંદન સ્વામી મૂળનાયક છે. મૂળનાયક સંપ્રતિ રાજાના વખતના છે. આ દેરાસરમાં શ્રી માણિભદ્રવીરજીનું સ્થાન છે. તે ચમત્કારી છે અને અનેક વખત ચમત્કાર થયા મનાય છે. દેરાસરની જગ્યા ભવ્ય અને વિશાળ છે. બે ગામની અંદર ચાર ઉપાશ્રય આવેલા છે. પરમ પૂજ્ય પીપલદર નિવાસી શ્રી જગતચન્દ્ર વિજયસૂરિ મહારાજ સંવત ૨૦૩૧માં ચોમાસુ બિરાજમાન થયેલ, ત્યારે ઘણું જૈન તેમજ જૈનેત્તરોએ ઉગ્ર તપશ્ચર્યા કરેલ. અહીંથી વડનગર, તેમજ તારંગાથી મહેસાણા, મહુડી, આગલેડ, વિજાપુર વિગેરે નજીક છે. અત્રે સાધુ, સાધ્વીઓને સારે વિહાર રહે છે. વડનગરમાં જૈન ધર્મશાળા તેમજ ભોજનશાળાની વ્યવસ્થા છે. કરબરીયાથી વડનગર દસ કિલોમીટર છે. બસની વ્યવસ્થા સારી છે. ગામમાં કરબરીયા પીપલદર જૈન યુવક મંડળ પણ છે. તેમાં વર્ષે એકવાર
પુરવણી
ગાંધીનગર
ગુજરાત રાજ્યનું નવું પાટનગર ગાંધીનગર જ્યાં હાલ વેતામ્બર મતિપૂજક જૈનના ૨૫૦ કુટુંબ રહે છે. પૂજય સાધન સાધ્વીજી મહારાજને ઉત્તર ગુજરાત, મહેસાણું, માણસા, મહુડી, વિજાપુર તરફ જવા માટે આ મુખ્ય વિહારને માગ છે. સૌને જીવપૂજન-વંદનને ઉત્તમ લાભ પ્રાપ્ત થાય તે માટે ગાંધીનગરના
Jain Education Intemational
ducation Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org