SearchBrowseAboutContactDonate
Page Preview
Page 715
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પ્રધાનમંડળમાં રહેલા અને બાંધકામખાતાના મંત્રી બનેલા, ૧૯૫૩માં નાણાંમંત્રી બનેલા. ગુજરાત રાજ્યના પહેલા મુખ્યમંત્રી તરીકે મે-૧૯૬૦થી સપ્ટેમ્બર-૧૯૬૩ સુધી રહ્યા. તેમના સત્તાકાળમાં સને ૧૯૬૧માં પંચાયતીરાજનો કાયદો ઘડાયો અને તા. ૧-૪-૧૯૬૩થી તે અમલી બન્યો. ૧૯૬૨માં ગુ.રા.ની વિધાનસભાની પ્રથમ ચૂંટણી યોજાયેલી. ગુજરાત સહકારી મંડળી વિધેયક અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ વિધેયક જેવા અગત્યના કાયદા પણ તેમના સમયમાં ઘડાયા. ૧૯૭૧માં અમરેલી મતવિસ્તારમાંથી ચૂંટાઈને લોકસભામાં ગયા. ભારતના આરોગ્યમંત્રી બનેલા. ઇંગ્લેન્ડમાં હાઇ કમિશ્નર તરીકે પણ રહેલા. તેમનાં પત્ની હંસાબહેન મહેતા શિક્ષણશાસ્ત્રી, મહિલા કાર્યકર, લેખિકા અને સ્વાતંત્ર્યસંગ્રામની વીરાંગના તરીકે જાણીતાં હતાં. તેમને પદ્મવિભૂષણ’નું સમ્માન મળેલું. (૫) ઉછરંગરાય નવલરાય ઢેબર ‘સમાજસેવા’ ક્ષેત્રે પ્રદાન બદલ ૧૯૭૩માં ‘પદ્મવિભૂષણ’ થયા. જન્મ રાજકોટમાં તા.૨૧-૯-૧૯૦૫, અવસાન રાજકોટ મુકામે તા. ૧૧-૩-૧૯૭૭. સૌજન્યશીલ, સાદગીપરાયણ, નમ્ર સ્વભાવવાળા ઉછરંગરાય ઢેબર લોકાભિમુખ રાજપુરુષ’ તરીકે જાણીતા થયેલા. આઝાદી પછી કેટલાંક રજવાડાંઓનાં વિલીનીકરણમાંથી લોકશાહીઢબે બનેલા ‘સૌરાષ્ટ્ર રાજ્ય'ના પ્રથમ મુખ્યમંત્રી હતા. ભારતીય કોંગ્રેસના પ્રમુખ તરીકે રહીને કોંગ્રેસને ચેતનવંતી બનાવી. અખિલ ભારત કૃષિ ગૌસેવા સંઘના અધ્યક્ષપદે પણ હતા. ઢેબરભાઈનો મૂળ વ્યવસાય એડ્વોકેટનો હતો. ૧૯૩૦ની લડતમાં જોડાયા, ૧૯૩૩થી સમાજસેવા, રાજકારણમાં અને કામદાર ચળવળમાં સક્રિય થયા. ‘સેવાસંઘ’ સાથે જોડાયા. ૧૯૩૬માં ગાંધીજીની અસરથી વકીલાતનો ત્યાગ કર્યો. ગાંધીજી અને સરદાર પટેલના વિશ્વાસુ ઢેબરભાઈ ૧૯૩૮ની રાજકોટ લડતના અગ્રણી હતા. તેમને પોલીસનો માર પડવાથી દેશમાં ચકચાર મચેલી. ૧૯૪૦માં વ્યક્તિગત સત્યાગ્રહમાં જોડાયેલા. ૧૯૩૬માં રેલસંકટ વખતે આપત્તિમાં ફસાયેલાં લોકોની સેવા કરી, એક વખત તો કાટમાળ નીચે દબાઈ ગયા પણ Jain Education International ૦૫ સદ્નસીબે બચી ગયા. તેમણે ‘સૌરાષ્ટ્ર સંકટનિવારણ સમિતિ' સ્થાપેલી. કાઠિયાવાડ રાજકીય પરિષદના મંત્રી તરીકે રહેલા ઢેબરભાઈ દેશી રાજ્યો સાથે સંઘર્ષની વેળાએ રાજ્યો અને પ્રજા વચ્ચે સુમેળ સાધવાની ઉમદા ભૂમિકા ભજવતા. ૧૯૪૮માં ‘સૌરાષ્ટ્ર’નું અલગ રાજ્ય બનતાં તેના પ્રથમ મુખ્યમંત્રી બન્યા. ૧૯૫૪ સુધી આ પદ પર રહ્યા. ગરીબો તરફ હમદર્દ ઢેબરભાઈને મારી નાખવા, તેમનું ખૂન કરવા પણ પ્રયત્ન થયેલો કારણ કે જમીનદારી પ્રથાનો અંત આવવાથી કેટલાક ગિરાસદારો અકળાયા હતા! ૧૯૫૪થી ૧૯૬૦ અખિલ ભારતીય કોંગ્રેસના પ્રમુખ અને ૧૯૬૦થી ૧૯૬૩ સુધી આદિવાસી પંચ'ના અધ્યક્ષ રહ્યા. ૧૯૬૨માં રાજકોટ જિલ્લામાંથી લોકસભામાં ચૂંટાયા. ખાદી-ગ્રામોદ્યોગ પંચના અધ્યક્ષપદે ૧૯૬૩થી ૧૯૭૨ સુધી રહ્યા હતા. ૧૯૬૯માં મહાત્મા ગાંધીજીની જન્મશતાબ્દી નિમિત્તે તેમણે દિલ્હીમાં ગાંધીપ્રદર્શન તૈયાર કરાવ્યું હતું. (૬) નાની અરદેશર પાલખીવાલા પબ્લિક અફેર્સ’ અંગે ૧૯૮૦માં ‘પદ્મવિભૂષણ’થી સમ્માનિત નાની પાલખીવાળાને ‘વિશ્વગુર્જરી' ગૌરવ પુરસ્કાર પણ પ્રાપ્ત થયો હતો. તેઓએ ભારતના પ્રખર બંધારણવિદ્, નિપુણ ન્યાયવિદ, સમર્થ ધારાશાસ્ત્રી, ભારતીય અસ્મિતાના વિદ્વાન પ્રવક્તા, ભારતીય બંધારણ-કાયદો-ન્યાય-લોકશાહી– માનવ અધિકારો–સમાજપરિવર્તન-સાંસ્કૃતિક પુનરુત્થાનઆર્થિક પ્રગતિ અને આંતરરાષ્ટ્રીય સંબંધો–એમ અનેકવિધ ક્ષેત્રોમાં ગણનાપાત્ર, યશસ્વી યોગદાન દ્વારા ગુજરાતનું જ નહીં, ભારતનું નામ પણ વૈશ્વિક સ્તરે ગુંજતું કર્યું હતું. ધુરંધર કાયદાશાસ્ત્રી, પ્રખર બંધારણવિદ્ શ્રી પાલખીવાલા ભારતની સુપ્રિમ કોર્ટના સિનિયર એડ્વોકેટ તરીકે અનેક ઐતિહાસિક કેસો લડીને જાણીતા થયેલ. સને ૧૯૫૫ અને ૧૯૫૮માં અનુક્રમે પ્રથમ અને દ્વિતીય લૉ કમિશનના તેઓ સભ્ય હતા. સપ્ટે. ૧૯૭૭થી જુલાઈ ૧૯૭૯ સુધી તેઓ અમેરિકામાં ભારતના એલચી તરીકે હતા. એસો. સિમેન્ટ, તાતા એક્સપોર્ટ્સ વ. કંપનીઓના ચેરમેન, ટાટા ચેરિ. ટ્રસ્ટના ટ્રસ્ટી, અનેક વિદેશી કંપનીઓના ડિરેક્ટર એવા નાની પાલખીવાલા કરવેરા નિષ્ણાત ઉપરાંત વિદ્વાન ગ્રંથકર્તા તરીકે પણ જાણીતા થયેલા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy