SearchBrowseAboutContactDonate
Page Preview
Page 977
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસંગ્રહગ્રંથ-૨ ૪૫ == 1 - ભમહાવીરસ્વામી ની નિર્વાણભૂમિ - શ્રી પીવાપરીતીયે બિંબિસાર-શ્રેણકે આ નગરનું નવનિર્માણ કર્યું. અહીં જગતભરમાં ન મળે તેવી અપ્રાપ્ય ચીજો પણ મળતી. પ્રભુ મહાવીરનાં ભક્ત શ્રેણકે જૈન ધર્મની યશપતાકા ફરકાવી છે. પ્રભુએ અહીં ચોમાસું કરેલ અને અનેક વખત વિહારમાં સ્થિર વાસ કરેલ. પ્રભુના ૧૧ ગણુધરે અહીં નિર્વાણ પામેલા અનેક મહાપુરુષ-મેતાર્યમુની, અઈમુત્તામુનિ ધના શાલિભદ્ર, મેઘકુમાર, અભયકુમાર, કયવનાશેઠ, જંબુસ્વામી, શરભસૂરી અને છેલ્લે પૂણ્યા શ્રાવકને કેમ ભુલાય ? રાજગૃહીમાં નેપાળના વેપારીઓ રન કંબલો વેચવા આવેલ, શાલિભદ્રની અખૂટ સમૃદ્ધિ, ૧૬ રન કંબલોની ખરીદી, દરેકની સવા લાખ સોનામહોર કિંમત, ૩ર ટુકડા કરી પગે લૂછી વિસર્જન, શ્રેણીકનું સમાન, ધનાની ટકોર અને શાલિભદ્ર-ધન્ને મહાવીરના શરણે. મંત્રી અભયકુમારની બુદ્ધિ આજે પ્રત્યેક જૈન વાંછે છે. કવન્યા શેઠનું સૌભાગ્ય અનેખું હતું. મહાવીરના પરમ શ્રાવક પુણનું માત્ર સીમાયક અને તેનું મૂલ્ય-અમૂલ્ય આવા અનેક આત્માએ આ રાજગૃહીની ધરતીના રને હતા, અને તેઓએ મગધ ભૂમિની પ્રતિષ્ઠા વધારી છે. રાજગૃહીના પ્રાચીન નામમાં રાજગિરિ, ક્ષિતિપ્રતિષ્ઠિત, ચણકપુર, ઋષભપુર, કુશાગ્રપુર, ગિરિત્રજ વિગેરે અનેક નામ પુસ્તકને પાને નોંધાયા છે. અહીં ૩૬ ૦ ૦૦ જેટલી મોટી સંખ્યામાં જૈન અને બૌધ વસતી હતી. યક્ષ મંદિરો જેવા કે ગુણશીલ, મેડિકુરછ, મોગર પાણીનાં હતાં. ઠેઠ પંદરમી સદીથી સત્તરમી સદી સુધીમાં અનેક આચાર્યોએ તીર્થ તરીકે માની તેઓએ રચેલી સ્તુતિઓ કે ઑત્રોમાં રાજગૃહીની ભારોભાર પ્રશંસા મુક્ત કંઠે ગાઈ છે. ગણધર બન્યા અને શિષ્ય સમુદાય લગભગ ૪૪૦૦ જેટલે થયો. પ્રભુએ પોતે દિક્ષા લીધી ત્યારે એકાંકી અને નિર્વાણ પણ એકાંકી. પ્રભુએ કેવળજ્ઞાન પામતા દેવોએ સમવસરણ ૨:અનેક સત્રથી દેશનાઓ જનસમાજને આપી છે. નિર્વાણ સમય પહેલાં છેલ્લી સોળમી દેશના ઉત્તરાધ્યયન સૂત્ર” અહીંથી જ પ્રસારિત કરી હતી. અહીં ચાર મંદિર છે. જેમાં પહેલું ગામમાં બેમાળી મંદિર મહાવીર પ્રભુના મૂળનાયકનું છે. ધર્મશાળા જૂની નવી અને ઉપાશ્રય છે. બીજું મંદિર તે જળમંદિર છે, જ્યાં ભગવંતનું સમાધિસ્થળ–પગલાં છે. આજ ભૂમિમાં પ્રભુને અગ્નિસંસ્કારની વિધિ કરેલી. પ્રભુનાં મરણ રૂપે લેકે પવિત્ર રાખને શરીરે લગાડવા લાગ્યાં અને છેવટે રાખ નીચેની માટી પણ ચોપડતાં જયામાં ખાડા પડયા જેથી તળાવ બન્યું. ત્યાં જ મયમાં સમાધિ મંદિર પ્રભુના ભાઈ નંદિવર્ધને બંધાવેલું, જે પછી દેટલાએ ઉદ્ધાર પામી આજનું જળ મંદિર પૂલ બાંધેલી હાલતમાં વિદ્યમાન છે. ત્રીજું મંદિર જયાં પ્રભુએ છેલી દેશના દીધી તે સ્થળે અષ્ટકોણ આકૃતિવાળુ સમવસરણ ધાટે મંદિર છે, જ્યાં પ્રભુનાં પગલાં છે. હાલમાં આ સ્થળને ઉદ્ધાર ચાલુ છે. ચોથું મંદિર મહેતાબકુંવરના નામે ઓળખાતું. બે માળી ચૌમુખી છે. જ્યાં મૂળનાયક શ્રી મહાવીર પ્રભુ તથા બાજુમાં બીજ ભગવાને છે. વીર નિર્વાણ એટલે આસો વદ અમાસના દિવસે અહીં બહુ મોટો મેળો ભરાય છે. કારતક સુદ પડવાના દિવસે ભગવાનને રથયાત્રાને વરઘોડે કાઢવામાં આવે છે. (૭) રાજગૃહી :- (વિપુલગિરિ, રત્નગિરિ, ઉદયગિરિ, સ્વર્ણગિરિ વૈભારગિરિ ) રાજગ્રહિનું નામ પૂર્વકાળથી ખૂબ જ જાણીતું છે. શ્રી મુનિસુવ્રત સ્વામીનું જન્મસ્થાન ઉપરાંત બીજા ત્રણ કલ્યાણકે આ ભૂમિમાં થયેલ. રાજા જરાસંઘે કેટલોક કાળ અહીં રાજ્ય કર્યું જે પછી અગિન કાપથી આ નગરને નાશ થયો. તે પછી શ્રી પ્રસનજીત રાજાના પુત્ર રાજગૃહી બી. બી. લાઈટ રેલ્વે લાઈનમાં છેલ્લું સ્ટેશન છે. થડેક દૂર ધર્મશાળા અને બે જનમંદિરે-શ્રી મુનિસુવ્રત સ્વામી તથા શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રાચીન મંદિર છે. પહેલી પ્રતિમ ઉપર “ જીનદાસ” અને સંવત ૧૫૦૪ની પ્રતિષ્ઠાનો લેખ છે. મૂર્તિના ઉપરના ભાગમાં, અભિષેક કરતા ચામર સાથે ઈદ્રો, ત્રણ છો, પાખંડીવાળું ભામંડળ, સિંહાસનમાં સિંહની આકતિઓ છે. બીજી પ્રતિમા પ્રાચીન ને દર્શનીય છે. ખભા ઉપરની કેશલતા, પૂજાની માળા સાથે દે, ચામર સાથે ઈંદ્રો છે. આવી કળામય મૂતિઓ આ તરફ જ વધુ જોવા મળે છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુના મંદિરમાં પંચતીથી ઉપર સંવત ૧૧૯૩ ને લેખ છે. ત્યાં મંદિર પાસે ખંડિત જીન પ્રતિમાઓ, પાદુકાઓ છે. અને કેટલાક શિલાલેખો પણ મળ્યા છે. આ બધાં ખંડિત દ્રવ્યો પાંચ પહાડ ઉપરથી જીર્ણોદ્ધાર પછી સંગ્રહ થયેલ છે. વિપુલગિરિ - રાજગૃહી પાસે પહેલો પહાડ છે. જ્યાં જતાં રસ્તે ધર્મશાળા તથા ગરમ પાણીના પાંચ કુંડ છે. ચઢાવ વાંકોચૂકો Jain Education Intemational www.jainelibrary.org ammeration For Private & Personal Use Only
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy