SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ જૈનરત્નચિંતામણિ શાંતિનાથ ભગવાનનું શિખરબંધી મંદિર સં. ૧૩૧૭માં બંધાવેલું છે. ખાચરોડ વેળુની બનેલી છે. મૂળનાયકની બંને બાજુ શ્રી શાંતિનાથ તથા કુંથુનાથ ભગવાનની મૂર્તિ ૩ ફીટની છે. આ મંદિર પ્રાચીન છે. ભાદરવા સુદ ૨ ને દિવસે મેળો ભરાય છે. રીંગણાદ જવર સ્ટેશનથી અગર ઢાઢર સ્ટેશનથી ૬ માઈલ પર રીંગણાદ ગામ વસેલું છે. પ્રાચીન નામ ઈગલપુર પત્તન હતું એમ કહેવાય છે. અહીં પ્રાચીન શિખરબંધી મંદિર હતાં, જે નવ વસહી તરીકે ઓળખાતાં હતાં. અત્યારે ફક્ત એ મંદિરોના અવશેષો પડેલા દેખાય છે. અહીંના ખુઝરપુરામાં આવેલ એક હજામના માટીના ઓટલા માંથી સં. ૧૯૭૨ માં શ્રી નેમિનાથ ભગવાનની તથા બીજી ૫ જીનમૂતિઓ અને ૧ પદ્માવતી દેવની મૂર્તિ મળી આવી હતી. આ મૂર્તાિઓ માટે જૈન મંદિર બાંધવાનો વિચાર થતાં દેવાસના નરેશ શ્રી સદાશીવરાવ પવારે ગામની બહાર ઉત્તરે વિશાળ મેદાન અર્પણ કર્યું હતું. પછી શિખરબંધી મંદિર, બાંધવામાં આવ્યું હતું. આ મંદિરમાં મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનની બે ફૂટની વેળુની મૂતિ બનેલી છે. તેની આસપાસ શ્રી સુપાર્શ્વનાથ અને શ્રી શિતલનાથ ભગવાનની મૂર્તિઓ છે. અહીં એક ઉપાશ્રય છે, જે ૮૦૦ વર્ષ જૂનો હોવાનું કહેવાય છે. આ ઉપાશ્રયના એક ભાગમાં પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. અહીં ૧૨૫ જૈનેનાં ધરે છે. ૨ ધર્મશાળા, ૨ જૈનમંદિર વિધમાન છે. મંદર મંદસોરનું પ્રાચીન નામ દશપુર એટલે દશ મહેલાનું બનેલું નગર છે. દશપુરમાં જીવંત સ્વામીની પ્રતિમા હોવાનું મનાય છે. રાજા ઉદયને પ્રતિષ્ઠિત કરેલી મૂતિ નોંધનીય છે. આ મૂતિ પાછળથી વિદીશા ભલસા મૂક્વામાં આવી. માંડવગઢના સંગ્રામ સની મંત્રીએ એક જૈન મંદિર પંદરમા સૈકામાં બનાવેલ હતું. અહીં ૭૦૦ જૈનેની વસતી છે. ૬ ઉપાશ્રય, ૪ ધર્મશાળા અને ૮ મંદિર વિદ્યમાન છે. ખલસીપુરના શ્રી પાર્શ્વનાથના જૈન મંદિરની ભીંતમાં ચાલી દ્વારપાળાની પ્રતિમા ગુપ્તકાલીન હેવાનું જણાય છે. અહીંયા ખાનપુરા, સદર બજારમાં શ્રી પાર્શ્વનાથનું દેરાસર પદ્માવતીના દેરાસર તરીકે ઓળખાય છે. ખાચરેડ કસ્બાનું મુખ્ય શહેર ખાચરેડ છે. અહીં વેતાંબર મૂર્તિપૂજકોનાં ૧૮૫ ધરો છે. ૪ ઉપાશ્રય, ૩ પિષધશાળા, ૮ જીન મંદિર વિદ્યમાન છે. શિતલમાતાના વાસમાં શ્રી સુવિધિનાથ ભગવાનનું શિખરબંધી મંદિર આવેલ છે. તેની આજુબાજુમાં શ્રી આદીનાથ ભગવાન તથા શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિઓ છે. ડુબાડીવાના વાસમાં યતી રામાનું ઘર દેરાસર છે. તેને જીર્ણોદ્ધાર કરાવતાં શિખરબંધી મંદિર બાંધવામાં આવ્યું છે. મખ્વાજીના વાસમાં યતિ મોતીચંદજીએ બંધાવેલું શ્રી પાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી મંદિર છે. મૂળનાયકની પ્રતિમા ૨ ફૂટ ઊંચી છે. ચૌહાણીમાં વાસમાં યતિ શેઠજીએ બંધાવેલ ઘર-દેરાસર હતું. જેને સં. ૧૯૫૧માં જીર્ણોદ્ધાર કરાવતાં શિખરબંધી મંદિર બાંધવામાં આવ્યું છે. તેમાં ગોડીજી પાર્શ્વનાથની ૨૨ ઈંચની મતિ છે. તેની બંને બાજુએ શ્રી સુપાર્શ્વનાથ તથા ચંદ્રપ્રભ જીનેશ્વરની ૧૪ ઈચની મૂર્તિઓ છે. લીમડાવાસમાં યતિ ભેટરજીએ બંધાવેલ જિનાલય સંવત ૧૮૬ માં શિખરબંધી બાંધવામાં આવ્યું છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનની ૨ ફૂટની પ્રતિમા છે. તેની બંને બાજુમાં શ્રી ચંદ્રપ્રભ તથા શ્રી પાર્શ્વનાથ પ્રભુની વા- ફૂટની પ્રતિમા બિરાજમાન છે. લાકીપુરમાં યતિ શ્રી રામચંદ્રજીએ બંધાવેલ શિખરબંધી મંદિર છે. તેમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની રા ફૂટ ઊંચી મૂર્તિ બજાર નાકા પર યતિ શ્રી રૂપચંદજીએ બંધાવેલ ધર-દેરાસર સં. ૧૯૬૨માં જીર્ણોદ્ધાર કરાવ્યા. તે શિખરબંધી બાંધવામાં આવ્યું. તેમાં ત્રણ ફૂટની શ્રી ઋષભદેવની મત છે. જૂના સંદેરમાં ભટેવરા જૈનોનું ઋષભદેવનું ઘર-દેરાસર છે. આમાં મૂળનાયક ભગવાન શ્રી પાર્શ્વનાથ ભગવાનની વેતવણું પ્રતિમા બિરાજમાન છે. બજારમાં રાજ વિલાસની પાસે શ્રી વિજયરાજન્દ્રસૂરિનું સમાધિ મંદિર છે. અહીંના મંદિરે જીર્ણોદ્વાર શ્રી વિજયરાજેન્દ્રસૂરિના ઉપદેશને આભારી છે. ભેલસા તલનપુર દાહોદ સ્ટેશનથી ૭૩ માઈલ દૂર અને કુકસી રા માઈલ દૂર તાલનપુર ગામ પ્રાચીન તીર્થ છે. એનું પ્રાચીન નામ તુગીયા પતને અથવા તારણુપુર, અહીંના ખેતરમાંથી ૨૫ જીન પ્રતિમાઓ નીકળેલી. કુકસી જૈન સંઘે સં. ૧૯૫૦માં શિખરબંધી મંદિર બંધાવ્યું. ને તેમાં મૂર્તિ પધરાવવામાં આવેલ છે. તાલનપુરમાં જૈનનું એક પણ ધર નથી. પણ કુકસીમાં જૈનેનાં ૩૫૦ ઘરો છે. ૪ ઉપાશ્રય છે. ૨ ધર્મશાળા છે. ૩ જિનાલય છે. તેમાં શ્રી ભેલસ સ્ટેશનથી ૧ માઈલ દૂર ગામ આવેલ છે. તે ભોપાલ રાજ્યમાં સાચી પાસે આવેલું છે. વિધુમ્માલી નામના દેવે મહાહિમવંત પર્વતમાંથી ગોશીખ ચંદન લાવી ભગવાન મહાવીરની પ્રતિમા બનાવી હતી. એ પ્રતિમા નાગિલ નામના વણિકના હાથમાં આપી. એ વણિક પાસેથી વિતભયપટ્ટનના રાજા ઉદયન તથા તેની રાણી પ્રભાવતીએ આ પ્રતિમા પ્રાપ્ત કરી. પ્રભાવતી આ પ્રતિમાનું કાયમ પૂજન કરતા. તેના મરણ બાદ તેની કુબજા દાસી દેવાનંદાને આ પ્રતિમાનું Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy