SearchBrowseAboutContactDonate
Page Preview
Page 823
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૮૧૩ ‘વિલેજ-પોલીસ’ અને (સમાજના સંસ્કાર-કમ) બ્રાહ્મણના કર્મ-કાંડ કરતાં પણ ઉત્તમ બ્રાહ્મણ કોને કહેવાય? તેના પ્રત્યુત્તરમાં રહેલી સાવધાની પ્રત્યે સદાય સાવધ રહેનારા સત્ત્વશીલ બ્રાહ્મણ હતા. માતા પ્રભાબહેનનો કંઠ એટલો તો સુમધુર હતો કે જગદીશભાઈનો બાલ્યાવસ્થામાં જ ભજનકીર્તન અને સંગીત પ્રત્યે એવો તો નાતો બંધાઈ ગયો કે આજે દેશી ભજનની ગાયકી–પરંપરામાં જગદીશભાઈનું સ્થાન અને નામ પ્રથમ હરોળમાં મૂકી શકાય....૯૫ વર્ષનાં માતા છે અને આજેય પણ ૨000 ભજનો મોઢે છે. આઠ ભાંડરુ અને સાતમાં ક્રમે જગદીશભાઈ છે. તરણેતરના લોકમેળામાં શ્રેષ્ઠ ભજનિકોની પરંપરામાં તેમનું સમ્માન થાય છે. આજે જીવનની સાઠીએ પહોંચેલા આ કલાકારને તેમનાં સહધર્મચારિણી મીનાબહેનનો એટલો જ સાથ-સહકાર સાંપડ્યો છે. પુત્ર મહેશ અને બંને પુત્રીઓ માયા અને વંદનાએ આ ભવ્ય વારસાને એટલો જ જાળવ્યો છે. અમદુપુરા (નરોડા રોડ) સંકટમોચન હનુમાનજીના સંતશ્રી ગરીબદાસબાપુને “ગુરુ માન્યા છે. આજે પણ ચોથીપાંચમી કાળીથી (હારમોનિયમ) ગાતા આ કલાકારે ૧૯૭૨ના દુષ્કાળમાં ગાયોના ઘાસચારા માટે લગભગ ૮૦ જેટલા નિઃશુલ્ક-જાહેર કાર્યક્રમો કરીને અનેરું યોગદાન આપેલું. ‘લવ'-૩૧, કૃષ્ણનગર, સરદારચોક, નરોડા રોડઅમદાવાદ ખાતે હાલ તેઓ રહે છે. સંતવાણી અને સમાજસેવાને સાથે લઈને ચાલનાર બનેસંગ ગઢવી જેસલમેરથી પરમારો જ્યારે સૌરાષ્ટ્રમાં મૂળીના પાદરમાં આવ્યા, સાથે સૂર્યદેવનો રથ હતો. રથના પૈડા થંભ્યા. માંડવરાયજીની અહીં સ્થાપના કરી, સાથે દસોંદી, રત્ન શાખના ચાર પરિવાર પણ આવેલા. કુળદેવી ડુંગરેચી ટેમઠારાય માતાજી છે. પાદરની બહાર માતાજીની આજ્ઞા અર્થે ઊભા રહ્યા. ખાટડીનો મારગ છે માતાજીનું બેસણું છે. અહીંથી બે ભાઈ જુદા પડ્યા. બે મૂળી અને બે ઢાંકણિયા ગયા. વખત જતા ધ્રાંગધ્રા સ્ટેટ પાસેથી ગરાસ વેચાતો લીધો. ધ્રાંગધ્રામાં તે વખતે ગાદી પર અજિતસિંહજી હતા. આ ગરાસનું મૂળગામ અધેળી. આમ એક ગામના રાજવી હતા. બનેસંગભાઈ....પછીથી દિગસર ગયા અને વતન બન્યું. હાલ બનેસંગભાઈ વઢવાણના રબારી નેસ પાસે ‘હરિરસ’ મકાનમાં રહે છે. તેમનો જન્મ ૧૫ જૂન-૧૯૫). બનેસંગભાઈને ગાયનકળાની પ્રેરણા પિતાશ્રી કનુજીભાઈ બાપુજીભાઈ પાસેથી વારસામાં મળી છે. માતા તખતબા તો ભક્તિની સરવાણી હતાં. તેમના કંઠે અનેક ભજનો-કીર્તનો સાંભળ્યાં અને પ્રોત્સાહિત થયા. એસ.એસ.સી. સુધીનો અભ્યાસ કરેલો છે. એવા બનેસંગભાઈ છેલ્લાં ૩૨ વર્ષથી સુરેન્દ્રનગર એસ.ટી. વિભાગમાં કંડક્ટર તરીકે સર્વિસ કરે છે. તે સર્વિસ પણ–‘એક પણ ક્ષતિ કર્યા વગર!પત્ની ધીરજબહેનનો પણ આ જીવનરથના ચાર પૈડાં ચલાવવામાં ફાળો નાનોસૂનો નથી. પરિવારમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. બનેસંગભાઈ દાજીરાજ હાઇસ્કૂલમાં ભણેલાં છે ત્યારે પણ નાટ્યપ્રવૃત્તિમાં ભાગ લેતા. પાત્ર જે મળે છે, પરંતુ પ્રેક્ષકગણમાંથી “વન્સ મોર'નો પ્રતિધ્વનિ વારંવાર મળતો. કંઠની બક્ષિસ તો હતી જ. સર્વિસ પરના વચ્ચેના દિવસોમાં ઘણીવાર તો રાત્રે સંતવાણી અને દિવસે નોકરી.....બંને સરખા રસથી કર્મભાવ નિભાવતા. દર બુધવારની સાંજે બાલાશ્રમસુરેન્દ્રનગરમાં નાગજીભાઈ દેસાઈ તો તેઓને અચૂક બોલાવે જ. બહુ જ ઓછાં સાજ સાથે ગાયનકળાનો એ જમાનો હતો. આવી સાજ વગરની સાંજને સમે આવા જ એક લોકકલાકાર પુંજલભાઈ સાથે નીકળી પડતા અને સંતવાણીના કાર્યક્રમો આપેલા છે. સેવાને રંગે રંગાયેલા કોઈપણ સમાજને મદદરૂપ થવાનો સંકલ્પ તેમના દિલને વરેલો છે. ભાડકા સમાજ માટે મદદ કરવાની હોય.....! એસ.ટી.માં કાંઈ મદદ કરવાની હોય! તો નાના-મોટા ડાયરાનાં આયોજનો થકી તેમની મદદ હંમેશ પરોપકારઅર્થે ઊભી જ હોય! “વર્ધમાન વિકાસ ટ્રસ્ટના ઉપપ્રમુખ તરીકે તેમણે સેવા આપેલી છે. વઢવાણની પ્રજાનાં સેવાકીય કાર્યોમાં તેમનું સમર્પણ અગ્રસ્થાને છે. આકાશવાણી-રાજકોટના ભજનના માન્ય કલાકારબનેસંગભાઈને ભજનવાણીની પ્રેરણા મોસાળ પક્ષમાં મોજદાનજી બાપુ પાસેથી મળેલી. પ્રખર રામાયણી અને વઢવાણમાં જ રહેતા. કાશીનું વેદાંતાચાર્યનું પ્રમાણપત્ર મળેલું. બીજા એક કાંતિભાઈ અમીન–જેમના માર્ગદર્શન નીચે સંગીતની ત્રણ પરીક્ષાઓ બનેસંગભાઈએ પ્રથમ વર્ગમાં પાસ કરેલી. કોઈ મહાપુરુષ પાસે પોતાને સંતવાણી રજૂ કરવાનો મોકો મળે તે કલાકાર માટે તો સંભારણું જ ગણાય. પૂના ખાતે રજનીશજીના આશ્રમમાં મિત્ર સોમપુરા સલાટનું કામ કરતા તેને Jain Education International Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy