SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1279
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસંગ્રહમંથ-૨ ૧૨૯ એટલું જ નહિ, સક્રિયપણે તેઓ શહેરના ઉચ્ચ સ્તરે નાગરિક પ્રશ્નો અંગેની જાતી પ્રવૃત્તિઓમાં ભાગ લેતા રહે છે. વિશનજીભાઈ જેવા સામાજિક કાર્યકર્તાઓ સમાજના ગૌરવ સમાન છે. શ્રી વિનયચંદ્ર ઉમેદચંદ્ર શાહ શ્રી વિનયચંદ્ર ઉમેદચંદ્ર શાહ જેમને સૌ વિનુભાઈના હુલામણું નામથી બોલાવે છે, તેમને જન્મ તા-૪થી જાન્યુઆરી ૧૯૨૯માં ઝાલાવાડના સુરેન્દ્રનગર શહેરમાં થયેલ. અભ્યાસ પૂર્ણ કરી આ ઉત્સાહી અને શક્તિશાળી યુવાને ૧૯૪૨ની સ્વાતંત્રની ભારત છેડે”ની લડતમાં સક્રિય ભાગ લઈ ભૂગર્ભ પ્રવૃતિઓ આદરી હતી. અને એ રીતે માનવસેવાની દિશામાં મંડાણ કર્યા હતા. આમ શ્રી વિનુભાઈ સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં આરંભથી જ સંકળાયેલા છે. સન ૧૯૪૮માં આ સાહસિક અને મહત્વાકાંક્ષી યુવાને ધંધામાં ઝંપલાવ્યું અને મે. આર. સુરેશચંદ્ર એન્ડ કાં. ની સ્થાપના કરી. વ્યવસાયે તેઓ દવાઓ અને રસાયના અગ્રગણ્ય વેપારી છે. આ ઉપરાંત તેઓશ્રીએ વિવિધ ધંધાકીય સાહસો શરૂ કર્યા. જેમાં મે. બી. કેમ. ઈન્ટરનેશનલ, મે. યુ. બી. એન્ટર પ્રાઈઝ, મે. શાહ એન્ડ મહેતા, મે. બી. નવીન વિગેરે. તેમજ ઉત્પાદન ક્ષેત્રે મે. કેમી ફાઈન ( ઈર) અને મે. સુરેન કેમીકલ (મુંબઈ) અગ્રસ્થાને છે. એમને ધંધાનું સામ્રાજ્ય થડા જ વખતમાં હૈદરાબાદ, મુંબઈ, કલકત્તા દિલ્હી, અને અમદાવાદ સુધી વિસ્તાર્યું, સાથે સાથે તેઓ બીજી અનેક પેઢીઓ સાથે સંકળાયેલ છે. બજાવી રહ્યા છે. કેળવણુ ક્ષેત્રે અને ધાર્મિક ક્ષેત્રે પણ શ્રી વિનુભાઈનું પ્રદાન ગુજરાતને અભિમાન લેવડાવે તેવું છે. શ્રી ઝાલાવાડ જૈન છે. મૂ. પૂ. સંધ મુંબઈના ટ્રસ્ટી છે. ઓલ ઈન્ડિયા મેન્યુફેચરર્સ એસોસિએશન, ઓલ ઈન્ડિયા ડ્રગ મેન્યુફેકચરર્સ એસેસિએશન અને બેઝીફ ટાઉનસીલ જેવી સંસ્થાઓમાં તેમને ફાળે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. શ્રી વિનુભાઈએ હવે “રાષ્ટ્રીય પ્રતિભા ” હાંસલ કરી છે. ઓલ ઇન્ડિયા કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશને તેના સુત્રધાર તરીકે શ્રી વિનુભાઈ ઉપર કળશ ઢાળીને તેઓશ્રીને પ્રમુખ બનાવ્યા છે. શ્રી વિનુભાઈના પ્રમુખપદે આ એસોસીએશનનું એક સંમેલન, મુંબઈમાં જમુખાનંદ હેલમાં જવામાં આવ્યું હતું. ઘણી જ કુશળતાપૂર્વક આ સંમેલનનું તેઓશ્રીએ સંચાલન કર્યું હતું. નીડર, સ્પષ્ટ અને સત્યવકત્તા શ્રી વિનુભાઈએ આ કેશનમાં જે જે સૂચને કર્યો અને જે જે વિગતો બહાર પાડી તે માટે વેપારી આલમે તેઓશ્રીને ધણુ જ વહાલ સાથે વધાવી લીધા. દેશભરના એક એક અખબારમાં તેઓશ્રીના પ્રવચનની મોટા મોટા મથાળાં સાથે રજુઆત થઈ. આમ શ્રી વિનુભાઈએ રાષ્ટ્રીય ખ્યાતિ હાંસલ કરી. હાલમાં જન જાગૃતિ સેન્ટર (મુંબઈ)નું સુકાન તેઓશ્રીને સોંપવામાં આવ્યું છે. અને તેઓશ્રીની કાબેલ રાહબરી હેઠળ તા-૨૯-૯-૧૯૮૦ના રોજ જૈન જાગૃતિ સેન્ટર (મુંબઈ)નું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. “જન સેવા એ જ પ્રભુ સેવા” ના આદેશને વરેલું આ દમ્પતી સમસ્ત જૈન સમાજ માટે ગૌરવરૂપ છે. શ્રી વિનયચંદ ખીમચંદ શાહ સંવત ૧૮૨૪માં ભાદરવા વદ પાંચમના રોજ શ્રી ખીમચંદ રાયચંદ શાહને ત્યાં કોળીયાકમાં શ્રી વિનુભાઈને જન્મ થયો હતો. પિતાશ્રી ખીમચંદભાઈ ભાગ્ય બળ અજમાવવા સાત વર્ષના વિનયભાઈને લઈને મુંબઈ આવ્યા. મુંબઈની શ્રી બાબુ પનાલાલ જૈન સ્કૂલમાં મેટ્રીક સુધી અભ્યાસ કરી એક વષ નેકરી કર્યા બાદ હાર્ડવેર લાઈનના સ્વતંત્ર ધંધાની શરૂઆત કરી. મેં. રિયલ હાર્ડવેર માર્ટ નામથી આજે તેમની બજારમાં આગવું સ્થાન ભોગવે છે. શ્રી વિનુભાઈની કાર્ય કુશળતા, પ્રમાણિકતા, અને કુનેહથી અપૂર્વ ખ્યાતી પ્રાપ્ત કરી છે. આજે બેંગલરમાં પણ બ્રાંચ છે તેમજ ચેમ્પિયન કંપનીની એજન્સી ધરાવે છે. શ્રી ઘારી વિસા શ્રીમાળી જૈન જ્ઞાતિના મંત્રી તરીકે પાંચ - વર્ષ સેવા આપેલ છે. શ્રી ધારી જેન મિત્રમંડળ (ભાવનગર)ના ઉપપ્રમુખ છે. શ્રી ઘોઘારી વિસા શ્રીમાળી જૈન સહાયક ટ્રસ્ટ, મુંબઈ તાલ વજ જૈન વિદ્યાર્થીગૃહ અને બીજી સંસ્થાઓને તેઓશ્રી સેવા આપી રહ્યા છે. શ્રી વિનુભાઈએ દવા બજારનું પ્રમુખ સ્થાન શોભાવી, વેપારી અને નેકરિયાત ભાઈઓનું સંગઠન કરી સક્રિય સેવા બજાવી છે. સુરેન્દ્રનગર મિંત્ર-મંડળ ના મંત્રીપદે રહી અનેક કલ્યાણકાર્યો કર્યા છે. શ્રી વિનુભાઈએ અંધેરી લાયન્સ કલબની સુંદર સેવા બજાવી છે. લાયન્સ કલબના ડાયનેટીક સેન્ટરની કમીટીના અધ્યક્ષપદે તેમજ ડ્રગીસ્ટ એસોસિએશન ફી ડિસ્પેન્સરીના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે સુંદર સેવા આપી છે. ગુજરાત રાહત ફંડ, દુષ્કાળ ફંડ વિગેરે માનવ સેવાના અનેક કાર્યો તેમણે પાર પાડચા છે. શ્રી વિનુભાઈએ પરદેશના તેમના પ્રવાસના વિશાળ જ્ઞાનને પરિચય કેમિકલ અને ફાર્માસ્યુટીકલ ક્ષેત્રે કરાવ્યું છે. તેઓશ્રીએ પૂર્વ—દક્ષિણ એશિયા, યુરોપના દેશો તથા અમેરિકા વિગેરે દેશોમાં વિકાસ માટે વિદેશ પ્રવાસ ખેડયો છે. શ્રી વિનુભાઈ અનેક સામાજિક, શૈક્ષણિક તથા માનવતાના કાર્યો સાથે સંકળાયેલા છે. તેઓ સુરેન્દ્રનગર મિત્ર મંડળ, શ્રી ઝાલાવાડ મિત્ર મંડળ, જેન સેશ્યલ ગુપ, હ્યુમેનીટરીયન લીગ જેવા અનેક સામાજિક સંગઠનેમાં ઉચ્ચ સ્તરેથી સક્રિય કામગીરી Jain Education Intenational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy