SearchBrowseAboutContactDonate
Page Preview
Page 838
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨૮ ધન્ય ધરા કરી રહ્યા છે. ત્યારે વગડામાં પશુઓને ચરાવતા અને પોતાના દોહરાથી ધરતી અને આભ ગજવતા કવિ પાલરવની યાદ આવ્યા વગર રહે નહીં. પોતાના હૈયામાંથી જ સંવેદના નીકળે તેને શબ્દદેહ મૂકીને રજૂ કરવી. કામ તો બહુ સરળ છે પણ તેને સાંભળનાર બહુશ્રુત વિદ્વાનો આગળ કંઠ, કહેણી અને કવિતાનો સુભગ સમન્વય ઘણીવાર કવિ કાગ અને મેરુભાનું સ્મરણ કરાવે છે. રામાયણમાંથી ચોટદાર પ્રસંગો પર કાવ્યકંડિકાઓ રચીને જ્યારે રજૂ કરતા હોય ત્યારે થાય કે ચારણી સાહિત્ય પરંપરાને શ્રી ગોવિંદભાઈ પાલિયા જેવા કવિઓ અક્ષત રાખશે. આણંદપુર- ભાડલાની પ્રાથમિક શાળમાં માત્ર છ ધોરણ ભણેલા શ્રી પાલિયા દુહા-છંદના આકાશવાણી કલાકાર છે. ચારણી સાહિત્યના ૨૪ મુખ્ય પ્રકાર છે પરંતુ તેઓએ તમામ પ્રકારમાં ખેડાણ કરેલું છે. . પાલરવ કવિના ‘તને સ્વર્ગ ભુલાવું શામળા'ના સામા પ્રત્યુત્તર રૂપે વીસેક દુહાઓ લખ્યા છે. કવિ પાલિયા, જેઓ કવિ પાલરવના વંશના છે. મેદની ડોલાવનારા શ્રી અનુદાન ગઢવી અનુદાન ગઢવી. ધ્રાંગધ્રા તાબાનું ગામ બાવળી. તે તેમની જન્મભૂમિનું ગામ. તેઓના કહેવા મુજબ મહારાણા પ્રતાપના “અશ્વ ચેતકની યાદ સાથે સંકળાયેલું ગામ. આજે પણ પથ્થરથી બાંધેલા અશ્વશાળાના જૂના ખંડેરો મોજૂદ છે. તેમજ નાંદણ શાખાના ચારણો ગાયોની વહારે ચઢેલા તેના ૨૭ પાળિયાઓ ઊભા છે. ચેતકની માનું નામ બાવળી' હતું. તેના પરથી ગામ બાવળી નામ પડ્યું કહેવાય છે. તેમના પિતાશ્રી દેવદાનભાઈ રેલ્વે વિભાગમાં હતા. ચારણી સાહિત્યના ઊંડા અભ્યાસી છે. માતા વાલાબાઈનાં દર્શન કરીને એટલું તો કહી શકાય કે અનુદાનભાઈ જેવા પુત્રોએ આવી | માતાના ખોળે જન્મ લીધો તે બહુ ભાગ્યશાળી કહેવાય. અનુદાનભાઈનો જન્મ ૧૧-૪-૧૯૭૪ના રોજ બાવળી ગામે. એસ.એસ.સી. સુધીનો અભ્યાસ. કદાચ અભ્યાસ છોડી દીધો અને ઝંપલાવ્યું. પોતાના કુળને વરેલી ચારણ શૈલીની રજૂઆતની કળામાં–આજે તો સોળે કળાએ ખીલે છે. આજના પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને પણ એક માર્ગદર્શકની ભૂમિકા પૂરી પાડતા અનુદાનભાઈ ઝાલાવાડી ધરતીનું ઘરેણું છે. આજે સામાન્યસભા-જનરંજનનું સ્થાન ડાયરામાં ગોઠવાયું છે, પરંતુ અનુદાનભાઈએ પોતાની આગવી કળાને જાળવી રાખી છે. છીછરું સાહિત્ય તેમની પાસેથી ન મળે. સંસ્કૃત સુભાષિતો કે વેદજ્ઞાનની લગોલગ બેસી શકે તેવું ચારણી સાહિત્ય અને રસપ્રદ પ્રસંગોનો ખજાનો તેમની રસાળ જીભે સાંભળવા મળે. તેમણે રાજસ્થાનમાં હિંગળી ભાષાનો અભ્યાસ કરેલો છે. ડિંગળી ભાષા-કવિ સંમેલનમાં તેમની પ્રશંસા થયેલી. એક યુવાનીની ઉંમરમાં કોઈક જ દિવસ એવો હશે કે તેમણે કાર્યક્રમ આપ્યો નહીં હોય! ગુજરાતમાં, મુંબઈમાં, રાજસ્થાનમાં અને હૈદ્રાબાદમાં કાર્યક્રમો આપીને મેદની ડોલાવી છે. તેઓએ પીઠડમાના ૧૧ સારસી–હરિગીત છંદો લખ્યા છે. કંકુમાં વિશે ૨૫ વર્ણસગાઈવાળાં-ભાવગીતો લખ્યાં છે. હાલ તેઓ કેવળ જૈનમંત્ર નવકાર પર બૃહદ ગ્રંથ લખી રહ્યા છે.. રામભાઈ ભરવાડ શ્રી રામભાઈ રૂપાભાઈ ભરવાડ, એટલે પાંચાળી ધરતીનું, લોકસંસ્કૃતિનું, લોકભરત કળાનું છત્રીરૂપે પ્રગટતું એક વ્યક્તિત્વ. તેમનો જન્મ ચૂડા તાબેના ભૃગુપુર ગામે તા. ૧-૧-૧૯૬૧ના રોજ થયેલો. એસ.એસ.સી પછી (૧૯૮૧)માં પી.ટી.સી.ની પ્રાથમિક શિક્ષકની ફરજ સજ્જતા મેળવીને અત્યારે સુરેન્દ્રનગરની વડનગર-દૂધરેજ પ્રાથમિકશાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. લોકસાહિત્યના રસિક હોઈને અનેક જાહેર કાર્યક્રમો આપવા તથા “સભા-સંચાલન'ની પણ કુશળતા ધરાવે છે. ગુજરાતી ચલચિત્ર ક્ષેત્રે-“વાંસળને કાંઠે', “નહીં રે લજાવું તારી ચૂંદડી', “દીકરી, દરિયાની માછલી’, ‘અધૂરા અરમાન', જેમાં વાર્તા-પટકથા લેખક અને ગીતકાર તરીકે યોગદાન આપેલું છે. ‘વીર વિહળ' (અણનમ માથાં) પરથી ચિત્રાંકન ગુજરાતીમાં “આયો રે ફાગણ આયો રે' ગીતમાં અભિનયકલાનાં ઓજસ પાથર્યા છે. છેલ્લા એક દસકાથી આંતરરાષ્ટ્રીય વિખ્યાત તરણેતરનો ભાતીગળ લોકમેળો-જેમાં “છત્રી' સાથેના ગોપાલક યુવાન એટલે રામભાઈ ભરવાડ. અનેકવાર તેમણે “છત્રી-હરીફાઈમાં Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy