SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ આ બાજુ અધ્યામાં પુત્રને વૃતાંત નહિ જાણવાથી રામ લક્ષ્મણની માતાએ વિલાપ કરતી હતી. તે વખતે ઘાતક ખંડોમથી નારદ ત્યાં આવી ચઢયા. માતાઓને ચિંતાતુર જોઈ નારદે ચિંતાનું કારણ પૂછતાં. તેમણે પહેલા યુદ્ધ પ્રસંગે વિશલ્યાને લંકા લઈ ગયા હતા ત્યાં સુધીની બધી વાત કરી તે પછી લમણ છવ્યા કે નહિ, તેના કંઈ સમાચાર નથી તેમ કહ્યું. ત્યારે નારદે કહ્યું કે હું તમારા પુત્રોની ખબર લાવીશ. એમ આશ્વાસન આપી નારદ આકાશ માર્ગે લંકામાં આવી રામે લક્ષમણને મળ્યા. અને માતાઓના દુઃખની વાત કહી. તેથી રામે અધ્યા જવા માટે વિભીષણની અનુમતિ માગી. વિભીષણે કહ્યું કેઆપ ફકત સોળ દિવસ અત્રે રહે, તેટલામાં મારા કારીગરોને એકલી સ્વર્ગ પુરી જેવી અધ્યા કરી દઉં. રામે સત્યાર કરેલા નારદ અયોધ્યા આવ્યા. અને રામ લક્ષ્મણના શુભ સમાચાર કહ્યા. રોળમાં દિવસે રામ લક્ષમણ અંતાપુર સહિત. પુષ્પક વિમાનમાં બેસી પરિવાર સાથે અયોધ્યા નજીક આવ્યા. ભરત અને શત્રુનને ખબર પડતાં તેઓ હાથી પર બેસી સામે આવ્યા. રામ લક્ષમણ ભરત ને શત્રુદ્ધ. ચારે ભાઈએ પરસ્પર ભેટી પડયા. પછી બધાની સાથે પુષ્પક વિમાનમાં બેસી અધ્યામાં પ્રવેશ કર્યો. અને માતાઓને પગે પડ્યા. સીતા પણ વિશલ્યા વગેરે સ્ત્રીઓ સાથે સાસુઓને પગે પડી. માતાઓએ ખૂબ આશીષ આપી. ભારતે અયોધ્યામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005130
Book TitleSachitra Jain Ramayan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri, Dharmghoshvijay
PublisherKirti Prakashan
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy