SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યાદ્વાદ-સપ્તભંગી નય—નયવાદ વિશ્વને જૈન દનની મહાન દેન ૧. પ્રાસ્તાવિક જૈન દર્શન બહુત્વવાદી વાસ્તવવાદ છે. તે મન અને તેનાથી સ્વત ંત્ર સૃષ્ટિ વચ્ચેના ભેદ સ્વીકારે છે. આ બે વચ્ચેના ભેદને સ્વીકાર તેને જ્ઞાન અને વાસ્તવિકતાની અનેકવિધતાના તાર્કિક નિષ્ક પ્રતિ લઈ જાય છે. તત્ત્વજ્ઞાનનું ધ્યેય વાસ્તવિકતાની સમજ છે. વાસ્તવિકતા અને સત્ય એક અને સરળ નથી પરંતુ અત્યંત જટિલ અને અનેકાંત છે. તેથી આ હેતુ કેટલાક સરળ, નિરુપાશ્ચિક વિધાનાની રચના દ્વારા માત્ર સિદ્ધ કરી શકાય નહી. વાસ્તવિકતા જટિલ છે અને તેથી કાઈ પણ એક સરળ–સાદું વિધાન તેના સ્વરૂપને સપૂર્ણ રીતે વ્યક્ત કરી શકે નહીં. આથી જૈન ચિંતકા વાસ્તવિકતાને લગતાં ભિન્ન ભિન્ન વિધાના સાથે ‘યાત્' શબ્દ લગાડે છે. ર. સ્યાદ્વાદ અને અનેકાંતવાદ શબ્દોની સમજૂતી સ્યાદ્વાદ, અનેકાંતવાદ, અપેક્ષાવાદ, ક ચિાદ-આ બધા પર્યાયવાચી શબ્દો છે. ‘સ્યાત્’ શબ્દના સામાન્ય અર્થ પ્રશંસા, અસ્તિત્વ, વિવાદ, વિચારણા, અનેકાંત, પ્રશ્ન વ. થાય છે. કેટલાક ♦ સ્યાત્ 'ના અર્થ કદાચ, શાયદ એવા કરે છે. પરંતુ ‘ સ્યાત્ ’ શબ્દ દ્વારા આ કે આવે કાઈ સ`શયવાચક અર્થ અહી' અભિપ્રેત નથી. સ્યાદ્’ અવ્યય છે અને તે અનેકાંતના દ્યોતક છે—અનેકાંતસૂચક છે. સ`સ્કૃત ભાષામાં ‘ યાત્ ’ કે ‘ કથ’ચિત્' શબ્દના અર્થ · અમુક અપેક્ષાએ,' ‘ અમુક દૃષ્ટિકાણુથી’એવા થાય છે. Jain Education International --શ્રી ઝવેરીલાલ વિ. કાહારી બિંદુએથી નિહાળી શકાય. તે સત્-અસત્, એક–અનેક, સમાન-અસમાન વ. હાઈ શકે. પદાર્થના વિભિન્ન ગુણાની અભિવ્યક્તિ વિભિન્ન દૃષ્ટિબિંદુએથી ‘સ્યાત્' શબ્દ દ્વારા શકય છે.... સ્યાદ્ અત્યેવ ઘઃ, સ્યાદ્ નાસ્ત્રેવ ઘટઃ । સ્ટાફ નિત્ય એવ ઘટ, સ્યાદ્ અનિત્ય એવ ઘટઃ । સ્યાદ્વાદના આ એવકારયુક્ત કથનાના નિશ્ચયાત્માક અ નીચે મુજબ છે. અમુક અપેક્ષાએ ઘટ સત્ જ છે; અમુક અપેક્ષાએ ઘટ અસત્ જ છે, અમુક અપેક્ષાએ ઘટ નિત્ય જ છે, અમુક અપેક્ષાએ ઘટ અનિત્ય જ છે. આ તાત્ત્વિક નિરૂપણું છે, વ્યવહારમાં આવેા શબ્દ પ્રયાગ થતા નથી – થાય પણ નહી.. અનેકાંત' શબ્દમાં અનેક અને અત' એવા મે એટલે સૃષ્ટિબિંદુ, દિશા, અપેક્ષા, બાજી. ‘ અનેકાંત ’ વાસ્તશબ્દો છે. અનેક એટલે એકથી વધારે, ઘણા અને અંત વિકતાના સત્તામૂલક-તાત્ત્વિક-અસ્તિત્વવિષયક સ્વરૂપનું નામ છે. અનેકાંતવાદ એટલે અનેક દૃષ્ટિબિંદુથી કથન. અનેકાંતવાઢ પઢાની અનેકાત્મકતાની અભિવ્યક્તિ છે. પ્રત્યેક પદાર્થ અનંત લક્ષયુક્ત છે. ૩. સ્યાદ્વાદ કે અનેકાંતવાદ ‘ સ્યાદ્વાદ' શબ્દમાં ‘સ્યાત્' અને ‘વાદ’ એમ એ જૈન મતાનુસાર વાસ્તવિકતા અત્યંત જટિલ અને શબ્દો છે. સ્યાના અર્થ અપેક્ષા અને ‘વાદ ’ના અગતિશીલ છે. તે એક નહીં પરંતુ અનેક છે, અને આ કથન કરવુ એવા થાય છે. આથી સ્યાદ્વાદના અર્થ પ્રત્યેક વાસ્તવિક પણ અત્યંત જટેલ અને ગતિશીલ છે. • અપેક્ષાએ કથન કરવુ* ’ એવા થાય છે. ‘ સ્યાત્ ’ શબ્દયુક્ત વાસ્તવિકતા અનેક લક્ષણયુક્ત છે. પટ્ટા માત્ર અનેકાંત છે, વસ્તુનું પ્રતિપાદન સમ્યગ્ર પ્રતિપાદન છે. પદ્મા અંગેના અસ`ખ્ય ગુણુ તેમજ સંબંધ યુક્ત છે. આ ગુÀા-લક્ષણેાનિર્ણય રયાદ્વાદ છે, કારણ કે પ્રત્યેક લક્ષણ ‘સ્યાત્’ધર્માં શબ્દ સાથે વ્યક્ત થાય છે. પ્રત્યેક પદાર્થીને ભિન્ન ભિન્ન દૃષ્ટિ૧ મુનિ નથમલજી, જૈન દનકે મૌલિક તત્ત્વ – ભાગ વૈચારિક – પ્રત્યયાત્મક નથી પરંતુ તેઓ વાસ્તવમાં પદાર્થમાં અસ્તિત્વમાન છે. જ્યારે આપણે પદાર્થ 'ગે કોઈપણ નિર્ણય – કથન – વિધાન કરીએ છીએ ત્યારે આપણે તેના કોઈક પાસા – ગુગુ – લક્ષગુ – ધર્મ-ને પસદ કરીએ ૧, પૃ. ૩૧૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy