SearchBrowseAboutContactDonate
Page Preview
Page 879
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસંગ્રહગ્રંથ મેં દાન તો દીધું નહિ, ને શિયળપણ પાવું નહિ, તપથી દમી કાયા નહિ, શુભ ભાવપણુ ભાવ્યા નહિ; એ ચાર ભેદ ધર્મમાંથી કોઈપણ પ્રભુ નવ કર્યું, મારું ભ્રમણ ભવસાગરે નિષ્ફળ ગયું નિષ્ફળ ગયું? અર્થ :–હે પ્રભુ! નથી મેં આ ભવમાં દાન દીધું, કે નથી મેં શુદ્ધ બ્રહ્મચર્ય પાળ્યું, નથી કર્યો મેં તપ, તેમ નથી અંતરમાં ભાવ્યો સારો ભાવ, અરેરે ! મારો આ ભવન ફેરો નકામે જ થયો ! કષાયના બંધનથી પ્રભુ ભજવાની અશક્તિ દમ્બ્રોડગ્નિના ક્રોધમયેન દષ્ટ, દુઝેન લેભાગે મહારગેણ ગ્રસ્તાભિમાનાજગરેણુ માય જાલેન બદ્ધો સ્મિ કથં ભજે વામ ૫ | હું કોઇઅગ્નિથી બળ્યો વળી લભ સર્પ ડયે મને, ગળે માનરૂપી અજગરે હું કેમ કરી ધ્યાવું તને ? મન મારું માયાજાળમાં મહન, મહા મુંઝાય છે, ચડી ચાર ચરો હાથમાં ચેતન ઘણો ચગદાય છે. અર્થ :- ક્રોધરૂપી અગ્નિએ મને બાળે, દુષ્ટ લોભરૂપી મોટા સપે મને ડંશ દીધો, અભિમાન રૂ૫ અજગર મને ગળી ગયે, અને માયારૂપી જાળમાં હું બંધાયે, હે પ્રભુ! હું તમને શી રીતે ભજું? દ્રત્ત મહાનંદરસં કઠોર મમાદશાં દેવ તદમતાપિ | ૭ | અમૃત ઝરે તુજ મુખરૂપી ચંદ્રથી તોપણ પ્રભુ, ભિંજાય નહિ મુજ મન અરેરે ! શું કરું છું તે વિભુ; પત્થરથકી પણ કઠણ મારું મન ખરે કયાંથી દ્રવે, મરકટ સમાં આ મનથકી હું તો પ્રભુ હાર્યો હવે. અર્થ - આનંદદાયક વર્તનવાળા હે પ્રભુ! તમારા મુખરૂપી ચંદ્રના દર્શનનો લાભ થયા છતાં પણ આનંદરૂપી રસ મારા મનમાંથી ઝર્યો નહિ; તેથી હું ધારું છું કે મારું મન પાષાણુથી પણ વધારે કઠેર છે. [૮] દુષ્પાપ્ય રત્નત્રયીનું પ્રમાદવડે ગુમાવવું વત્તઃ સુદુષ્મામિ મયાતું, રત્નત્રયં ભૂરિ ભવભ્રમણ પ્રમાદનિદ્રાવતે ગત તતું , કસ્યાગ્રત નાયક પૂત્કરોમિ ! ૮ ! ભમતાં મહા ભવસાગરે પામ્ય પસાથે આપના, જે જ્ઞાન દર્શન ચરણરૂપી રત્નત્રય દુષ્કરે ઘણું; તે પણ ગયા પરમાદના વશથી પ્રભુ કહું છું ખરું, કેની કને કિરતાર આ પોકાર હું જઈને કરું? અર્થ:- હે પ્રભુ! દુઃખથી પ્રાપ્ત કરી શકાય તેવાં (જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપી) ત્રણ રત્નો બહુ ભવમાં ભ્રમણ કર્યા પછી આપની પાસેથી મેળવ્યા; પરંતુ તે પણ પ્રમાદ અને નિદ્રાના વશવતીપણામાં હું ગુમાવી બેઠે. હવે હું કેની પાસે જઈને પોકાર કરું? સત્કર્મને અભાવે ભવની નિષ્ફળતા કૃતં મયામૂત્ર હિત ન ચેહ લેકેડપિ લોકેશ સુખ ન મેડભૂત ! અમાદશાં કેવલમેવ જન્મ, જિનેશ જ ભવપૂરણીય | ૬ || મેં પરભવે કે આ ભવે પણ હિત કાંઈ કર્યું નહિ, તેથી કરી સંસારમાં સુખ અ૯પ પણ પામે નહિ; જન્મ અમારા જિનજી ! ભવ પૂર્ણ કરવાને થયાં, આવેલ બાજી હાથમાં અજ્ઞાનથી હારી ગયા. અર્થ -હે ત્રણ જંગતના નાથ! આ ભવમાં અથવા પર ભવમાં મેં કેઈનું પણ હિત કરેલ ન હોવાથી લેશમાત્ર પણ સુખ મને મળ્યું નથી; હે પ્રભુ! અમારા જેવાનો અવતાર તી જાણે ભવ પૂરો કરવા માટે જ થયો હોય તેમ લાગે છે. વૈરાગ્ય, ધર્મ, વિદ્યાદિને દુરૂપયોગ, વૈરાગ્યરંગઃ પરવંચનાય, ધર્મોપદેશે જનરંજનાય વાદાય વિદ્યાધ્યયન ચ મેડભૂત, કિયદુ છવે હાસ્યકર સ્વમીશ | ૯ | ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના રંગે ધર્યા, ને ધર્મનો ઉપદેશ રંજન લેકને કરવા કર્યા વિદ્યા ભણ્ય હું વાદ માટે કેટલી કથની કહું? સાધુ થઈને બહારથી દાંભિક અંદરથી રહું. અર્થ : હે પ્રભુ! મેં વિરાગ્યનો દેખાવ કર્યો તે પણ બીજાને ઠગવા માટે, ધર્મનો ઉપદેશ કર્યો તે માત્ર લોકેને ખુશી કરવા માટે વિદ્યા ભણ્યો તે પણ માત્ર વાદ કરવા માટે, આપને મારી હસવા જેવી કેટલીક વાત કહું? મનની પાષાણથી પણ વિશેષ કઠોરતા મળે મનોમન મનોજ્ઞવૃત્ત, વદાસ્ય પીયુષ મયુખલાભાતૂ I જે ૧૦૪ Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy